SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ કલિયુગ, ધર્માનુષ્ઠાને [ ૫૪૧ અર્થનો ત્યાગ કરે, તે રાજનીતિ ન કહેવાય. રાજા ઉઘીને જાગ્યા, ત્યારે ચિંતન કરવા લાગ્યા કે, સિદ્ધ થયેલો નિધિ જતો કર્યો તે ઠીક ન કર્યું. ત્યાર પછી સર્વે મંત્રીઓ અને પુરોહિતેની અનુમતિથી નિધિ ગ્રહણ કર્યો. ત્યાર પછી તેવા પ્રકારનો મહાઅનર્થ પ્રવર્યો, એટલે ઈષ્ટ સ્ત્રીનું મૃત્યુ આદિ વિપત્તિ એકદમ આવીને ઉભી રહી. માંહોમાંહે એક બીજાઓ તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે, આમ અણધાર્યું કેમ બન્યું? એવી સર્વત્ર વાત ચાલવા લાગી. તે સમયે કઈ કેવલી ભગવંત પધાર્યા. તેમને પૂછ્યું એટલે કહ્યું કે, કલિકાલ અહિં ઉતરી આવેલ છે, તેના દોષથી આ પ્રમાણે બન્યું છે. ત્યાર પછી રાજાએ નિધિને ત્યાગ કર્યો. પિતાના માટે જે ભાગ ગ્રાહ્ય ન હતો, તેને ફરી ગ્રહણ કર્યો. અહિં વેદના જાણકાર બ્રાહ્મણોએ નગરનો આશ્રય કર્યો. એમ શાસ્ત્રકારે જે કહ્યું, તે એમ જ્ઞાપન કરે છે કે, વેદવિદ્યાના વિશારદ બ્રાહ્મણથી વાસિત સ્થાનમાં કોઈ પણ અનીતિ ન પ્રવતે, તે પણ કલિયુગના અવતરવાથી ચારે આશ્રમના ગુરુ સમાન રાજા પણ પોતાના વચનને લેપ કરીને પણ ફરી નિધિ ગ્રહણ કરવા તૈયાર થયો. વિશ્ન ઉભું થયું. લોક તર્ક-વિતર્ક કરવા લાગ્યા અને કેવલી ભગવંતે જ્યારે સ્વરૂપનું નિવેદન કર્યું, ત્યારે પિતાના સત્ત્વથી અધિકપણે રાજાએ નીતિનો સ્વીકાર કર્યો. (૯૪૭) ૯૪૮–કહી ગયા, તે રાજાની જેમ પ્રત્યક્ષ જણાતા ફળવાળા આ દુષ્ટ કાળરૂપ દુઃષમા આરો આ ભરતક્ષેત્રમાં લાભ કે અલાભ, સુખ કે દુઃખ વગેરેમાં સમાન ચિત્તવાળા સાધુઓનાં મનના પરિણામોને મલિન કરે છે. કોઈ પ્રકારે તેવા અનાભોગાદિ દેષથી મનને પલટો કરાવી નાખે છે, તે પણ કાર્યના પરમાર્થને સમજનારા રાજા સરખા કેટલાક સમજુ સાધુઓ હોય છે. (૯૪૮) હવે આ જ ધર્માનુષ્ઠાન મતાન્તરોથી કહેવાની ઈચ્છાવાળા કહે છે– ૯૪૯–વળી બીજા આચાર્યો આ ધર્માનુષ્ઠાનના સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના રોગથી ત્રણ પ્રકારે જણાવે છે. “ભીમ અને ભીમસેન” આ ન્યાયથી પદના એક દેશમાં પણ પદના સમુદાયને ઉપચાર ગણાય છે–એ ન્યાયે સતતાભ્યાસ યોગથી, વિષયાભ્યાસ યોગથી અને ભાવાભ્યાસ નથી એમ ત્રણ પ્રકારો જાણવા. પરંતુ દેવપૂજનાદિક લક્ષણ ધાર્મિક અનુષ્ઠાન, તે આગળ આગળના હોય, તેમ તેમ તેની ઉત્તમતા હોય છે. તેમાં હંમેશા જે ગ્રહણ કરવા લાયક લોકેત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતા પમાડનાર એવા માતા-પિતાના વિનય–સન્માનાદિ કરવા રૂપ તે સતતાવ્યાસ અનુષ્ઠાન, મોક્ષમાર્ગના સ્વામી એવા જે અરિહંત ભગવતે, તેમના વિષયક જે પૂજાદિક કરવા રૂપ વિષયાભ્યાસ, જ્યારે ભાવાભ્યાસ તે હજુ ઘણે દૂર રહેલો છે. જે ભવ-સંસાર ચાર ગતિથી ઉદ્વેગ પામેલો હોય, એવાને સમ્યગ્ગદર્શનાદિક ભાવને જે અભ્યાસ, તે ભાવાભ્યાસ. (૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy