SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ] ઉપદેશપદ-અનુવાદ વચનમાં મને પૂર્ણ શ્રદ્ધા છે. ગુરુ આજ્ઞા પાલન કરનારનું કયું કલ્યાણ ન થાય? એવા બહુમાનવાળા રાજા ગુરુને વંદન કરીને પોતાના સ્થાને ગયે. દત્તને બોલાવ્યો. લજજાથી નમી ગયેલા વદનવાળા રાજાએ તેને કહ્યું કે, “હે મિત્ર! આવું અકાર્ય મારાથી બની ગયું છે. ઉજજવલ ચંદ્રમંડલ સમાન મારા પૂર્વના કુલને મૂઢ એવા મેં મસીને કૂચડો ફેરવ્યો. (૩૭૫) હવે તેનાં દર્શન નહિ થાય તે, સર્વથા મારે મરણનું શરણ છે, એ નિયમ લીધો છે. તે હવે તું રથ સાથે અશ્વ ઉપર બેસીને વનમાં જઈ તેને જીવતી ખેાળી લાવ, જે જલદી નહિં લાવીશ, તે મારે નિયમ અફર છે. અથવા તે તેના મરણને નિશ્ચય મેળવી લાવ. એ પ્રમાણે દત્તને કહ્યું. તરત જ તે ત્યાંથી નીકળે, ગભરાતો ગભરાતો વનમાં ભ્રમણ કરતો હતો, ત્યારે દેવગે એક તાપસકુમાર જોવામાં આવ્યું. અરે તાપસકુમાર ! તે અગર બીજા કેઈએ આ અરણ્યમાં પ્રસૂતિ કરવાની ઈચ્છાવાળી દેવાંગના–સમાન કેઈ એક તરુણી સ્ત્રી દેખી છે?” તેણે પૂછયું કે, “તમે અહિં ક્યાંથી આવે છે ?” દત્તે કહ્યું કે, શંખપુરથી. તાપસકુમારે કહ્યું કે, હજુ રાજા તેના ઉપરને વૈરભાવ કેમ છોડતા નથી કે, તમને અત્યારે અહિં શોધવા મોકલ્યા છે? આ કુમાર આ વિષયમાં કંઈક જાણે છે, તેથી દત્ત ઘણે હર્ષ પામ્યો. અને કહેવા લાગ્યું કે, હે ઋષિકુમાર ! આ કથા ઘણી લાંબી છે, તે અત્યારે કહેવાને સમય નથી. આ વિષયમાં એ પરમાર્થ છે કે, જે રાજા તેને જીવતી નહિં દેખશે, તો નક્કી ભડભડતી ચિતાગ્નિમાં પ્રવેશ કરશે. તે તેમના સમાચાર કહે અને શંખરાજાને જીવિતદાન આપો.” આ પ્રમાણે દત્તે કહ્યું, એટલે દયાના પરિણામવાળો તાપસ દત્તને કુલપતિ પાસે લઈ ગ અને તેની હકીકતથી વાકેફ કર્યા. તાપસીઓની મધ્યમાં રહેલી કલાવતીને બોલાવી, તેણે દત્તને જે, એકદમ તેને કંઠ રૂંધાઈ ગયા અને નીસાસા મૂકતી રુદન કરવા લાગી. કલાવતીએ અંતરમાં ધીરજ ઘણું ધારણ કરી, છતાં ઘણું મહાદુઃખથી તેનું હદય ભરાઈ ગયેલું હોવાથી રુદન કરતાં દત્તની આગળ વમન થઈ ગયું. ક્ષણવાર ધીમું ધીમું રુદન કરતાં દત્તે પણ તેને આશ્વાસન આપ્યું. “હે સ્વામિની! તમે ખેદ ન કરો. આમાં કેઈનો અપરાધ નથી, આ તો માત્ર પૂર્વે કરેલા પાપકર્મના ઉદયનાં ફળો અનુભવાય છે. આ સંસારમાં પ્રાણીઓ વિવિધ પ્રકારના શુભ કે અશુભ કર્મના ગે ચિત્ત ન સમજી શકે તેવાં ભયંકર દુઃખે અગર મહાસુખ મેળવે છે. જે આ કર્મ પ્રતિકૂળ થાય, તે માતા, ભાઈ, પતિ, પિતા, સ્વજને વેરી થાય છે અને જે કર્મ અનુકૂળ થાય, તે શત્રુઓ પણ મિત્ર બની જાય છે. આ જે કંઈ અદભુત બન્યું છે, તે ભવિતવ્યતાના નિયોગથી તને બની ગયું છે. નેહપૂર્ણ રાજાએ જે તને કંઈ પણ કર્યું છે અને તે સુંદર ! તેં પણ અતિભયંકર દુઃખને અનુભવ કર્યો છે, તેના કરતાં પણ અનંતગણું ભયંકર દુઃખ આ નિમિત્તે રાજા ભોગવી રહેલા છે. હવે અત્યારે તે તે પશ્ચાત્તાપ અગ્નિમાં જળી રહેલા રાજા જે આજે તમને જીવતી એવી નહિં દેખશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy