SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતના, આજ્ઞાની આરાધના [ ૪૯૩ જ્યોતિષશાસ્ત્રો અને સુકૃત વગેરે વૈદકશાસ્ત્રોથી જેમ કાલજ્ઞાન તેમ જ રોગજ્ઞાન થાય છે, તેમ આ ગીતાર્થ મુનિવર યતનાવિષયક અન્ન-પાન આદિના પ્રતિષેધ શાસ્ત્રવચને દ્વારા જાણી શકે છે જ. (૭૭૪) તથા– ૭૭૫–કાયિક, વાચિક અને માનસિક આ ત્રણની ઉપયોગ-શુદ્ધિથી આહારપાણી ગ્રહણ કરવામાં પ્રવર્તેલ સાધુ હોય, તે જે સમયે ત્રણે કરણના ઉપયોગ–પૂર્વક આહાર ગ્રહણ કરે છે. તે વખતે તે સાધુના ઉપયોગના નિર્મલતા હોય છે. અને તેથી અશુદ્ધ-દોષવાળા આહાર–પાણીને બોધ જેમ તે ભાવસાધુને થાય છે અને તે બાધ પણ તદ્દન પરિશુદ્ધ-અખલિત સ્વરૂપવાળે થાય છે. તે પ્રમાણે અહિં યતના-વિષયમાં પણ પરિશુદ્ધ વિશેષ પ્રકારનું જ્ઞાન થાય છે, તેમ સમજવું. (૭૭૫) શંકા કરી કે, સર્વ જગો પર ધર્મના અર્થીઓ હોય, તેવા લોકોને દાન આપવા માટે રસેઈ પકાવવાની પ્રવૃત્તિઓમાં ઘણે ભાગે અનેષણીય, અકલ્પનીય, સાધુને દોષ લાગે તેવી સામગ્રીઓ ગૃહસ્થ તૈયાર કરે છે, જેથી તેમાં દોષની બહુલતા હોય છે. એષણનો વિવેક કરે, તે પણ તેનું યથાર્થ જ્ઞાન પામવું દુષ્કર છે, તે તેનું દષ્ટાંત અહિં કેમ જણાવ્યું ? એમ શંકા કરનારને કહે છે – ૭૭૨–પિડનિયુક્તિ આદિ આગમશાસ્ત્ર વિષે જેને અતિઆદર-બહુમાન હોય છે, એવા ચારિત્રવંત આત્માને આ અષણીય-દોષવાળું-અગ્રહણ યોગ્ય છે-એવું વિજ્ઞાન થવું દુર્લભ નથી. હવે કઈક દાન દેવાની બુદ્ધિથી છલના-કપટ કરીને અસૂઝતા આહાર સૂઝતા કપે તેવા રૂપે આપે અને જ્ઞાન ન થાય, તો તેમાં અનેષણીય ગ્રહણ કરવા રૂપ દોષ ગણાતો નથી. અંતઃકરણની નિર્મલતા રૂપ પરિણામની શુદ્ધિ હેવાથી. (૭૭૬) આ જ વાતને ઉલટાવીને સમજાવે છે – ૭૭૭–કહેલા લક્ષણવાળી યતનાથી વિપરીત સ્વરૂપ—અયતનાથી એકાંતભાવે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય વિપરીત બની જાય–અર્થાત્ મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર સ્વરૂપ બની જાય. કેવી રીતે ? તીર્થકર ભગવંતની આજ્ઞા, તે જયણું એ ધર્મ ઉત્પન્ન કરનારી માતા છે. એ રૂ૫ આજ્ઞાની અશ્રદ્ધા-અરુચિ કરવાથી, જેનેં યતનાની રુચિ હોય, તે યતનાનું ઉલ્લંઘન કરીને કદાપિ પ્રવર્તતે નથી, અને જે પ્રવતે, તે તેને તે યતનામાં શ્રદ્ધા નથી–તે વાત પ્રગટ છે. આ લેકમાં પણ કોઈ પણ પદાર્થની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર ગૌરવસ્થાન પામતો નથી. (૭૭૭) તથા— ૭૭૮–જે કારણથી ભગવંતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિને અનુકૂલ અન્નપાનાદિની ગવેષણ કરવા રૂપ કહેલું છે, ભાવવિશુદ્ધ એટલે ઔદયિકભાવને ત્યાગ કરીને ક્ષાપશમિક ભાવ-સહિત જ્ઞાનાદિક આરાધનાનું અનુષ્ઠાન કરવામાં આવે, તેમાં જેમ તેનું ફળ મળે છે, તેમ આ અનુષ્ઠાન પણ કહેલું છે. સાચો ઉપાય હોવાથી. (૭૭૮) માટે જ કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy