SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ] ઉપદેશપદ-અનુવાદ ઉપાર્જન કરવા માટે રાજસેવા, નેકરી વગેરે ઉપાયો કરીએ, તો પણ ધન-પ્રાપ્તિ થવી ઘણી દુષ્કર થશે. (૮૩૬) જે પ્રમાણે આ લૌકિક ઉદાહરણ થયાં હતાં, તે બતાવે છે– ૮૩૭–ચાર લાખ, બત્રીસ હજાર વર્ષ પ્રમાણવાળા કલિયુગને પ્રવેશ કાળ થયા પછી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ લક્ષણ ચાર પાંડે હાર પામ્ય છતે, તથા સે સંખ્યા પ્રમાણ દુર્યોધન વગેરે પિતરાઈઓના પુત્રોનો ઘાત કરવા લક્ષણ કથા વડે તે વખતે દરેક પહોરે જુદા જુદા પ્રારિક સ્થાપન કરવા લક્ષણ ચોથા યુગ-લસણ જે કલિકાલ-હવે વાત કઈક સ્પષ્ટ કરતા કહે છે-તે આ પ્રમાણે જે પાંડવોએ સમગ્ર કૌરવરૂપ કંટકોને ઉદ્ધાર (ઉચ્છેદ) કર્યો હતો અને જેમણે ઉપાર્જિત રાજ્ય લાંબા કાળ સુધી પાલન કરેલ છે, એવા તેઓ પાછલી વયમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, આપણે આપણું ગોત્રને ક્ષય કરવા રૂપ મહાઅકાર્ય આચર્યું છે; માટે હિમપથ નામના પ્રદેશમાં પ્રવેશ કર્યા વગર આપણુ પાપની શુદ્ધિ થવાની નથી–એમ વિચારીને તેઓ પાંચે ય રાજ્ય છોડીને હિમ પથ દેશમાં કોઈક વનમાં પહોંચ્યા. સંધ્યા-સમયે યુધિષ્ઠિરે ભીમ વગેરે ચારે ભાઈઓને અનુક્રમે એક એક પહોર સુધી વારાફરતી પ્રારિક તરીકે દેખરેખ રાખવા નિમણુક કરી. યુધિષ્ઠિરાદિક જ્યારે સૂઈ ગયા, ત્યારે પુરુષના રૂપમાં કલિ નીચે ઉતરીને ભીમ પ્રારિકની સાથે વાચિક યુદ્ધ કરવા લાગ્યો કે, પિતરાઈ ભાઈઓ, ભીષ્મ, ગુરુ, પિતામહ-દાદા વગેરેની હત્યા કરી, હવે તું ધર્મ કરવા તૈયાર થયો છે? ભીમ તેના વચનને સહન ન કરી શકવાથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જેમ જેમ ભીમ કેધ પામતો જાય છે, તેમ તેમ કલિ વૃદ્ધિ પામવા લાગે. એ પ્રમાણે કલિએ ભીમને પરાભવ કર્યો, એ જ પ્રમાણે બાકીના ભાઈઓને પણ પોતપોતાના પ્રહર–સમયે તિરસ્કાર પમાડ્યા અને તેઓને પણ કલિએ હરાવ્યા. હવે રાત્રિ ડી બાકી રહી, ત્યારે યુધિષ્ઠિર જાગ્યા, એટલે કલિ આવ્યો. ક્ષમાના બળથી કલિને હરાવ્યો. હરાવ્યા પછી તે કલિને શરાવલા-કેડિયાથી ઢાંકી દીધે. પ્રભાત-સમય થયો, ત્યારે ભીમ વગેરેને બતાવ્યો. તે કલિએ કહ્યું કે, યુધિષ્ઠિરે ક્ષમાના પ્રભાવથી મને જિત્યો છે. હું તેનાથી હારી ગયું છું. આ મારા અવતારથી તમને આ કુલનું વેર લાગેલું છે. તથા આવા જ બીજા એકને આઠ કૂપ અવાહ આજીવિકા વગેરે ઉદાહરણ આપી કલિએ પિતાની સ્થિતિનું નિરૂપણ કર્યું. (૮૩૭) ૮૩૮–આ પ્રમાણે કહેલાં ઉદાહરણની જેમ ઘણે ભાગે લેકે વર્તમાન દુઃષમાં કાળના પ્રભાવથી જેનમતમાં દરેક સાધુઓ અને શ્રાવકો, સાધ્વીઓ કે શ્રાવિકાઓ શાસ્ત્રોમાં કહેલા સુંદર આચારથી વર્તનારા નહિં થશે. પરંતુ ઉપયોગ -૨હિતપણે દેશોના સેવન કરનારા હોવાથી શાસ્ત્રથી પ્રતિકૂલ પ્રવૃત્તિ કરનારા થશે, માટે સારી રીતે જિનાગમ-શાસ્ત્રનો અભ્યાસ કરવાથી અને તેના આધારે આચાર પાલન કરનારા–આચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy