SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ] ઉપદેશપદ-અનુવાદ કરનારો હોવા છતાં તે મને વટલાવી નાખ્યો. મેં એમ ધારણા રાખી હતી કે, મુક્તિના આચારરૂપ શુદ્ધ શૌચ એગ્ય સાધના સાધીશ. આ માટે તો મેં સ્વજને, ધન, કુટું. બીઓ ગામ, દેશ, સર્વને ત્યાગ કરીને એકલે કોઈની સહાયની દરકાર કર્યા વગર અહિં આવ્યો, પરંતુ પાપી દેવયોગે ધાર્યા કરતાં વિપરીત કાર્ય થયું, તે દેખો. દેવ જ્યારે વિપરીત થાય છે, ત્યારે પુરુષને પુરુષાર્થ પણ નિષ્ફળ નીવડે છે. આ મારી આવી વાત કોને કરવી? અને હવે આની શુદ્ધિ કરવા કોની પાસે ક્યાં જવું? પશ્ચાતાપ પરવશ બનેલા તેને વણિકે ફરીથી પણ જણાવ્યું કે, “હે ભટ્ટ ! તે જાતે-પિતે કરેલા અપરાધ માટે તું દેવના ઉપર કે૫ ન કર. પંડિત પુરુષોએ આચરેલા શૌચને ત્યાગ કરીને તારી ફૂટ-અવળી બુદ્ધિનો તે ઉપયોગ કર્યો, તેથી હે મૂઢ! અતિવાયરાથી જેમ વૃક્ષ ઉખડી જાય, તેમ તું પણ પ્રગટ નાસી પાસ–ભગ્ન થયો છે. “જળથી પાપની શુદ્ધિ થાય છે–એ વાત પણ નરી અજ્ઞાનતા-ભરેલી છે. સ્નાન કરનારને જ ધર્મ થાય છે અને સ્વર્ગ–મોક્ષનું કારણ સ્નાન છે.” આ પણ મહામોહ સમજ. નાન કરવાથી શરીરના બહારના મેલની શુદ્ધિ થાય છે, પરંતુ જીવને લાગેલ સૂક્ષમ પાપરૂપ અંતરંગ મેલ તેની સ્નાનથી શુદ્ધિ થઈ શકતી નથી. શરીર પર ચોંટેલ બહારનો મેલ, જ્યારે જળથી શરીરને ધેઈએ, ત્યારે તે ધોવાઈ જાય છે અને શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ જીવમાં રહેલા અત્યંતર મેલરૂપ પુણ્ય-પાપ તે તે પરિણામની શુદ્ધિથી તેની નિર્મળતા થાય છે, અશુચિદેહની જળસ્નાનથી શુદ્ધિ થાય છે, આ ધમ પુરાણ પુરુષો-ઋષિ મુનિઓએ પ્રવર્તાવ્યો છે. તેમાં જે કારણ હેય, તે દોષ ઢાંક અને કંઈક શરીર-ભા માટે ચલાવ્યું છે. જે કારણથી દેવની પૂજા કરવાના અવસરે આ નાન અવશ્ય કરવું. –એમ ઉપદેશેલું છે. તે કારણે અહિં લેકમાં પણ તે પ્રસિદ્ધિ થઈ કે, સ્નાન એ ધર્મ માટે છે. (૩૫૦). તિય -જાનવરોની જેમ આ મનુષ્ય સતત-નિરંતર ભજન કરનારા ન થાય, મર્યાદા-રહિત ન થાય, તે માટે મનુષ્ય ઉપર નિયમન રાખ્યું કે, ભોજન કરી રહ્યા પછી મુખ-હાથનું શૌચ કરવું જોઈએ-એમ ઉપદેશેલું છે. તેમ જ હીન-હલકી જાતિવાળાઓ જેઓ હલકે અને પાપવાળો ધંધે કરે છે, તેઓ પણ અછૂત છે–એમ કરીને તેનો પરિહાર કરાય છે. તેઓને પાપાચાર સુકુળમાં ઉત્પન્ન થયેલા કરતા નથી. આ પ્રમાણે શૌચાચારમાં કારણના અનેક ભેદ રૂઢ-વ્યવહારમાં ચાલુ છે, માટે ધર્માર્થીઓએ આ વ્યવહાર આચરવા યોગ્ય છે. શક્ય હોય તેટલે ત્યાગ કરવો. આ અશક્ય છે, તે પણ કરે જ જોઈએ-તેવો આગ્રહ રાખવે તે પરમાર્થ નથી. હે દ્વિજવર ! તમારી તિઓમાં પણ આ પ્રમાણે કહેલું છે કે, મક્ષિકાની સંતતિ-પરંપરા દ્વારા સ્પર્શાયેલા તેના અવયવો દ્વારા પર્શાવેલા જલબિન્દુઓથી સ્ત્રીમુખ, બાળકો કે વૃદ્ધો તેઓ કદાપિ દૂષિત થતા નથી. દેવયાત્રામાં, વિવાહ કાર્યમાં, ઉતાવળ કે ભયમાં, રાજાના દર્શ. નમાં, યુદ્ધમાં, દુકાનના માર્ગમાં,સ્પર્શાસ્પર્શને દોષ ગણેલ નથી. “ભૂમિમાં રહેલ જળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy