SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ ] ઉપદેશપદ-અનુવાદ પમાડે છે. તે પ્રમાણે માંદગી આદિ વગર કારણના સમયે પણ નિર્બળ કારણ આગળ કરીને જે સાધુઓ ધર્મથી વેગળા બની અપવાદમાગની નિષ્કારણ સેવન કરે, તે તે સર્વ અવસ્થામાં ચારિત્રને વંસ કરનાર થાય છે. (૮૦૦) આનાથી ઉલટી રીતે કહે છે– ૮૦૧–હવે લાપણાવાળી અવસ્થા અને તેના સરખા બીજા કારણેનાં આલંબનથી વિરુદ્ધ પદાર્થોનું સેવન થાય, તે પણ પરમાર્થથી તે અસેવનરૂપ જ સમજવું. કેમ ? તે કે, કારણે પ્રતિસેવન કરવામાં મનની પરિણતિ ભગવાનની આજ્ઞામાં વતે છે. ભગવતે આવી અસહાય અવસ્થામાં આમ કરવાનું ઉપદેશેલું છે. આજ્ઞા જેના હૃદયમાં વસેલી હોય અને તે કદાચ અપવાદે ષસેવન કરે, તે પણ તે શુદ્ધ મેક્ષને હેતુ છે. (૮૦૧). આ પ્રમાણે કારણસર પ્રતિસેવા કરવામાં આવે, તે પણ શુદ્ધભાવ મોક્ષને હેતુ છે–એમ દર્શાવીને અત્યારે અકૃત્ય એવા પદાર્થ કરવામાં આવે, તે પણ ભાવશુદ્ધિ પાપો ક્ષય કરનાર થાય છે. તે વાત લોકમાં પ્રસિદ્ધ એવા દષ્ટાંતથી કહે છે – ૮૦૨–લોક અને લોકોત્તર માગથી વિરુદ્ધ પદાર્થ સેવન કરવામાં આવે, તે પણ પશ્ચાત્તાપથી યુક્ત એવો નિષ્કપટ-શુદ્ધભાવ એટલે પરિણામ તે પણ પાપના ક્ષય કરનાર કારણ તરીકે સ્વશાસ્ત્રમાં અને બીજા મતવાળાઓનાં તીર્થોમાં સામાન્યથી ગણાવેલ છે. તેઓના શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે ઝાંઝવાના જળને તવરૂપ- યથાર્થ દેખતે, તેનાથી ઉદ્વેગ પામ્યા વગર કંઈપણ ખલના પામ્યા વગર તેની મધ્યમાંથી એકદમ પસાર થઈ ચાલ્યો જાય છે, તે પ્રમાણે ભેગોને પણ ઝાંઝવાના જળ સરખા સ્વરૂપથી માનતો અને અસંગપણે નિરાગ ચિત્તથી ભગવે, તે પણ તે પરમ-ઉત્તમગતિ મેળવે છે. લેકમાં ચોરનું ઉદાહરણ કહેલું છે, તેના અનુસારે. (૮૦૨) તે દષ્ટાંત હવે વિચારે છે – ૮૦૩ થી ૮૦–કોઈક સ્થાનમાં બે ચોરોએ પોતાના બંનેના ભંગ માટે સમાન માલિકીપણે દ્રવ્યની ચોરી કરી હતી. તેમાં એક ચાર પિતાના આત્માને અંતઃકરણથી ઠપકો આપતે કહે છે કે, “આવી ચોરીનું અકાર્ય કરનાર મને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી ચોરી સંબંધી થયેલા પાપનો ક્ષય થયો, એટલે તેને ચારપણાને અભાવ થયો. કેવી રીતે ? કોઈક તેવા નિમિત્તથી રાજપુરુષોએ તેમના ઉપર ચોરીની શંકા થવાથી પકડ્યા અને દિવ્ય કર્યું. તેમાં તપાવેલા લોઢાના અડદ અને તેવા બીજા પ્રકારે શુદ્ધિ કરી. ફરી પણ ગુદામાં શૂલી ભોંકી. આ વગેરે દેવતાના પ્રભાવથી તે ચોરને કશી આંચ ન આવી. તથા ચોરે વિવિધ પ્રકારનાં અકાર્ય કરેલાં અને પારકું દ્રવ્ય ભેગવવાના સમયે એકને ઘણો પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના કારણે ચારી સંબંધી ઉપાર્જન કરેલું પાપકર્મ વાઈ ગયું. ત્યાર પછી રાજસેવકોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy