SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતી-ચરિત્ર [ ૪૭૧ પુરુષે તેના ઉપર તૃણ કે વેલડીએ ઉગેલી હોય, તો તેના આધારે અનુમાનથી નિધાનનાં દર્શન કરે છે. ત્યાર પછી રાજાએ તરત તૈયારી કરતા સૈન્યને રોકવાની આજ્ઞા કરી. તેમ જ મેટા દરવાજા પાસે મંત્રીને નિયુક્ત કરી સર્વ વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. નગરના રક્ષકને કહ્યું કે, “આદર સહિત નગરની અંદર અને બહાર મહોત્સવ-કાર્ય પ્રવર્તા. કેદીઓને છોડી મૂકો, સમગ્ર દેવોનાં સ્થાને-મંદિરોને ઉજજવલ રંગા, રાજ્ય-કર, નગર-કર લેવાનો બંધ કરાવો, સર્વ પ્રજાવર્ગને-માળીઓ, તંબોલીઓને અત્યારે પોતપોતાના વ્યાપારમાં તત્પર બનવાનું જણાવો. તોરણ બંધાવો. યજ્ઞ કરવાના સ્થાનમાં, અગાસીઓમાં દવાઓ ફરકાવો. હાથી, ઘોડા, વૃષભ, ઉંટ આદિને ખાવા માટે ઘાસ વગેરે નીરો, આ પ્રમાણે રાજાની આજ્ઞા પામીને સર્વે એ યથાયોગ્ય કાર્યો કર્યા. રાજા પણ અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યા. બુદ્ધિશાળી મંત્રીએ જયસેનકુમારના સમગ્ર સૈન્યલોકને સત્કાર-સન્માન કરવા માટે એવી સુંદર વ્યવસ્થા કરાવી છે, જેથી તેઓનાં મસ્તક નાચી ઉઠ્યાં. યથોચિત સ્થાને તેઓનો પડાવ નંખા અને નગરી જાણે આનંદ અને સંતોષ અનુભવતી બની ગઈ. જમીન પર મસ્તક અડકે તેવી રીતે જયકુમારે રાજાને પ્રણામ કર્યા. રાજાએ આદરથી આલિંગન આપ્યું અને સ્વાગત કર્યું. પરિવાર–સહિત તેનું ગૌરવ કર્યું. પછી સુંદર આસન પર બેઠે. તેણે પણ ઉચિત માન-સન્માન અને રિવાજ પ્રમાણે મંત્રી વગેરે પરિવારનું સન્માન કર્યું. હવે જ્યારે તે સુખાસન પર બિરાજમાન થયા, ત્યારે પ્રસન્ન મુખકાંતિવાળા કુમારના વિરંગ નામના મંત્રીએ રાજાને નિવેદન કર્યું કે, “આપના ગુણોથી અમારા રાજાનું ચિત્ત આપે હરી લીધું છે. આપનું સમગ્ર સ્વરૂપ દત્ત નામના વણિકપુત્રે અમને જણાવ્યું, તે અમારી નિર્મલ ચિત્તભૂમિમાં છીણથી કોતરાએલા અક્ષરો માફક કોતરાઈ ગયું છે. મારા પિતાજીએ આપને નેહપૂર્ણ સંદેશે કહેવરાવેલ છે કે, હે ધીર પુરુષ! દૂર બેઠેલા એવા અમે તમારા સરખા ગુણભંડારનું શું ગૌરવ કરી શકીએ? જે પુરુષ ગુણીઓને પોતાની અતિઈણ પ્રશસ્ત વસ્તુ ન આપે, તો પછી તેની કઈ દક્ષતા, ઉદારતા કે કયે ગુણાનુરાગ કહેવાય ? તે મહાગુણાનુરાગથી પિતાજીએ લાવણ્ય અને ગુણ-કળા સમૂહવાળી પિતાને અતિવલ્લભ એવી આ બાલાને આપને અર્પણ કરવા મારી સાથે મોકલી છે. તેને બીજા કેઈ પણ રાજકુમારો સાથે અનુરાગ ન થયો, કમલ-સરોવરનો ત્યાગ કરીને લક્ષ્મીદેવી બીજે આનંદ માણતી નથી. તે પ્રણામ કરનાર અને સનેહ રાખનાર જનેનું પાલન કરવામાં તત્પર હે સુપુરુષ ! આ કન્યાનું પાણિગ્રહણ કરીને અમારા મનની નિવૃત્તિ કરો. (૧૨) આણે કઈ દિવસ અમારા તરફથી અણગમતી વસ્તુ દેખી નથી, તો આપે તેમ કરવું કે, હાથણ જેમ વિંધ્ય પર્વતને યાદ ન કરે, તેમ મને કદાપિ યાદ ન કરે. ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy