SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ]. ઉપદેશપદ-અનુવાદ, છે. આનાં જે કોઈ કારણ હય, તે કેધાદિ ચાર કષાયોરૂપી ભયંકર સર્પો છે. જે ક્રોધાદિ કષાય કરવાથી જીવ પિતાના હિતમાર્ગમાં યથાર્થ જ્ઞાન મેળવી શકતો નથી. એ કષાય-સર્ષોથી ડંખાએલા અજ્ઞાની આત્માને કાર્યાકાય. યુક્ત કે અયુક્ત, હિત કે અહિત, બાલવા યોગ્ય કે ન બોલવા ગ્ય, સાર કે અસાર પદાર્થને વિવેક હોતે નથી. વધારે કેટલું કહેવું ? ધાદિક ચાર કષાયોને વશ પડેલે બુદ્ધિશાળી સમજુ હોય, તો પણ તેવું અકાર્ય આચરે છે. જેથી કરીને આ લોક અને પરલોકમાં વિષમાં રાગી બની મહાદુઃખની પરંપરાની શ્રેણિ ઉપાર્જન કરે છે. તમને પણ આ કષાયોના ગે હૃદયમાં નરકનાં દુઃખ કરતાં પણ અધિક દાહ ઉત્પન્ન કરનાર આ અનર્થ થયો. આ વિષયમાં મરણ, દુઃખ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ પાપનાં દુઃખને દૂર કરનાર હોય, તો માત્ર ધર્મ જ છે. ભવમાં ભ્રમણ કરતા એવા જીવને ધર્મ સિવાય બીજું કઈ શરણ નથી. આ સાંભળીને રાજાએ કહ્યું કે, જરૂર ધમ સુખ આપનાર છે, પરંતુ દુઃખથી અત્યંત બળી રહેલા મને હવે ક્ષણવાર પણ જીવવું અશક્ય છે; તો હવે હું ચાલુ કાળને ઉચિત એવું પરભવને હિતકારી એવું કયું કાર્ય આચરું? તે કૃપા કરીને જણાવો. ગુરુએ કહ્યું કે, દુઃખની વૃદ્ધિ થાય, તેમ તમે તે કાર્યારંભ કર્યો છે. હે રાજન્ ! આ વિષયમાં હું એક આખ્યાન કહું છું, તે તમે સાંભળો– ગંગાનદીના કિનારા પર એક કપિલ નામનો બ્રાહ્મણ હતે. તે શૌચવાદી હોવાથી તેને શૌચરૂપ પિશાચ વળગેલું હોવાથી શ્રોત્રિયપણું પામ્યું હતું. કેઈક સમયે શૌચ વિષયક ચિંતા- સંકટમાં પડેલો તે વિચારવા લાગ્યું કે-અહિં આ ગામમાં હીનજાતિવાળા ચાંડાલો દરેક સ્થળે સંચાર કરે છે. માર્ગમાં રગદળાતાં જુનાં ચામડાં, ચીંથરાં વગેરે તેના સ્પર્શ થી અશુચિરૂપ થાય છે. મનુષ્ય, કૂતરા, શિયાળ, બિલાડા વગેરેના પેશાબ વિછાદિક અશુચિઓ વરસાદના જળ-પ્રવાહથી ખેંચાઈને નદી, તળાવ વગેરે જળાશયોમાં પડે છે, માટે જે કઈ પ્રકારે મનુષ્ય, પશુથી રહિત એવા સમુદ્ર વચ્ચે બેટમાં વાસ કરીએ, તે જ શૌચવાદ ટકાવી શકાશે, નહિંતર નહિં, એમ હું માનું છું. દર રોજ પૂછતાં પૂછતાં વહાણના માલિકે કહ્યું કે, “ઉજજવલ શેરડીના વૃક્ષોવાળ દ્વીપ દેખીને હું અહિં આવેલ છું.” તેનું વચન સાંભળીને મહાનિધાનની પ્રાપ્તિ માફક તે દ્વીપ જોવા માટે ઉત્કંઠિત થયા. તેને કહ્યું કે, હે ભદ્રક! કોઈ પ્રકારે મને ત્યાં સર્વથા લઈ જા પંડિતલે કોએ તેમ જ સ્વજનોએ તેને ઘણે સમજાવ્યું, રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ ખોટા અભિમાનને આધીન થયેલ તે નિર્ધામક સાથે ગયે. સંસાર સરખા પાર વગરના સમુદ્ર વચ્ચે આશ્વાસન આપનાર તે દ્વીપે પહોંચે. વિષયોની જેમ મધુર સ્વાદવાળા શ્રેષ્ઠ શેરડીના સાંઠાએ દેખી વહાણ છડી ધર્મ પામ્યા માફક હર્ષ પામેલે ત્યાં રોકાયો. કિનારા પર વિરડાઓ બેદી તેના જળથી ત્રણ વખત નાન કરી, શૌચ-વ્યવહાર સાચવતો હતો. શેરડીના ટૂકડા ભક્ષણ કરીને પોતાનો સમય પસાર કરતો હતો, પરંતુ અતિશય શેરડીના છેલાં મુખથી ઉતારતાં તેના બે હોઠ કપાઈ ગયા અને શેરડીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy