SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] ઉપદેશપદ-અનુવાદ પરંતુ છદ્મસ્થ આત્મા યતના-વિષયક દ્રવ્યાદિક જાણવા માટે સમર્થ થઈ શકતું નથી. એ શંકાના નિવારણ માટે કહે છે ૭૭૨–સમ્યગ્દર્શનાદિ ત્રણેયના પરિણામની ધારાનો પ્રવાહ અખંડિત એક સરખા સાનુબંધ-ચાલુ જ હોય છે. એ જ પ્રમાણે લાભ-નુકશાનની વિચારણું પૂર્વક વિરુદ્ધ એવા દ્રવ્યાદિક સેવન કરવામાં આવે, એ જ પ્રમાણે લાભ-નુકશાનની આલોચના વગર દ્રવ્યાદિક સેવન કરવામાં આવે, તો સમ્યગ્દર્શનાદિના પરિણામને પ્રવાહ ખંડિત થાય, અથવા નિરનુબંધ થાય–આ વસ્તુ જણાવી, તે અતીન્દ્રિય વસ્તુ જણાવી, તે કઈ અસવૈજ્ઞ-છદ્મસ્થ ન જાણી શકે–નિર્ણય કરી શકે, અતીન્દ્રિય પદાર્થને આ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે, તે સમ્યગદર્શનાદિ આ પ્રમાણે સાનુબંધ, આ પ્રમાણે નિરનુબંધ બની જાય. તેને નિર્ણય અસર્વજ્ઞ કેવી રીતે મેળવી શકે? (૭૭૨) આ પ્રમાણેની શંકાનું સમાધાન કહે છે– ૭૭૩–સર્વજ્ઞ ભગવંતનાં વચન-શાસન-આગમથી યથાર્થ પણે ઉત્સર્ગ–અપવાદથી શુદ્ધ એવા સર્વજ્ઞ-વચનને પરમાર્થ જેણે જાણેલ છે, એવા સાધુ વિશેષ તે ગીતાર્થ સાધુ એ પણ છદ્મસ્થ છતાં પણ જાણે છે. જેમ નાના ચિહ્નરૂપ ધૂમાડાથી ન દેખાતે અગ્નિ દેખાય છે, તેમ સ્કૂલબુદ્ધિવાળાઓને ન દેખાતા કે ન જણાતા પદાર્થો ચિહ્નોલિંગો દ્વારા ધૂમાડાથી જેમ અગ્નિનું જ્ઞાન થાય, તેમ સેવનાર અને સેવનીય દ્રવ્યાદિ અવસ્થા-વિશેષથી-નજીકના કારણથી પદાર્થ જાણી શકાય છે. મન, વચન અને કાયારૂપ કરણથી હંમેશાં ઉપગવાળા હોય, પ્રશસ્ત મૈત્પત્તિકી વગેરે બુદ્ધિ ધનવાળો ગીતાર્થ મુનિ હોય, તે જાણી શકે છે. જેમ કોઈક મહાબુદ્ધિશાળી રત્નનો વેપાર કરનાર રત્નપરીક્ષા-શાસ્ત્રાનુસાર બુદ્ધિથી રત્નમાં રહેલી વિશેષતાઓ બરાબર જાણીને તે જ પ્રમાણે તેનું મૂલ્ય આંકે છે, એ પ્રમાણે ગીતાર્થ મુનિવર પણ શાસ્ત્રાનુસાર વ્યવહાર કરતાં કરતાં કોઈ વખત વિષમ અવસ્થામાં આવી પડ્યો હોય, તે પણ સમ્યગદર્શનાદિ વૃદ્ધિ કરનાર એવા દ્રવ્યાદિક-વિશેષને સેવન કરવા રૂપે જાણી શકે છે. ગર્દભિલ્લરાજાએ હરણ કરેલ પોતાની સાધવી બહેનને કાલિકાચાયૅ જેમ જાણેલ તેમ સારી રીતે ઉપયોગ કરેલી બુદ્ધિથી કઈ પણ વસ્તુ એવી નથી કે, જે ન જાણી શકાય. તે માટે કહેલું છે કે ભૂમિમાં ઊંડાણમાં દૂર સુધી સ્થાપન કરેલ નિધિને તૃણ, વેલડી આદિથી આચ્છાદિત થયેલી ભૂમિમાં નેત્રથી ન દેખવા છતાં કુશલ બુદ્ધિવાળા પુરુષે બુદ્ધિરૂપી નેત્રોથી તેને દેખે છે.” (૭૭૩) અહિં બીજું દષ્ટાંત પણ કહે છે – ૭૭૪–જ્યોતિષીઓ જયોતિષશાસ્ત્રના આધારે સુકાલ- દુકાળ થશે, તે બરાબર જાણી શકે છે, વૈદ્યો વૈદકશાસ્ત્રાનુસારે જલોદર વગેરે મહાવ્યાધિને વિનાશ જાણી શકે છે સુશ્રુત વગેરે ચિકિત્સાશાસ્ત્રને બરાબર અભ્યાસ કરેલો હોય, તેવા જાણકાર વૈદ્યોને રોગ મટશે કે નહીં માટે, તેની ખબર પડે છે. વરાહમિહિર સંહિતા આદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy