SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા, ઉત્સગ અને અપવાદ [ ૪૯૭ દેવલોકમાં દેવ, પછી મિથિલા નગરીમાં દેવરાજા, ત્યાંથી આગળ પ્રથમ રૈવેયક ત્રણને વિષે દેવ, ત્યાંથી ચ્યવીને ગજજનસ્વામી, ત્યાંથી મૃત્યુ પામી મધ્યમ ત્રણ દૈવેયકમાં દેવ, ત્યાંથી ચ્યવી પંડ્રદેશમાં સુરરાજ નામને મહીપતિ, ત્યાર પછી ઉપરના રૈવેયકત્રિકમાં દેવ, ત્યાંથી બંગદેશમાં સુરરાજ નામનો રાજા, ત્યાંથી વિજય વિમાનમાં દેવ, પછી અંગદેશનો રાજા, ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ, ત્યાર પછી અયોધ્યામાં રાજા, ત્યાં દીક્ષા લીધી અને સિદ્ધિ પામ્યા. આ શંખરાજાના જીવે ઘણે ભાગે તે પ્રકારે “પાપ ન કરવાના નિયમથી ઉત્તરેત્તર એક ભવ કરતાં આગળ આગળના ભમાં ચડિયાતા ચડિયાતા કુશળ પુણ્યાનુબંધી પુણ્યના ગે ભવ પ્રાપ્ત કરી છેવટે મોક્ષની પ્રાપ્તિ કરી. (૭૯૪-૭૯૬). ૭૯૮–મનની શુદ્ધિવાળા પરિણામરૂપ આરાધના થવાથી આ દુષમા કાળમાં પ્રથમ આરાધક થયે, માટે આ ભાવારાધનામાં આજ્ઞાયાગથી આદર કરે. (૭૯૭) આ પ્રમાણે શંખરાજર્ષિનું કથાનક સમાપ્ત થયું. હવે ચાલુ અધિકારને આશ્રીને કહે છે – આવા આ દુઃષમા કાળમાં આવા શંખમુનિ સરખાઓને પણ ચારિત્ર સર્વ સાંસારિક પીડા દૂર કરનાર નકકી થાય છે. કોને ? ભવવિરક્ત એવા વૈરાગી આત્માએને આવા દુઃષમા કાળમાં પણ સર્વદુઃખ-મુક્ત કરાવનાર થાય છે. (૭૯૮) તથા– ૭૯૯–સંસારથી વિરક્ત બનેલા અને આજ્ઞા વિષે બહુમાન કરનારા, જિનવચન અનુસાર પિતાની શક્તિ પ્રમાણે તેમણે કહેલાં અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલા હોય. શા માટે ? તે કે- સર્વ કર્મને એકાંત ક્ષય કરવા માટે કર્મક્ષયની ભાવના વગર તે ચારિત્ર ગણાતું નથી. તેઓનું ચારિત્ર અખલિત રૂપ સમજવું. જેઓ સંસારને-ચારે ગતિનો ભય પામ્યા નથી, સંસારને સાચે વૈરાગ્ય પામ્યા નથી, પ્રભુની આજ્ઞાના અનુરાગી બન્યા નથી, તેમના કહેલાં અનુષ્ઠાનોમાં પિતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી, કર્મનિર્જરાનું ધ્યેય રાખતા નથી, તેમને ભાવથી ચારિત્ર નથી. (૭૯૯) હવે જેઓ ભારીકર્મવાળા દુઃષમા કાળ, શરીરનાં નબળાં સંઘયણે એ વગેરેના આલંબન–ઓઠાં આગળ કરીને–તેનું આલંબન આગળ ધરીને પિોતે સહન કરવાની શક્તિવાળા હોવા છતાં તેવા પ્રકારના બીજા આજ્ઞાબાહ્ય એવા લોકોએ આચરેલું પ્રમાણ કરીને ભગવંતે નિષેધેલા આચારનું સેવન કરે છે, તેઓને જે નુકશાન થાય છે, તે બતાવે છે– ૮૦૦—તાલપુટ ઝેર, શસ્ત્રો, અગ્નિ વગેરે પદાર્થો મૂછ પમાડીને એકલા ચોથા આરામાં નહિ, પરંતુ આ દુઃષમા કાળરૂપ પાંચમા આરામાં પણ પ્રાણ છોડાવી મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy