SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-વિધિ-કથન શાસ્ત્રની જેમ પ્રાપ્ત કરતા નથી. (૮૮૩) હવે લેાકેાત્તર દૃષ્ટાંત દ્વારા લૌકિક પદાર્થનું સ્વરૂપ કહે છે— વૃક્ષ, ઘડા, પટ વગેરે શબ્દોથી અહિં માત્ર લિંબડા, આંખેા, માટીના કે તાંબાના એવા વિશેષ વગર આપણને સામાન્ય બુદ્ધિ થાય કે, આ ઝાડ, આ ઘડા, આ વસ્ર છે, પરંતુ વૃક્ષના બીજા ઉત્તરગુણુરૂપ કંદ, મૂળ કે ડાળી અથવા જાંબુનું કે આંબાનું વૃક્ષ એમ વિશેષજાણપણું ન થાય, એટલે વળી જાણવાની આકાંક્ષા થાય કે, જા'બુનુ` કે કેરીનું વૃક્ષ, તાંખાના કે માટીના ઘડા, ત્યારે ઉત્તર એટલે પછીના ધર્મો જાણવાની જિજ્ઞાસા જેમાં ઉભી રહે એવી બુદ્ધિ થાય. જેમ કે, સર્વ ભૂતાની હિંસા ન કરવી એ વગેરે શબ્દો પદાર્થ, વાકયા આદિ પ્રકારો વડે અશકિતપણે પેાતાના અને પ્રતિપાદન કરનારા થાય છે. તે જ પ્રમાણે વૃક્ષાદિક શબ્દો પણ પદ્મા, વાકયા, મહાવાકચા, ઐ‘પય વિષયક ભાવને પામેલા શ્રોતાના મનને પૂર્ણ પણે પ્રતીતિ-વિશ્વાસ કરાવનાર થાય છે. તે આ પ્રમાણે—દૂરથી ડાળી, પાંદડાં વગેરે યુક્ત પદાર્થ દેખીને કોઈક પુરુષ બીજા કાઇકને કહે કે, ‘આગળ વૃક્ષ રહેલું છે.' તે સાંભળીને શ્રોતાએ શબ્દા રૂપ પદાર્થ સાંભળ્યા. હવે તેમાં આગળ શકા કરી કે, ‘આ વૃક્ષ તેા છે, પરંતુ આંબે છે કે લિંબડા ?’ એવા રૂપે શંકા કરવામાં આવે, તે વાકયા. ત્યાર પછી અમુક પ્રકારના પ્રતિવિશિષ્ટ આકાર દેખીને આ આંખે જ છે, અથવા તે લિખા છે એવા પ્રકારના ચાક્કસ વિશ્વાસ થાય, તે મહાવાક્યા. અને નિ ય થયા પછી કેરી ફળના અર્થીએ ત્યાં જવાના પ્રયત્ન કરવા, તે રૂપ ઐદપ અર્થ સમજવા, (૮૮૫) ઉપસ'હાર કરતા કહે છે— [ પરપ ૮૮૬-વ્યાખ્યાનવિધિ-કથન વિષયક વિસ્તાર કરવા હવે બધ કરીએ છીએ. મડલીના સ્થાનમાં પ્રમાજના કરવી-કાજો લેવા એ વગેરે વિધિ આગમ શ્રવણ કરનાર શ્રોતાએ નક્કી કરવી જ જોઇએ. સમ્યગજ્ઞાન ગ્રહણ કરવાના લક્ષ્યવાળા આત્માએ આજ્ઞાયાગરૂપ વ્યાખ્યાન વિષે જે આચારનું પાલન કરવાનું કહેવુ છે, તે પણ અહિં સાથે સમજી લેવું. (૮૮૬) જ્ઞાનવાળા હોય તે જે કરે છે, તે કહે છે ૮૮૭—વિધિપૂર્વક શાસ્રના આધ જેણે મેળવ્યેા હાય, તેવા જ્ઞાની પુરુષ અનેક વિધ્નાથી સ્ખલનાવાળુ` કા` આવી પડે, તે પણ ધર્મારાધનરૂપ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ મેળવે છે. કેવી રીતે ? તે કે-તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્રાદિ સ્વરૂપ વર્તન કરવા રૂપ ઉપાચા પાતે શાસ્ત્રાધારે જાણેલા હોય, જેથી બીજા ધર્મકાર્ય માં હરકત ન આવે, તેવી રીતે ઈચ્છેલા ધર્મ કાર્યની સાધના કરે. બીજા ધર્મને હાનિ પહોંચે, તેવા ધર્મ ધર્મરૂપતાને પામતા નથી. તે માટે કહેલુ` છે કે, “સપુરુષોએ તેને જ ધર્મ માનેલે છે કે, જે ધર્મને ખાધા-હાનિ પહોંચાડતા નથી, વિરોધ વગરના જે ધમ ાય, તે જ ધર્મ કહેવાય. તથા વેદના જ્ઞાતા જનની વેદશાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy