SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ ] ઉપદેશપદ-અનુવાદ ધ્યાન કરવું ઉચિત ગણાય. ત્યાર પછી આચાર્ય ભગવંતે સાધુ-શ્રાવકધર્મને સમજાવનારી ઘર્મ દેશના આપી. તે ધર્મદેશના તેના આત્મામાં પરિણમી. રાજપત્નીએ અણુવ્રતો સ્વીકાર્યા. આ પ્રકારે જ્ઞાની ગીતાર્થ પુરુષ હોય, તે સર્વનું તેમ જ પિતાનું પણ કલ્યાણ ઘણે ભાગે કરે છે. (૮૯૦ થી ૮૯૮) દશ ગાથાથી હવે બીજું ઉદાહરણ કહે છે– ૮૯૯ થી ૯૦૮–સંમૂચ્છિમ જીવ જે એટલે કે, યોગ્ય-અયોગ્ય પદાર્થના વિવેકને ન સમજનાર, સાંભળેલામાંથી શાસ્ત્રનાં અ૫ વાક્યો યાદ રાખનાર એવો, કાચા કાનવાળે, કઈ રાજા હતા. ઉત્તમ ધર્મને અગ્ય એટલે દેવ-ગુરુ-ધર્મના વિભાગની વાત કહે, તે ન સહન કરનાર એટલે સર્વ દેવ, ગુરુ તરફ શ્રદ્ધા રાખનાર, સ્વભાવથી ધર્મશ્રદ્ધાલુ હતો અને તેને પરિવાર તેને ખોટી રીતે અનુસરનારો અને વિવેક વગરને હતે. કેઈક સમયે ભેળપણથી સામાન્યરૂપે ધર્મશ્રદ્ધાળુપણાથી તેવા પ્રકારના બુઠ્ઠી બુદ્ધિવાળા જેન તપસ્વી મુનિને દેખીને તેના તરફ પ્રભાવિત થયા અને તેની પૂજા તથા તેમને દાન આપવા તત્પર બન્યો. તેમાં પૂજા એટલે આવે ત્યારે ઉભા થવું, વિનય કરો અને દાન એટલે વસ્ત્ર-પાત્રાદિક સાધુ યેગ્ય પદાર્થ આપવા. હવે તે તપસ્વી જૈનમુનિએ કોઈક વખત શાળ્યાદિક અન્ય મતવાળા બીજા ધર્મનું ખંડન કર્યું તથા બસ-સ્થાવર જીવોની હિંસા થવા રૂપ અધિકરણની કથા કરી. સાચા માર્ગના દ્રષી ખોટા માર્ગને ઠસાવનારા છે, તેમને ત્રસ, સ્થાવર જીવોનું જ્ઞાન હેતું નથી. તેમના મતમાં આ જીવોની હિંસાના રક્ષણનો ઉપાય બતાવ્યું નથી. આ સાંભળીને તે રાજા તે જૈનમુનિ તરફ અનાદરભાવવાળે અને ધર્મ પ્રત્યે અવળા માનસવાળો થયે કે, આ ભૂખંજન જણાય છે કે, બીજાં દર્શન તરફ ઈષ્યના ભારથી પરવશ બની જાય છે. (૯૦૦) તે તપસ્વી મુનિએ ગીતાર્થ આચાર્યને આ હકીકત નિવેદન કરી કે, “આ રાજા અમારી સાચી હકીકતની પ્રરૂપણ સાંભળી વિપરિણામવાળો થયો.” કેઈક સમયે તે આચાર્ય તે રાજાની પાસે આવી પહોંચ્યા. રાજાના મનોગત ભાવ જાણીને ગીતાર્થ આચાર્ય ભગવંતે રાજાના કેઈ વખત પૂછેલા પ્રશ્નને કેવી રીતે અને શું ઉત્તર આપ્યો? તે કહે છે-“હે ભગવંત! તત્ત્વ શું છે?” ત્યારે ગુરુએ કહ્યું કે-“તત્વ તો અતિગંભીર છે અને પોતે જાતે જાણવું અશક્ય છે.” ત્યારે રાજાએ કહ્યું કે-અતિગંભીર હોવાથી જાણવું અશક્ય છે, તો આપ મને સમજાવો.” ગીતાર્થ ગુરુએ કહ્યું કે, તો પછી સાવધાન થઈને સાંભળો– સ્વસ્તિમતી નામની નગરીમાં કેઈક બ્રાહ્મણપુત્રીને એક સખી હતી. સમય જતાં બંનેનાં લગ્ન થયાં, એટલે સ્થાનને ભેદ પડ્યો. કોઈક સમયે તેની સખીને બ્રાહ્મણપુત્રી સુખી હશે કે દુઃખી હશે ? એવી ચિતા ઉત્પન્ન થઈ. ત્યાર પછી પિતે જ મહેમાન તરીકે ત્યાં ગઈ અને સખીને દેખી, તે સખીને ચિતાવાળી દેખી. ત્યાર પછી ચિંતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy