SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભોજન સન્માન-દાનથી સંતેષેલા પિતાના સરખા વિશ્વાસુ પુરુષો પાસે લાક્ષાઘર સુધીની ચાર ગાઉની સુરંગ કરાવી. આવી સ્થિતિમાં પોતાના પરિવાર–સહિત તે રાજકન્યા વિવાહ માટે ફરકતી દવાવાળા કાંપિત્યપુરમાં આવી પહોંચી. પાણિગ્રહણ-વિધિ થયા પછી રાત્રે વરધનુ સહિત કુમાર લાક્ષાગૃહવાળા વાસભવનમાં ગયે. રાત્રે બે પહોર વીત્યા પછી ભવન એકદમ સળગવા લાગ્યું. તે વખતે અતિ ભયંકર કોલાહલ ઉછળે. ભાયમાન સમુદ્ર સરખો લોકોને એક સામટ કરાતે ઘંઘાટ સાંભળીને કુમારે વરધનુને પૂછયું કે, ઓચિંતું આ શું તફાન છે?” “હે કુમાર ! તમારા અનર્થ માટે આ વિવાહને પ્રસંગ ઉભો કર્યો છે. આ રાજકન્યા નથી, પરંતુ તેના સરખી આ બીજી જ કોઈ કન્યા છે.” એટલે સ્નેહ મંદ થયો અને કુમારે પૂછ્યું કે, “હવે આપણે શું કરવું?” તે વરધનુએ કહ્યું કે, “પગની પાનીથી નીચે પ્રહાર કર.” પગ અફાળે એટલે ખોદેલી સુરંગને. માર્ગ મળી આવ્યું. તેઓ બંને ગંગાનદીના કિનારા પર દાનશાળાવાળા પ્રદેશમાં પહોંચી ગયા. ધનુમંત્રીએ આગળથી તૈયાર રાખેલા ઉત્તમ જાતિના બે અશ્વો આપ્યા, એટલે તરત તેના ઉપર સ્વાર થઈને પચાસ જનને માગ કાપી નાખ્યો. ઘણું લાંબા માર્ગની મુસાફરીથી થાકેલા અશ્વો એકદમ પટકાયા; એટલે પગે ચાલીને જતાં જતાં એક કુટ્ટ નામના ગામે પહોંચ્યા ત્યારે કુમારે વરધનુને કહ્યું કે, “મને સુધા લાગી છે, તેમ જ હવે હું સજજડ થાકી ગયો છું.” ગામની બહાર કુમારને બેસાડીને મંત્રીપુત્ર ગામમાં ગયે. ગામમાંથી એક હજામને લાવી કુમારનું મસ્તક મુંડાવી નાખ્યું, ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું અને લક્ષમીકુલના સ્થાનરૂપ શ્રીવત્સને ઢાંકી દેવા માટે ચાર આંગળ પ્રમાણ વઅને પાટો બાંધી દીધે. “જે કોઈ પ્રકારે દીર્ઘરાજાને અમારી માહિતી મળે તે કદાચ મારી નાખે” એ કારણે વરધનુએ પણ પિતાને વેષ પલટી નાખ્યો. આવા પ્રકારના ભયને વહન કરતા, તેને પ્રતિકાર કરતા કેઈક ગામમાં એક બ્રાહ્મણને ઘરે ગયા. ઘરના એક સેવકે આમંત્રણ આપ્યું કે, “અહીં જ આજે ભોજન કરો.” ત્યાં રાજાને ઉચિત એવા સન્માનથી ભજન કર્યું. ભેજન પૂર્ણ થયા પછી એક મુખ્ય સ્ત્રીએ. કુમારના મસ્તક ઉપર અક્ષત વધાવ્યા અને કહ્યું કે, “બંધુમતી કન્યાને આ વર હેજો.” પિતાને અત્યંત ગુપ્ત રાખવાના કારણે પ્રધાનપુત્રે કહ્યું કે, “આ મૂર્ખ બટુક માટે કેમ પરિશ્રમ કરે છે?” વિકસિત નેત્રવાળા ઘરસ્વામીએ કહ્યું કે, “હે સ્વામી! પહેલાં કેઈ નિમિત્તિયાએ અમને કહ્યું હતું કે-“છાતીએ પાટો બાંધીને અને ભગવાં વસ્ત્ર પહેરીને મિત્ર સહિત જે તમારે ત્યાં ભજન કરશે, તે આ બાલાને પતિ થશે, પણ બીજે નહિં.” તે જ દિવસે કુમારે તેની સાથે પાણિગ્રહણ કરી લગ્ન કર્યું અને તે જ ક્ષણે તેઓને પરસ્પર ગાઢ સ્નેહ થયો. તે કન્યાને લાંબા કાળના પરિચિત એવા પિતાદિક અને લોકે ઉપરને સ્નેહ પીગળી ગયે. પંડિત પુરુષે આ કારણે જ કહે છે કે, બાલ્યકાળમાં પિતા, માતા, ભાઈ, સ્વજન, સખીવર્ગ પ્રિય હોય છે, પરંતુ યૌવનારૂઢ થયેલ યુવતિને માત્ર એક પ્રિય પતિ જે પ્રિય હોય છે. કૌતુકક્રિીડા કરવામાં કુમારે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy