SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ઉપદેશપદ-અનુવાદ વિક લાલ કાંતિવાળા હોઠ સફેદ કમલમાં રહેલ લાલ ઉત્પલકમલના ગુચ્છા રહેલા હોય તેમ શોભતા હતા. તેના કર્ણો નેત્ર-નદીના પ્રવાહને રોકવામાં કુશળ હોય તેમ તથા ભ્રકુટી રૂપ ધનુષવાળા કામદેવ-પારધીના જાણે પાશ હોય તેમ શોભતા હતા. ખરેખર આના દેહમાં જે જે અવયવો દેખાય છે, તે તે સર્વે ક૯પવૃક્ષની લતા માફક મનની નિવૃત્તિ-શાંતિ કરનારા છે. કન્યાએ કુમારને દે, એટલે ઉભી થઈ આસન આપ્યું. ત્યાર પછી પૂછયું કે, હે સુંદરી! તું અહિં કેમ નિવાસ કરે છે?” લજજા અને ભયથી રુંધાઈ ગયેલા સ્વરવાળી તેણે કહ્યું કે, “હે મહાભાગ્યશાળી! મારો વૃત્તાન્ત ઘણો મોટો છે, હું જાતે કહેવા સમર્થ નથી; તે હવે તમે જ તમારો વૃત્તાત કહો. આપ કેણું છે ? અને અહિં ક્યાંથી પધાર્યા છે ?” આ સાંભળીને તેની મધુર કોયલની સરખી કોમલ અતિ નિપુણતાથી બોલવામાં કુશળ એવી વાણીથી પ્રભાવિત થયેલો કુમાર યથાસ્થિત હકીકત કહેવા લાગ્યો કે, “હે સુંદરી ! પંચાલ દેશના સ્વામી બ્રહ્મરાજાને હું બ્રહ્મદત્ત નામને પુત્ર છું અને કાર્યવશ હું અરણ્યમાં આવી પહોંચેલો છું.” તેનું વચન સાંભળતાં જ જેનાં નેત્રપ હર્ષાશ્રુથી પૂર્ણ થયાં છે, સર્વાગે રોમરાજીને કંચુક ધારણ કર્યો છેએવી સૌમ્ય વદનવાળી કુમારી કુમારના ચરણ-કમલમાં પડી અને એકદમ રુદન કરવા લાગી. એટલે કરુણાના સમુદ્ર સરખા કુમારે વદન-કમલ ઊંચું કરીને કહ્યું કે, “કરુણતા પૂર્ણ રુદન ન કર અને આકંદનનું યથાર્થ જે કારણ હોય તે જણાવ.” અશ્રુભીની આંખો લૂછીને તે કહેવા લાગી કે, “હે કુમાર ! ચલણીદેવીના ભાઈ પુષ્પચૂલે મારો વિવાહ તમારી સાથે જ કરેલો અને તમને જ હું અર્પણ કરાયેલી છું. તેમ જ હું પુષ્પચૂલ રાજાની જ પુત્રી છું. ત્રીજા દિવસે મારું લગ્ન થનાર છે, તેની રાહ જોતી હું ગૃહઉદ્યાનની વાવડીના કિનારે વિવિધ પ્રકારની કીડા કરતી હતી, ત્યારે કેઈક અધમ વિદ્યારે મારું હરણ કર્યું. બંધુ આદિના વિરહાગ્નિથી બળઝળી રહેલી હું જેટલામાં અહીં રહેલી છું, તેટલામાં અણધારી સુવર્ણની વૃષ્ટિ થવા માફક મારા પુણ્યોગે ક્યાંયથી પણ તમે આવી પહોંચ્યા. હવે મને સંપૂર્ણ જીવવાની આશા બંધાઈ. કુમારે પૂછ્યું કે, “તે મારે શત્રુ ક્યાં છે? હું પણ તેના બેલની પરીક્ષા કરું.” કુમારીએ કહ્યું કે, તેણે મને પાઠસિદ્ધ શંકરી નામની વિદ્યા આપી કહેલું કે, “આનું સ્મરણ માત્ર કરવાથી પરિવાર પ્રગટ થઈ કહેલું કાર્ય કરશે અને શત્રુથી રક્ષણ કરશે. વળી તે મારે વૃત્તાન્ત પણ તને જણાવશે, માટે તારે આનું સ્મરણ કરવું. તે ભુવનની અંદર નાટ્યમત્ત નામથી પ્રસિદ્ધ છે. મારી અધિક પુણ્યાઈના કારણે મારું તેજ સહન ન કરી શકવાથી વિદ્યાસિદ્ધિ માટે મને આ મહેલમાં મૂકીને ગયો છે. પિતાની બહેનોને “વિદ્યા સિદ્ધ થઈ છે” એમ જણાવવા માટે વિદ્યા મોકલીને હમણાં જ તેણે વાંસની ઝાડીમાં પ્રવેશ કર્યો છે. આજે તેને વિદ્યા સિદ્ધ થવાનો દિવસ છે, એટલે તે મને આજે જ પરણશે.” ત્યારે કુમારે કહ્યું કે, તેને તો મેં આજે જ હર્યો છે. હર્ષથી વિકસિત થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy