SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનયોગ [ પ૨૯ તેવી રીતે તેવા આત્માને ધ્યાનયોગ દ્વારા સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે. શૈવમતના જે વિદ્યા, મંત્રાદિ તેના સંન્યાસીએ ઉપદેશેલાં હતાં, તે સર્વ વિદ્યા, મંત્ર, તંત્ર, રક્ષાદિકને અતત્ત્વ સ્વરૂપ ગુરુએ જ્યારે સમજાવ્યાં, ત્યારે તે રાણીએ સમ્યમ્ દર્શનના યોગે અતત્વ સ્વરૂપે દેખ્યાં. હવે તેના ચિત્તમાં બે પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે-“પૂર્વે મેં આ ધ્યાનમાગ પ્રમાણરૂપે સ્વીકાર્યું હતું, પરંતુ તે અપ્રમાણુ સ્વરૂપ નીકળ્યો. રખેને આ પણ એ પ્રમાણે અપ્રમાણુરૂપ થાય-એવી શંકા થતાં ગુરુમાં જ્ઞાન, ક્રિયા તેમ જ ઉપશમાદિ ગુણોને અનન્ય-અસાધારણ દેખતાં પિતે દઢ સમ્યક્ત્વની શ્રદ્ધાવાળી બની અને વિચારવા લાગી કે, “ આ ગુરુ સત્ય છે.” ફરી પણ રાણી ગુરુમહારાજને પ્રશ્ન કરવા લાગી કે હે ભગવંત! તત્ત્વ શું ?” ત્યારે ગુરુએ કહ્યું કે- જે કાળે જે ઉચિત અનુષ્ઠાન કરવાનું હોય, તે કાળે ઉચિત ધ્યાન, અધ્યયન, દેવતા-પૂજાદિક, સાધુ-દાનાદિક કાર્યો ત્યારે કરવાં–એવા લક્ષણવાળું અનુષ્ઠાન કરવું. (૮૯૪) આથી વિપરીત કરવાથી નુકશાન થાય છે, તે કહે છે–ઉચિત પણ વગર આ અનુષ્ઠાન કરવામાં આવે, તો છાત્ર શિખાઉ વિદ્યાથી રત્નની પરીક્ષા કરે, તેના સમાન જાણવું. ઘણા ભાગે ગ્ય આત્મા સિવાય બીજાને ઈષ્ટ ફળની પ્રાપ્તિ હમેશાં વિજ્ઞભૂત થાય છે. એટલે અધકચરો શીખેલ વિદ્યાર્થી દુઃશક ફલની સિદ્ધિ કરવા સમર્થ બની શકતો નથી. (૮૫) રત્નપરીક્ષા શીખનાર છાત્ર રત્નની પરીક્ષા-વિષયક ઉદાહરણને વિચાર કરાય છે – ઉત્તમ રત્નોનાં બનાવેલાં કંઠાભરણ આદિ લક્ષ્મી ફળ આપનાર થાય છે-એમ પત્નીએ કહેલ વાક્ય સાંભળીને કેઈક વિદ્યાર્થી પ્રથમ બીજા જીવનેપાય છેડીને, રનની પરીક્ષા કરવામાં આદરવાળો થયે. એટલે ખાવા-પીવા, લુગડાં, ઘર વગેરેથી ચૂક્યો અર્થાત્ રખડ્યો. (૮૯૬) એ જ પ્રમાણે ધ્યાનથી મોક્ષ છે” એ વચન સાંભળીને પ્રથમ કાર્યો જે ગુરુને વિનય, શાસ્ત્રાભ્યાસ, કહેલાં બીજા અનુષ્ઠાન-એ સર્વ ઉચિત કાર્ચે છોડીને માત્ર એકલા ધ્યાનમાં એકાગ્ર બને, તે ઉચિત એવા સર્વ થી નક્કી તે ચૂકી જાય છે. અહિં કહેવાને એ અભિપ્રાય છે કે– જેને સંપૂર્ણ ભોજન, કપડાં, રહેઠાણ ઈત્યાદિ સુખ પ્રાપ્ત થયેલાં હય, એ પુરુષ વિશેષ વૈભવ મેળવવાની અભિલાષા કરે, તેણે રત્નપરીક્ષા કરવી ઈત્યાદિ વાત બરાબર છે, તેમ અહિં સમગ્ર સાધુના સમાચાર પાલન કરવા પૂર્વક તેમજ ધર્મધ્યાન અને શક્તધ્યાનને ચગ્ય સૂત્ર અને અર્થોને સારી રીતે જેણે અભ્યાસ કરેલો હોય, શાસ્ત્રકારે કહેલાં બીજાં અનુષ્ઠાનેને પણ બાધા ન પહોંચે, તેમ આગળ જણાવી ગયા, તે ધ્યાન, કહેવાય. શ્રાવકે હાય, તેમણે પણ શ્રાવકૅચિત બાકીનાં કહેલાં અનુષ્ઠાનેનું સેવન, એવી રીતે કરવું કે, બીજા ધર્માનુષ્ઠાને હરકત ન પહોંચે-તેવી રીતે નમસ્કારાદિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy