SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ ] ઉપદેશપદ-અનુવાદ વળી મુક્તિસુખની અભિલાષાવાળા સાધુઓ તે મેળવવાનો ઉપાય અપ્રમત્તભાવે કરે છે. (૯૨૩ થી ૯૩૧) શંકા કરી કે, જરા-મરણાદિના ભયથી મોક્ષ મેળવવા માટે જીવે તૈયાર થાય છે, તે પછી દરેક ભવ્ય જે અપ્રમાદસારતા કેમ સ્વીકારતા નથી ? એવી શંકાના સમાધાનમાં કહે છે – ૯૩૨–આ જિનવચન અસ્થિ-મજજારૂપ-અંગગીભાવરૂપ આત્મા સાથે પરિણામ ન પામે. સંશય, વિપર્યય, અનધ્યવસાય રહિત પ્રભુવચનમાં શ્રદ્ધા ન થાય, ત્યાં સુધી મોક્ષગમન માટે અયોગ્ય એવો અભવ્ય જીવ આ જિનવચનને ઈચછાગરૂપે પણ આત્મામાં પરિણમાવતો નથી. મોક્ષદાયક તરીકે શ્રદ્ધા કે વર્તન કરતો નથી. તે જ પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના દઢ ઉદયવાળો આત્મા સંપૂર્ણ જિનવચન પરિણમેલું હોવા છતાં અપ્રમાદભાવવાળું ચારિત્ર કરી શકતું નથી, માટે જ કહેવાય છે કે, સમ્યગ્દષ્ટિ હોવા છતાં, મોક્ષની અભિલાષા તેમ જ આગમતત્ત્વના જ્ઞાનવાળો હોવા છતાં, અતિવિષયરાગના સુખને આધીન બનેલો ભવના ગાઢ અરણ્યમાં પ્રવેશ કરે છે. આ વિષયમાં આપનું જ દષ્ટાંત (મહાવીર) સંભળાય છે. (૯૩૨) ચાલુ વાતનો ઉપસંહાર કરતા કહે છે– ૯૩૩––જ્યારે કેઈક ભારેકમી આત્મા હોય, ત્યારે અને દીક્ષા સ્વીકાર કરવામાં તેટલો આચાર પાલન કરવામાં સહનશીલ ન હોય, ત્યારે જે પ્રકારના ઉપદેશને લાયક હોય, તે પ્રમાણે જુદા જુદા પ્રકારને તેને સર્વજ્ઞના વચનાનુસારે ઉપદેશ આપે. અપ્રમાદ એ સારભૂત કરણીયપણે જિનપદેશમાં વર્તે છે. માટે અપ્રમાદનો વિષય આ કાળમાં પણ વતે છે. જ્યારે જિનપદેશ ચિત્રરૂપપણે વ્યવસ્થિત કરાયો હોય, ત્યારે અપ્રમાદસાર પણ વતે છે. ત્યારે અપુનબધક આદિકને-મોક્ષમાર્ગની પ્રજ્ઞાપના રોગ્યને આશ્રીને કેટલાક સામાન્ય દેશનાને યોગ્ય હોય છે, કેટલાક સમ્યગ્દષ્ટિ ગુણ-ગ્ય પ્રજ્ઞાપના-ઉપદેશને લાયક હોય છે, કેટલાક દેશવિરતિ ગુણસ્થાનકને ગ્ય ઉપદેશ કરવા લાયક આત્માઓ હોય છે. કેટલાક કે, જેમણે ચારિત્રમેહનીય કર્મરૂપ કાદવ જોઈ નાખ્યો હોય, ત્યારે તેવા અપ્રમત્તતારૂપ સર્વવિરતિની દેશનાને લાયક હોય છે. આ પ્રમાણે અપ્રમત્તતાની પ્રજ્ઞાપના-ઉપદેશ એ અધિકારી વગરની નથી, પણ આ કાળમાં પણ તેવા પ્રકારના વિવિધ ઉપદેશ અપ્રમાદ માટે આપી શકાય છે. (૯૩૩) હવે પિતાના કર્મના ભારેપણાના દેષને ત્યાગ કરીને “જિનપદેશ અનુસાર આચરણ કરવું વર્તમાનમાં દુષ્કર ગણાય એવાં કથને કરવા દ્વારા જિનપદેશની અવજ્ઞા કરનારના અજ્ઞાનદેષને કહે છે– ૯૩૪–અમે જિનવચનની આરાધના કરનારા જિનેશ્વર ભગવંતના ભક્ત છીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy