SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૩ ટૂકડા ચાવવા માટે મુખ પણ અસમર્થ બન્યું. ત્યારે વિચારવા લાગ્યો કે, “જે શેર ડીનાં ફલ પણ પ્રજાપતિ-બ્રહ્માએ બનાવ્યાં હોત, તો જગતનું નિર્માણ સુંદર થયેલું ગણતે. બ્રહ્માની બુદ્ધિને ધિક્કાર થાઓ છે, જેણે સજજનો અને વિદ્વાનોને ધન વગરના, કુલબાલિકાએ ને વૈધવ્ય, શેરડીને ફલ વગરની બનાવી. અમારા દેશમાં આ શેરડી ઉત્પન્ન થતી નથી અને અહીં થાય છે, તે પણ તેને ફળ થતાં નથી. અહીં જે શેરડી થાય છે, તે ભૂમિના ગુણનો પ્રભાવ છે. તે કદાચ ભૂમિગુણના પ્રભાવથી ફળ પણ થતાં જ હશે-એમ સંભાવના કરી શકાય છે. માટે અહિં તપાસ કરવી ઠીક છે, એમ વિચારી તે પ્રમાણે તપાસ કરવા લાગ્યો. પહેલાં કોઈક ભાંગી ગયેલા વહાણના મનુષ્ય ત્યાં આવેલા અને એક સ્થળમાં સૂર્યનાં કિરણેથી સૂકાએલ વિષ્ટાની પિડીઓ દેખીને વિચારવા લાગ્યો કે, નક્કી આ તે જ ફળો છે. આદરપૂર્વક તે ભક્ષણ કરવા લાગ્યો. તેમ દરરોજ ખોળ કરતો હતો. ધિકકાર થાઓ કે, અજ્ઞાનાધીન થયેલ તે જેમ આ સ્થિતિવાળે થયે. હે રાજન્ ! વધારે કેટલું કથન કરવું? અત્યંત મૂઢામાં સૂર્યનાં કિર થી તેવા થયેલા સ્વરૂપવાળા પિતાના ત્યાગ કરેલા નિહારને આરોગવા લાગ્યો હતે. કઈક સમયે કેઈક વેપારીને મેળાપ થા, વાર્તાલાપ થયે, એકદેશવાસી હોવાથી અને ઘણા હર્ષ પામ્યા. (૩૩૦) વણિકે પૂછયું કે, “તારી શરીરસ્થિતિ તું અહિં કેવી રીતે ટકાવે છે? ત્યારે તેણે કહ્યું કે, “શેરડી ભક્ષણ કરીને.” ત્યારે વળી સામા વણિકે પૂછયું કે, શેરડીનાં ફળો મળે છે કે કેમ? પેલાએ ફળને ભાવ જણાવ્યો. “ઠીક, તે ફળોનો સ્વાદ કેવો હોય?” તેણે કહ્યું કે, અતીવ મધુર સ્વાદ હોય, તો તે મને દેખાડ, એમ કહ્યું. એટલે જ્યાં તે બતાવ્યાં, એટલે દૂરથી હાસ્ય કરતા વદનવાળા વણિકે તેને કહ્યું કે, આ તો સૂર્યનાં કિરણોથી સૂકાઈ ગયેલી વિણાની પિડીઓ છે, પણ ફળો નથી. તું વિવેકરહિત બની જાનવરના માર્ગે પ્રવર્યો, પણ શિષ્ટોના માર્ગે ન ચાલે. આનું ભક્ષણ કરતાં તારા કેટલા દિવસે ગયા? તેણે જણાવ્યું કે, “એક મહિનો” વણિકે કહ્યું કે, આ તારી અજ્ઞાનતાનું ફળ છે. વિષ્ટાના ખાડામાં પડતા પગને બચાવવા જતાં મસ્તક તેમાં ખરડાયું. અ૫ અશુચિના સંગથી ભય પામેલે તું અશુચિ–ભેગમાં લપટા. સમગ્ર લેકમાં પ્રસિદ્ધ શેરડીનું નિષ્કલપણું ને શ્રદ્ધા કરતા તે શૌચવાદીએ વિષ્ટાનું ભક્ષણ કરીને પોતાના આત્માને ભ્રષ્ટ કર્યો. શૌચવાદી કપિલે પૂછયું કે, “આવી વિષ્ટા કોની હોય કે, તારી અને મારી સર્વે મનુષ્યની. ત્યારે કપિલ કહે કે, તે અતિશય ઢીલી હોય છે. ત્યારે વણિકે કહ્યું કે, ઘણા દિવસ થવાથી સૂર્યનાં કિરણોથી આવા પ્રકારની આ થઈ જાય છે. છતાં તે વાતને ન સ્વીકારતા પોતાના આત્માને વિમયવાળો બનાવ્યું. હવે તેને અતિમહાન વિષાદ થવાથી છૂટી પિક મેલીને રુદન કરવા લાગ્યા કે, હે અનાર્ય દેવ! કૃપા વગરના! તું વગર કારણે મારે વેરી બન્યા. આમ હું ધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy