SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ] ઉપદેશપદ–અનુવાદ લોચ કરવાની વિધિ પણ કહેલી છે. “સાધુઓને લાચ, સ્થવિરોને વર્ષાકાળ એટલે સંવત્સરી–સમયે, તરુણેને ચાર-ચાર મહિને અને વૃદ્ધોને છ-છ મહિને” ઈત્યાદિક વિધિ કહે છે. માટે જિને દેશ-વિધિથી યત્ન કરે–એ મહાવાક્યનો સ્વભાવ સમજ. ત્ય, લોચ, નદી ઉતરવી એ ભગવંતની કહેલી વિધિ અનુસાર કરવા તે મહાવાક્યર્થનું સ્વરૂપ સમજવું. જેમાં પૂર્વ માં શંકા કરી હોય, તે શંકાના પરિહારરૂપ આ મહાવાક્ષાર્થને સ્વભાવ સમજો. (૮૬૭) મહાવાક્યાથને પૂર્વાર્ધથી ઉપસંહાર અને ઉત્તરાર્ધથી એદંપર્યાને જણાવતા. ૮૬૮–આ પ્રમાણે આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવે, તે આ હિંસા ઉત્તરોત્તર અનુબંધ થતા હોવાથી–મોક્ષપ્રાપ્તિ રૂપ તેનો છેડો આવતો હોવાથી પરમાર્થથી આજ્ઞા કરેલી જ ગણાય છે. મોક્ષ-પ્રાપ્તિ કરવા રૂપ જિનાજ્ઞા અટકેલી નથી. અહિં દંપર્ય એ સમજવાનું કે, ધર્મમાં સારભૂત હોય તે આજ્ઞા છે. (૮૬૮) ૮૬–આગળ કહેલા પદાર્થની જેમ “ગ્રન્થનો ત્યાગ કરવો” આ વચનમાં પદને અર્થ પ્રસિદ્ધ અને જાણીતું છે, તે બતાવતા કહે છે કે કોઈ પણ વસ્તુ પરિગ્રહના વિષયભૂત ન બનાવવી, ચાહે તે ચેતનવાળી હોય કે ચેતન વગરની હેય. એવા શિષ્ય કે વસ્ત્રાદિને–વસ્તુને પરિગ્રહરૂપ ન ગ્રહણ કરવા. (૮૬૯). ૮૭૦–ગ્રન્થ એટલે શિષ્ય, વસ્ત્રાદિ રૂપ ગ્રન્થ, જે આગળ પદાર્થરૂપે ત્યાગ કરવાનું કહે છે. તે રૂપ વચનથી જે ભાવસાધુઓ છે, જેમને પિતાના શરીર માત્રમાં પણ સાપેક્ષતા-પૃહા-મમત્વભાવ રહેલો નથી, તેમનાથી વસ્ત્ર, પાત્ર, શિષ્ય વગેરે ગ્રહણ કરી શકાય નહિ-એમ નક્કી થયું. આ વસ્ત્રાદિને અગ્રહણ કરવા રૂપ પદાર્થ–પદને અર્થ છે. તે કારણે તે વસ્ત્ર ગ્રહણ કર્યા–એટલે મિથ્યાત્વાદિ રૂપ ગ્રન્થ-ગ્રહણ જ થયું ગણાય. કેવી રીતે? તે કહે છે-જેનાથી આત્મા નરકાદિક દુર્ગતિનો અધિકારી થાય, તે અધિકરણ એટલે અસંયમ, તેની વૃદ્ધિ થવાથી, રજોહરણ વગેરે ઉપધિ સાધુ ન રાખે, તે જિનકલિપક સાધુઓને પણ અસંયમની વૃદ્ધિ થાય છે. આ વાક્યર્થ છે, જેમ કે, સર્વથા ગ્રન્થ-ત્યાગ કલ્યાણકારક નથી, આગળ જે “ગ્રન્થને ત્યાગ કરે” ઈત્યાદિક વચનથી. (૮૭૦). ૮૭૧–આજ્ઞાને બાધા થાય, તેમ ભગવાનના વચનને ઉલ્લુઘીને વસ્ત્રાદિક ન ગ્રહણ કરવાં. કેવા પ્રકારની આજ્ઞા ? જિને એટલે અવધિજિન, મન:પર્યવ જિન, કેલિજિન, ઈત્યાદિ જિને કહેલા છે. તેવા “જિનોને બાર પ્રકારનાં ઉપકરણે હય, સ્થવિરેને ચૌદ પ્રકારનાં, આર્થીઓને પચ્ચીશ પ્રકારનાં ઉપકરણો રાખવાની આજ્ઞા છે. તે ઉપરાંત ઉપકરણ રાખે, તો તેને ઔપગ્રહિક” ઈત્યાદિ. તે પ્રમાણે આઝા-વચનનું ઉલ્લંઘન કરીને, તથા અધિકરણની વૃદ્ધિ થવાના ભયથી વસ્ત્રાદિકનું ગ્રહણ કરવું સુંદર નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy