SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ગંભીર તવ-વિચારણા [ ૫૩૧ કારણ પૂછયું. સખીએ પણ પોતાની વીતક વાત શરુ કરતાં જણાવ્યું કે, ખરેખર મેં કંઈક એવા પાપ કર્યા હશે, જેથી પતિને હું દુર્ભાગા નીવડી–અર્થાત્ પતિ મારી સાથે સ્નેહભાવથી વર્તતા નથી, પણ મારી તરફ અણગમાવાળા છે. સખીએ કહ્યું કે, તું ન કરીશ, હું તારા પતિને બલદ બનાવી દઈશ. પેલી એક જડીબુટ્ટી સમાન એક મંત્રેલી મૂલિકા આપીને પિતાના સ્થાને ચાલી ગઈ. એટલે પેલી સખીએ એ મૂલિકાનો પ્રયોગ એટલા માટે કર્યો કે, “આટલા કાળ સુધી મને અપ્રીતિથી અપમાનિત કરી, તે તેનો બદલો લઉ. એ અભિપ્રાયથી તેને ચૂર્ણાદિ મિશ્રણવાળો માંત્રિક યુગ કર્યો અને પતિના ઉપર અજમાવ્યો. ‘મણિ, મંત્ર, ઔષધિઓને પ્રભાવ કેઈ અચિન્ય હોય છે.” એ પ્રમાણે પિતાના ભર્તારનું બળદમાં પરિવર્તન થઈ ગયું. પિતાના પતિની સેવા પ્રકારની અવસ્થા દેખીને તે વિલખી થઈ, કાયર બની ગઈ. ચિંતા કરવા લાગી કે, “હવે આ પાછો બળદમાંથી પુરુષ ક્યારે થશે?” ત્યાર પછી તેને જંગલમાં ચરવા લઈ જવા માટે કેટલીક ગાય એકઠી કરી. પત્ની તેની પાછળ પાછળ ભ્રમણ કર્યા કરતી હતી. કોઈક સમયે એક વિદ્યાધર–યુગલ વડલાની શાખાનું અવલંબન કરી રહેલું હતું, ત્યારે તેમના જેવામાં આ કૃત્રિમ બળદ આવ્યા. પિતાની ભાર્યાને વિદ્યાધરે કહ્યું કે, આ સ્વભાવે મનુષ્ય છે, પરંતુ તેને બળદ બનાવ્યું છે. તેને પેલી વિદ્યાધરીએ પૂછ્યું કે, ફરી આ મનુષ્ય કેવી રીતે બનશે ? તેણે કહ્યું કે, મૂળિયાથી. વિદ્યાધરીએ પૂછયું કે, “આ મૂલિકા ક્યાંથી મળી શકશે?” (૯૦૪) વિદ્યાધરે કહ્યું કે, “આ જ વડલાની નીચે મૂળમાં જ તે છે.” એમ કહીને વિદ્યાધર-યુગલ અદશ્ય થયું. આ સમગ્ર વૃત્તાન્તને વડ નીચે બેઠેલી બળદની પત્નીએ સાંભળી લીધી. ત્યાર પછી તે ઘરે પાછી ગઈ. ચિંતા કરવા લાગી કે, “આ મૂલિકા કેવી રીતે મેળવવી? છેવટે તે સ્ત્રીએ એવે સંકલ્પ કર્યો કે, અહિં જેટલી વિવિધ વનસ્પતિઓ છે, તે સર્વ કાપી કાપીને તે બળદને ચારી તરીકે ખવડાવું-તેમ કરવા લાગી. એમ કરતાં તે મૂલિકા બળદના ખાવામાં આવી ગઈ, તે મૂલિકાના ભક્ષણથી ફરી તે માનવ બની ગયો.” આ ન્યાયથી અહિં ગંભીર તત્વવિચારના ચાલુ અધિકારમાં આ ધર્મરૂપી મૂલિકા એટલા માટે મેળવવાની જરૂર છે કે, વિપરીતજ્ઞાનરૂપી પશુભાવને પલટાવવામાં જે સમર્થ છે, માટે અત્યાર સુધી તે લોકમાં વત રહેલા દેવ, ગુરુ અને ધર્મો અનેક પ્રકારના છે, તેના વિષયક સમ્યગ જ્ઞાનના અભાવમાં અત્યારે તે સામાન્યથી અહિં સર્વ દેવતાના આરાધના રૂપ ધર્મતત્ત્વ સાધવાનું છે. જે દેવાદિકે જેટલી ઉચિત પ્રતિપત્તિપૂજાને યોગ્ય હેય, તેટલી પ્રતિપત્તિ કરવી અને તે પણ શિષ્ટકમાં રૂઢ હોય, તેવા વિભવ ઉપાર્જનાદિ ન્યાયનું ઉલ્લંઘન થતું નથી, તેમ અવિરોધપણે તે ધર્મ, દેવ, ગુરુની આરાધના કરવામાં પ્રયત્ન કરવો. જેમ બળદપણું ચાલ્યું જવાથી મનુષ્ય થયે, તેમ અહિં સંસારી૫ણા રૂપી બળદાણાને હાસ થયે અને જીવરૂપી મનુષ્યપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy