SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ રાજાની શ્રીકાન્તા નામની પુત્રીએ મોકલાવેલ છે, તે ગૌરવપૂર્વક તેની દરેક સાર-સંભાળ કરવી.” મંત્રીએ પણ તે જ પ્રમાણે કુમારની દરેક સરભરા સાચવી. બીજા દિવસે કમલ વનને વિકસિત કરનાર સૂર્ય ઉદય થયો. (૨૦૦). મંત્રી કુમારને વાયુધરાજા પાસે લઈ ગયે, તેને દેખી રાજાએ ઉભા થઈ સકાર કરી પિતાની નજીકમાં આસન આપ્યું. રાજાએ તેને વૃત્તાન્ત પૂછો, એટલે પોતાને સર્વ વૃત્તાન્ત યથાર્થ જણાવ્યું. ભેજન કર્યા પછી રાજાએ કહ્યું કે, “અમે તમારું વિશિષ્ટ પ્રકારનું સ્વાગત કાર્ય કરવા સમર્થ નથી. તો અત્યારે મારી શ્રીકાન્તા નામની પુત્રી સાથે પાણિગ્રહણ કરે. કેઈક સારા શુભ દિવસે વિવાહવિધિ કર્યો. ત્યાર પછી કુમારે શ્રીકાન્તાને પૂછયું કે, “એકાકી અને અપરિચિત હોવા છતાં મને તું કેમ અર્પણ કરાઈ?” ત દંતપંક્તિની કાંતિથી હોઠને ઉજજવલ કરતી શ્રીકાન્તા કહેવા લાગી કે- આ મારા પિતાજીએ બહુ સિનિકેવાળા પિતરાઈઓથી પીડા પામતાં અતિવિષમ પલ્લી માગને આશ્રય કર્યો-એટલે કે બહારવટે ચડીને દરરોજ નગર અને ગામોમાં જઈ આ કિલ્લામાં ભરાઈ જાય છે. શ્રીમતી નામની પત્નીથી તેમને ચાર પુત્રે જમ્યા, તેના ઉપર મારો જન્મ થયો. પિતાજી અને પિતાના પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ ગણે છે. તરુણપણને પામી એટલે પિતાજીએ મને કહ્યું કે, “હે પુત્રી ! આ સવે રાજાઓ મારા વિરોધી છે, તે અહીં કેઈ તેવો પુરુષ તને દેખાય છે, જેના તરફ તારુ મન ખેંચાય એવો ભર્તાર દેખે, તે તું મને જણાવજે, જેથી હું યથાયોગ્ય કરીશ. કેઈક દિવસે કુતૂહલથી આ પલ્લીને ત્યાગ કરી તમે જ્યાં સ્નાન કર્યું, તે સરોવર પાસે હું આવી પહોંચી. ત્યાં સારા લક્ષણવાળા સૌભાગી માનિનીઓને મદન ઉત્પન્ન કરનાર આપનાં દર્શન થયાં. આપે જે પૂર્વે પ્રશ્ન કર્યો હતો, તેને આ ઉત્તર સમજ. કુમાર શ્રીકાન્તા પત્ની સાથે ગાઢ વિષયસુખ અનુભવતે પિતાને કાળ પસાર કરતો હતો. કેઈક દિવસે પલ્લીનાથ પોતાના સન્ય સહિત નજીકના દેશ ઉપર ચડાઈ કરવાની ઈચ્છાથી નીકળ્યો, ત્યારે કુમાર પણ તેની સાથે ચાલી નીકળ્યો. જે ગામ લૂંટવાના હતા, તેની બહાર કમલ-સરોવરના કિનારે એકદમ વરધનુ મિત્ર જોવામાં આવ્યો. તેણે પણ કુમારને છે. તે વખતે તે બને પ્રથમ વરસેલા મેઘની જળ-ધારાથી સિંચાએલ મરુસ્થળનાં સ્થાને માફક, પૂર્ણિમાની ચંદ્ર-કૌમુદીને પામીને ખીલેલા ઉનાળાના કુમુદની જેમ કંઈક ન કહી શકાય તેવી દાહશાંતિ અનુભવીને તેઓ રુદન કરવા લાગ્યા. ત્યાર પછી વરધનુએ કુમારને શાન્ત કર્યો અને બેસાડ્યો. કુમારને પૂછયું કે, “હે ભાગ્યશાળી! મારી ગેરહાજરીમાં તમે શું શું અનુભવ્યું ત્યારે કુમારે પણ અનુભવેલું પોતાનું સર્વ ચરિત્ર જણાવ્યું. વરધનુએ કહ્યું કે, “હે કુમાર ! મારે વૃત્તાન્ત પણ સાંભળ તે વખતે હું તમને વડલાના વૃક્ષ નીચે સ્થાપીને પાણી લેવા માટે ગયે. એક મોટું સરોવર દેખ્યું, એટલે નલિનીપત્રના પડીયામાં જળ ભરીને તમારી પાસે જ્યારે આવતો હતો, ત્યારે કવચ પહેરેલા હથિયાર સજેલા દીર્ઘરાજાના સૈનિકોએ મને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy