SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] ઉપદેશપદ-અનુવાદ દીર્ઘરાજા પણ છિદ્ર દેખનારા, કુટિલ ગતિવાળા વિષયાસક્તિ રૂપ વિષથી ભરેલા સર્પ સરખે ચલણીમાં રક્ત બન્ય. ધન પ્રધાને ચલણીનું શીલભંગ-ફૂલવાળું સમગ્ર ચરિત્ર જાણ્યું એટલે વિચાર્યું કે, હવે કુમારનું કુશળ ભયવાળું ગણાય. પ્રધાને પિતાના વરધનું પુત્રને કહ્યું કે, “હે પુત્ર! રાજપુત્રના શરીરની અપ્રમત્તપણે રક્ષા કરવી. કારણ કે તેની માતા પલટાઈ ગઈ છે, તે ઠીક થયું નથી. એ યોગ્ય સમય જણાય, ત્યારે કુમારને માતાનું સર્વ ચરિત્ર જણાવી દેવું કે જેથી કરીને કોઇક બાનાથી તે ન ઠગાય. માતાનું દુશ્ચરિત્ર જાણવાથી કુમાર તીવ્ર ક્રેધવાળો બન્યો. કાલક્રમે યૌવનવય પામ્યો. માતાને વાકેફ કરવા માટે અસમાન જાતિવાળા કાગડો અને કેયલ અને એવા બીજા પ્રાણીઓને વિરુદ્ધ આચરણ કરનારા બતાવ્યા. અંતઃપુરમાં તેઓને લઈ જઈ માતાને બતાવીને કેપ વચન બોલતો કહેવા લાગ્યું કે, “હે માતા ! હું આને શિક્ષા કરીશ, કારણ કે વિરુદ્ધ આચરણ કરનારા છે. મારા રાજ્યમાં બીજા પણ કેઈ તેવા અનાચાર સેવન કરશે, તેઓને પણ હું નિરપેક્ષ મનવાળો બની આકરી સખત સજા કરીશ.” આ પ્રમાણે અનેક વખત સજા કરતા અને તે પ્રમાણે બોલતા બ્રહ્મદત્તને સાંભળીને દીર્ઘ ચુલણને કહ્યું કે, “તારો પુત્ર જે આ પ્રમાણે બેલે છે, તેનું પરિણામ આપણુ માટે અશુભ સમજવું. ત્યારે ચલણીએ કહ્યું કે, “એ તો બાળકબુદ્ધિથી બોલે છે, તેના બોલવા ઉપર વિચાર ન કરો.” હે મુગ્ધા! આ કુમાર હવે બાળક ન સમજો, પણ યૌવનવય પામેલો છે, તારા અને મારા મૃત્યુ માટે થશે.” એમ દીઘે કહ્યું. “તો હવે તે ન જાણે તેવા કેઈક ઉપાયથી તેને મારી નાખવો જોઈએ. હું તને સ્વાધીન છું, તે તને બીજા પુત્ર ઉત્પન્ન થશે.” રતિરાગમાં પરવશ બનેલી આ ભવ અને પરભવના કાર્યની ચિંતા ન કરતી એવી ચલણીએ તેની વાતને સ્વીકાર કર્યો. સ્ત્રીઓનાં આવાં ચરિત્રોને ધિક્કાર થાઓ. કે જે સર્વ લક્ષણવાળા ચૌદ સ્વપ્નથી સૂચિત, લાવણ્યની ઉત્તમતાથી કામદેવના રૂપને પણ જિતનાર, સર્વ અવિનીતાદિ અવગુણોથી રહિત એવા પિતાના પુત્રને માટે આ વ્યવસાય કરવા તૈયાર થઈ! ત્યાર પછી તેઓએ બ્રહ્મદત્ત માટે એક રાજપુત્રીને વિવાહ નકકી કર્યો અને વિવાહ કરવા માટેની સામગ્રી તૈયાર કરાવી. અતિગુપ્ત પ્રવેશ નિગી મના દ્વારવાળું સો સ્તંભ યુક્ત એવું કુમારને રહેવા માટે લાક્ષાગૃહ બનાવ્યું. રાજ્યકાર્યમાં કુશલ એવા ધનુમંત્રીએ આ ગુપ્ત વૃત્તાન્ત જાણી લીધો. દીર્ઘરાજાને ધન પ્રધાને કહ્યું કે, “વરધનુ નામનો આ મારો પુત્ર છે, હવે તે યૌવનવય પામેલ છે, તેમ જ રાજ્યકાર્ય નિર્વાહ કરવા સમર્થ થયો છે. હવે મારી વય પરલોકનાં કાર્ય સાધવાની થયેલી છે, માટે વાનપ્રસ્થાશ્રમ કરવાની મને અનુમતિ આપો. ત્યારે કપટ સહિત દીર્થે કહ્યું કે, “હે અમાત્ય ! આ નગરમાં રહીને જ દાનાદિક પરલોકના અનુષ્ઠાનનું સેવન કરે.” દીર્ઘરાજાનું વચન સ્વીકારીને નગર બહાર ગંગાનદીના કિનારા ઉપર ધનુએ એક મટી શ્રેષ્ઠ દાનશાળા અને પાણીની પરબ કરાવી. ત્યાં આવતા પરિવ્રાજક જુદા જુદા પ્રકારના ભિક્ષુકે, મુસાફરોને ભદ્ર ગજેન્દ્રની જેમ દાન આપવા લાગ્યું. તે સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy