SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ ] ઉપદેશપદ-અનુવાદ બાજુને કઈ ભય રાખ્યા સિવાય રાધાવેધની કળા સાધી હતી. જેથી આઠે ચકોને ભેદીને પૂતળીની ડાબી આંખ લયપૂર્વક વીંધી નાખી. હવે અહિં આ ઉદાહરણ ઉપનય કહે છે–સુરેન્દ્રદત્ત નામને રાજપુત્ર તે અહિં સાધુ સમજ. અગ્નિક આદિક ચાર સાથે જન્મેલા આ ક્રોધાદિક ચારે કષાયે. બે હાથમાં ઉઘાડી તરવાર લઈને ઉભેલા બે પુરુષ, તે રાગ-દ્વેષ. ક્ષેભ પામવાથી, વ્રતથી ભ્રષ્ટ થવાથી, અનેક વખત ભવાવમાં મરણ થાય. બાવીશ રાજ પુત્રો એટલે તેટલા પરિષહે, બાકીના પર્ષદાના લોકો તે ઉપસર્ગાદિક સમજવા. આ પ્રસંગમાં અહિં આદિ-શબ્દ ઉપસર્ગોના ભેદને સંગ્રહ કરવા માટે સમજો. રાધાવેધની શિક્ષા ગ્રહણ કરાવવા રૂપ અહિં ગ્રહણ અને આસેવન રૂપ બે પ્રકારની શિક્ષા સમજવી. આઠ ચકો સમાન આઠ કર્મો અને તેને ભેદ કરવા સમાન સાધના. તેથી “નિવૃતિ’ કન્યા-લાભ સમાન સિદ્ધિની પ્રાપ્તિ સમજવી. (૯૪૨) હવે ઉલટાવીને કહે છે– ૯૪૩–આગળ કહેલા ક્રમની વિપરીતતાથી સમગ્ર કર્મક્ષયરૂપ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આ સિદ્ધિ-પ્રાપ્તિને ઉપાય હોય, તે પ્રવ્રયા પ્રાપ્ત થાય, તે દિવસના કાળથી પ્રતિદિન વૃદ્ધિ પામે, ગુણસ્થાનમાં આગળ વધાય, તે પ્રમાણે અપ્રમાદનો અભ્યાસ હંમેશાં વધારતા જ રહે. (૯૪૩) દષ્ટાંત કહે છે – ૯૪૪–જયાં પહોંચવું હોય, તે નગરના માર્ગને જાણનાર હોય અને તે જે માર્ગ બતાવે. તે માગે બીજા સર્વ વ્યાક્ષેપોને ત્યાગ કરીને ગમન કરે, તે ચોકકસ સમયે ધારેલા નગરમાં પહોંચી શકાય છે. એ જ પ્રમાણે સિદ્ધિમાગનો ઉપાય હોય તે ક્ષાત્યાદિ દશ પ્રકારને યતિધર્મ સમજ. (૯૪૪) ૯૪૫–આવા પ્રકારનો દશવિધ યતિધર્મ એ જ સિદ્ધિને એક માત્ર ઉપાય છે. આ સિવાય બીજો કોઈ પારમાર્થિક ઉપાય નથી જ. જો કે, આ કાળ દુષમા છે, તે પછી ચારિત્રમેહના ક્ષપશમની મંદતાની તે વાત જ શી કરવી ? અહિં સિદ્ધિના ઉપાયમાં સાધુધર્મ કદાચ એકાદિક ભવ મડું કરીને ખલના પમાડે, પરંતુ સિદ્ધિનું કારણ હોય, તો બ્રાહ્મણ, વણિક અને રાજાના ઉદાહરણથી આ સાધુધર્મ જ છે. (૯૪૫) બે ગાથાથી ઉદાહરણો કહે છે– ૯૪૬-૯૪૭–વેદ ભણેલા અને ભણાવનાર એવા બ્રાહ્મણનું કેઈક નગર હતું. કોઈક વણિક-બ્રાહ્મણે ભૂમિની યાચના કરી. ભૂમિની શુદ્ધિ કરવા માટે અંદર રહેલા હાડકાં આદિ શલ્યના દોષ દૂર કરવા માટે કેટલેક ઊંડે ખાડે , એટલામાં ઘણા સમય પહેલાં દાટેલ નિધિ દેખવામાં આવ્યું. વણિકે આ વાત રાજાને નિવેદન કરી કે, “હે દેવ ! ઘરને પાયે ખોદતાં મને આ નિધિ મળી આવ્યો છે. સત્યવાદિના કારણે તથા રાજાના ઔદાર્યથી રાજાએ તે નિધિ ન લીધે. ત્યાર પછી મંત્રી આદિને આ હકીકત જણાવી. તેઓએ રાજાને સમજાવ્યા કે, “હે દેવ! વગર કારણે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy