SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ ] ઉપદેશપદ-અનુવાદ પિતે સેવા કરે, સાપની ગતિ માફક ધર્મની ગતિ સૂકમ છે અને તેની પાછળ ગતિ છે, તે બહુ કઠિન છે.” (૮૮૭) ૮૮૮–સમ્યગદર્શનાદિક નિર્વાણના માર્ગમાં કોઈક તેવા ભવ્યાત્માને તેના ભાવને અનુસરીને એટલે કે, જે આત્માને પ્રતિબંધ કરવો હોય, તેના મનના પરિણામ કોમળ, આકરા કે મધ્યમ છે અને તેની સાથે સામલક્ષણ ભાવથી–પ્રધાન સામનીતિથી કામ લેવાય તો પ્રતિબોધ કરવારૂપ કાર્યસિદ્ધિ થાય છે. તે માટે કહેલું છે કે–“જે કે, સાધ્ય કાર્ય સિદ્ધ કરવા માટે ચાર ઉપાયે કહેલા પ્રસિદ્ધ છે. સામ, દામ, દંડ અને ભેદ. પરંતુ ત્રણનું તે નામ માત્ર જ ફલ છે. સામનીતિમાં જ સિદ્ધિ પ્રતિષ્ઠિત થયેલી છે. તથા “અતિતીવણ દાવાનળ વૃક્ષને બાળી તો નાખે છે, તો પણ તેના મૂળનું રક્ષણ કરે છે. ( જેથી તેમાંથી વૃક્ષ ઉભું થાય છે ), પરંતુ કમળ, શીતળ એવો જે વાયર હોય, તે વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખે છે.” (કે જેમાંથી ફરી વૃક્ષને ઉગવાને અવકાશ જ નથી.) ત્યારે જે જ્ઞાની પુરુષ હોય, તે તેવા ધર્મ પામી શકે તેવા આત્માઓને સમ્યક્ત્વ-બીજાધાન પામવાની યેગ્યતાવાળા એવી રીતે સમજાવીને કરે કે, તેઓ ધર્મની પ્રશંસા કરે. વળી તેમના કુલકમથી અનિંદિત એવા શિષ્ટજન ઉચિત જે આચાર હોય કે ન્યાયથી વૈભવ મેળવતા હોય, તેવા અનુષ્ઠાનની પ્રશંસા કરીને ધર્મ પમાડવા પ્રયત્ન કરે. (૮૮૮) આ વિષયનું દષ્ટાંત કહે છે – - ૮૮–શાસ્ત્રમાં એમ સંભળાય છે કે-કેઈક રાજપત્નીને ચિત્તવૃત્તિના નિરોધરૂપ ધ્યાનગ્રહને દઢ આગ્રહ થયો હતો અને તેને તે રૂપે ધર્મમાર્ગમાં જોડેલી હતી, તથા અસંસી-કાનનો કાચો અને ઘણા મતો સાંભળનાર અને તે પ્રમાણે તે મતમાં જોડાએલ હતા, પરંતુ તે બંનેને કેઈક પૂર્વાચાર્યોએ તેના ભાવને અનુરૂપ ઉપદેશ આપી માર્ગમાં જોડ્યા. (૮૮૯) નવ ગાથાઓથી દષ્ટાંત કહે છે– ૮૯૦ થી ૮૯૮-કઈક રાજાની પત્નીને સ્વાભાવિક મોહની મંદતા થવાથી સંસારનો કંટાળો આવ્યો. “વૃદ્ધાવસ્થા, મરણ, દુર્ગતિ, વ્યાધિઓની વાત તો બાજુ પર રાખીએ, પરંતુ હું એમ માનું છું કે, ધીર પુરુષો માટે આ જન્મ એ ઘણી લજજા ઉત્પન્ન કરનાર છે. ઈત્યાદિ વચનો સાંભળીને ભાવથી ઉદ્વેગ પામી. ત્યારે સંસારને નિઃસાર માનતી સંસારરૂપ કેદખાનામાંથી બહાર નીકળવાને ઉપાય શોધતી એવી તેણે કયાંયથી સાંભળ્યું કે, “ધ્યાનથી મોક્ષ થાય છે. એટલે ગ્રહને વળગાડ વળગે હોય, તેમ ધ્યાનમાર્ગમાં અતિશય આગ્રહવાળી બની ગઈ. કેઈક સમયે શૈવમતાનુ યાયી સંન્યાસીને તેણે પૂછયું કે, “ધ્યાનમા કેવો હોય ?” શૈવપંથના સંન્યાસીએ તેને કહ્યું કે, ચાર પાંખડીવાળા નાભિરૂપ કમળની અંદર કાશકુસુમ-સમાન ઉજજવલ દેહવાળા, ચંદ્રખંડથી મંડિત મસ્તકવાળા, ત્રણ નેત્રવાળા, ત્રીજા નેત્રમાં પ્રવર્તતી અગ્નિજવાલાઓથી જેમણે સમગ્ર દિશા–વલય પ્રકાશિત કર્યા છે, જેમણે અર્ધ દેહથી પિતાની પ્રાણુપ્રિયા પાર્વતીને ધારણ કરી છે–એવા શિવનું ધ્યાન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy