SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] ઉપદેશપદ-અનુવાદ કુળમાં ઉત્પન્ન થયેલા આપને મારે વધારે કહેવાનું હોય જ નહિં. કારણ કે, તેઓ અંગીકાર કરેલા મનુષ્યો પ્રત્યે સ્વભાવથી વાત્સલ્ય રાખનારા હોય છે.” આ પ્રમાણે કુશળતા પૂર્વક મંત્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યા પછી શંખ માફક મધુર શબ્દ બોલનાર શંખરાજાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે-“અહો વિજયરાજાનું સૌજન્ય કેઈ અપૂર્વ છે કે, અમારા સરખાના ગુણો વડે તેમનું હૃદય અનુરાગવાળું થાય છે. પિતાના વિયોગમાં અમે તો બાલ્યકાલમાં રાજપદ પામ્યા, તેટલા માત્રમાં અકુશલબુદ્ધિવાળા અમે ગુણીજન બની ગયા ? ઘણું ગુણરૂપ રસથી પરિપૂર્ણ પુરુષના ફળો પરિણામે માલૂમ પડે છે, ફળો તરુણઅપરિપકવ હોય તેમાં હજુ રસ ઉત્પન્ન થતો નથી. કાચાં હોય છે, તે નિર્ગુણ હોય છે, પક્ષીઓનાં મનને અથવા પુણ્યશાળીઓનાં મનને આનંદ આપનાર થતાં નથી. અથવા તે ઉત્તમજને બીજા લોકોના દોષોને ગુણ રૂપે દેખનારા હોય છે. જે કારણ માટે પિતાની કાંતિનું હરણ કરનાર લંછનને ચંદ્ર ત્યાગ કરતો નથી. અમૃતની મૂર્તિ-સમાન ઉત્તમ પુરુષો પ્રિય સિવાય બીજું બોલવાનું જાણતા નથી. ચંદ્ર અમૃત સિવાય બીજું કંઈ પણ ઝરાવવાનું સમજે છે ખરો? તે નિષ્કારણ ગુણવત્સલ પિતા સમાન એવા તે રાજાનાં વચનને હું કેમ માન્ય ન કરું ? હવે તે વખતે દત્ત આવી પહોંચ્યો. એટલે હર્ષથી જયસેનકુમાર કહેવા લાગ્યો કે, આજે તે અમને તારા વચનમાં વિશેષ પ્રતીતિ ઉત્પન્ન થઈ. કારણ કે, “આ રાજા આટલા વિનમ્ર ન્યાયસંપન્ન સુંદર વચનના વૈભવવાળા, દાક્ષિણ્ય, વિનય, ઉચિત સમજનાર એવા દેવને વિષે અપૂર્વ ગુણે છે, તે પણ હજુ તેમને પિતાના ગુણોમાં તેટલો સંતોષ નથી, જેટલો પારકાના ગુણમાં અનુરાગ છે. અથવા તે મહાનુભાવો આવા પ્રકારના જ સ્વભાવવાળા હોય છે. જે માટે કહેલું છે કે-ધીરપુરુષો ભુવનમાં ભરેલા મોગરાના સરખા ઉજજવલ અનેક ગુણોથી ભરેલા હોય, તો પણ આનંદ પામતા નથી, પરંતુ તેમને બીજાના ઓછા ગુણ હોય, તેની પ્રશંસા કરવાનો પ્રસંગ આવ્યો હોય, તે તેમાં તેના કરતાં ઘણું જ આનંદ માણે છે. શ્રેષ્ઠનિધિની જેમ અત્યંત અદ્ભુત ગુણરત્ન વડે દેવનું ચરિત્ર પૂર્ણ છે. પ્રત્યક્ષ દેખાતા એવા તેમના ચરિત્રને દેખીને અહિં કોને તે હર્ષનું કારણ ન બને ? નેહપૂર્ણ નેત્રેથી કુમાર તરફ દષ્ટિ કરી, રાજાએ તેને કહ્યું કે, હે સુંદર ! તું અતિશય સજજન હોવાથી માત્ર મારા ગુણો જ દેખે છે. અથવા તો સ્વભાવથી નિર્મલ એવા સજજનનાં હદયે સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. નિર્મલ દર્પણતલમાં કોણે પોતાનું પ્રતિબિંબ ન પાડી શકે? તું વિજયરાજને પુત્ર છે, તે કારણે તારે આવા જ હોવું ઘટે. આમ્રવૃક્ષથી કદાપિ લિંબાળી ફળ મેળવી શકાતું નથી. આ સમયે કાલનિવેદક પુરુષે ઉતિ સંભળાવી કે-“સાકરનાં ચૂર્ણમાં પૂર્ણ ઘીનું મંથન કરાય છે, ખાંડમાં મિશ્રણ કરેલ સાથવાની કુંડીમાં ઘણું ઘી રેડાય છે, મસાલાદાર કહેલું દૂધ તે આપના હસ્તમાં પડેલું પ્રાપ્ત કરે છે.” જે કારણથી દેવે સજજનના કુટુંબને તેવા પ્રકારનું નિર્માણ કરેલું હોય છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy