SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થ એદપૂર્ય | [ ૧૧૯ એમ સમજવું. શું સર્વથા અગ્રહણ કરવું? એ અપિશબ્દને શબ્દાર્થ સમજવો. તે કારણથી આજ્ઞામાં વર્તવું–એ પ્રમાણે મહાવાક્યાથે સમજ (૮૭૧) ગાથાના પ્રથમાથી મહાવાક્યર્થને સમેટતા અને એદંપર્યને જણાવતા કહે છે– ૮૭૨–શિષ્ય, વસ્ત્રાદિ રૂપ ગ્રન્થનો ત્યાગ કરે એ કહેલું વચન, તથા એ પ્રમાણે આજ્ઞાનું અનુસરણ કરવા રૂપ અસંયમને પરિત્યાગ કરવાથી પરમાર્થથી તે ગ્રંથને ત્યાગ કરેલો જ ગણાય છે. જે કઈ પણ આજ્ઞાને અનુસરીને વસ્ત્રાદિક સંયમોપયોગી વસ્તુ ગ્રહણ કરવામાં પ્રવર્તી અને તેને કદાચિત કઈ પ્રકારે અસંયમ થઈ જાય, તે પણ વધારે પ્રમાણમાં બીજા ગુણોની આરાધના કરેલી હોવાથી ભાવથી અધિકરણનો ત્યાગ કરેલો જ છે. તેના માટે જ તેની સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્તિ હોવાથી અહિં પણ પદાર્થોદિમાં “ગ્રન્થને ત્યાગ કરે” એ વગેરેમાં ધર્મ વિષે “આજ્ઞા એ તત્ત્વ છે.” આ દંપર્ય સમજવું. (૮૭૨) ૮૭૩–પૂર્વે કહેલા પદાર્થની જેમ “મોક્ષની અભિલાષાવાળાએ તપસ્યા અને ધ્યાનાદિ કરવાં જોઈએ તેમાં સ્પષ્ટ પદને અર્થ આ પ્રમાણે કહે છે કે-છઠું અને કાઉસ્સગ્ન રૂપ તપ, ધ્યાન, કાયફલેશ આદિ વિધાન કરવાં જોઈએ. ધાર્મિક લોકમાં આ વાત સામાન્યથી રૂઢ થયેલી છે. અહિં એઘ-સામાન્ય શબ્દથી સમર્થ – અસમર્થન વિભાગ કર્યા સિવાય છઠ્ઠ તપ, કાઉસગ્ગ, ધ્યાન, કાયફલેશાદિક કરવા જોઈએ-એમ આઘે કહ્યું. (૮૭૩) ૮૭૪–તુચ્છ એટલે બાલ, વૃદ્ધ, રોગી, અસમર્થ હોય તેવા, અવ્યક્ત એટલે અગીતાર્થો, તેઓને એકલા બાલાદિક સિવાયના બીજાઓને જ આ છ{ તપ, કાઉસ્સગ્ન ધ્યાન કરવાનું છે, એમ નહિ-એ “અપિ શબ્દનો અર્થ છે” આ કહેલા વચનથી આ છડું, કાઉસગ્ગ વગેરે કરવાનું તેમને જ પ્રાપ્ત થયું. કારણ કે, તેઓ એટલે બાલાદિક મોક્ષની અભિલાષાવાળા છે, પરંતુ તુચ્છ અને અવ્યક્ત અર્થાત્ બાલાદિક અને અગીતાર્થોને જે તપ-ધ્યાનાદિક કરવું તે ન કર્યા બરાબર સમજવું. કેમ? તો કે, બાલાદિક પિતાની શક્તિનું ઉલ્લંઘન કરીને તપસ્યા, ધ્યાન, કાયફલેશાદિક અનુષ્ઠાન કરે, તેથી તેમને આધ્યાન થાય, તે તિર્યંચગતિ આદિ અશુભગતિ પમાડનાર થાય છે. તેથી તેને તપ વગેરે કરવાથી ઉલટું અનિષ્ટ ફળ આપનાર થાય છે. આ પ્રમાણે આ વાક્યર્થ સમજવો. (૮૭૪) ૮૭૫–ઉપર કહ્યા પ્રમાણે શક્તિ ઉલ્લંઘીને તેમ જ આજ્ઞાને અનુસર્યા વગર જે - તપસ્યા, ધ્યાનાદિક કરવામાં આવે, તે મહાન્ દોષ છે, માટે અહિં ધર્મના અધિકારમાં આગમનીતિથી અર્થાત્ આજ્ઞાનુસાર તપ–ધ્યાનાદિક અનુષ્ઠાન કરવામાં આવે, તો તે આત્માને ગુણ કરનાર–લાભ આપનાર થાય છે. આગમનીતિ આ પ્રમાણે છે – જે પ્રમાણે દેહને પીડા ન થાય, તેમ જ માંસ, લોહીની પુષ્ટિ ન થાય, જેમ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy