SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ] ઉપદેશપદ-અનુવાદ ત્યાર પછી હે પિતાજી ! તે સમયે શ્રીમના તડકાથી ઉત્પન્ન થયેલી ભયંકર તૃષ્ણ મને સતાવવા લાગી. આખું જગત જાણે અંધકારમય બન્યું હોય, તેમ મને ભાસવા લાગ્યું. ત્યાર પછી શું બન્યું? તે મને પણ ખબર નથી, પરંતુ નિષ્કારણ બંધુ એવા આ પુરુષસિંહે આ સાર્થવાહે મને જીવિતદાન આપ્યું છે.—એમ બોલતાં તે રાજાએ પણ મને સાક્ષાત્ દેખે. મેં પણ પ્રણામ કરીને તેમને કહ્યું કે પ્રાણ આપવાની મારી કઈ તાકાત છે? આ કુમાર જીવતા થયા, તે દેવને જ પ્રભાવ છે. રાજા અત્યંત હર્ષ પામીને સજજડ આલિંગન આપીને તેને કહેવા લાગ્યા કે, “હે ભાગ્યશાળી ! તું મારે પ્રથમ પુત્ર છે, તારે અહિં તદ્દન સુખશાંતિ અને નિઃસંકોચપણે રહેવું. ત્યાર પછી સાર્થના રખેવાળોને સાર્થની ભલામણ કરીને હું તેમની સાથે દેવશાલ નગરમાં ગયો. મારું પૂર્ણ સન્માન, મનહર આદર-સત્કાર કર્યો. ત્યાર પછી કઈપ્રકારે તે રાજાએ અને રાજકુમારોએ મારું હૃદય એવું તે આકર્ષી લીધું કે, હું તે વખતે માતા-પિતા, નગર, જન્મભૂમિ સર્વને ભૂલી ગયો. - હવે તે રાજાને શ્રીદેવી નામની રાણીની કુક્ષિથી જ મેલી લક્ષણવંતી અત્યંત રૂપવાળી જયસેનકુમારની નાની ભગિની રૂપમાં તિલોત્તમા દેવીની તુલના કરનારી, કલાસમુદાયોમાં નિષ્ણાત થયેલી, લોકોનાં મનને પોતાના ચારિત્રગુણથી હરણ કરનારી ‘કલાવતી' નામની, નામ પ્રમાણે ગુણવાળી એક રાજપુત્રી છે. તેનાં રૂપ અને ગુણને અનુરૂપ વર સર્વ સ્થળોએ બળવા છતાં ન મળવાથી તેના પિતા અને બંધુ ચિંતાગ્નિથી દરરોજ બળ્યા કરે છે. કહ્યું છે કે “જ્યારે–જે દિવસે પુત્રીનો જન્મ થાય છે, ત્યારે પિતાને દીનતા ઉત્પન્ન થાય છે, યૌવન પ્રાપ્ત કરે છે, ત્યારે પિતા ચિંતા-સાગરમાં ફેંકાઈને ગોથાં ખાધાં કરે છે, પરણીને પારકા ઘરે ગયા પછી પણ પતિ તેનો ત્યાગ કરે છે, જે પુત્ર ઉત્પન્ન ન થાય, તે પણ પિયરિયાને તાપ ઉત્પન્ન કરનારી થાય છે, જમે ત્યારથી જ પુત્રી નક્કી નિંદાપાત્ર થાય છે.” ત્યાર પછી તેઓએ મને કહ્યું કે, “તું. પૃથ્વીમાં ફરનારો છે. જગતમાં–પૃથ્વીમાં ઘણું નરરત્નો હશે, તો તું આ પુત્રી માટે કેઇક યોગ્ય વર શોધી લાવ. આ પ્રમાણે કહેવાયેલા મેં તેના ચિત્રનું પ્રતિબિંબ આલેખીને તૈયાર કર્યું, તેમની રજા મેળવીને હું મારા ઘરે આવ્યો. મારા મનમાં એવી ફુરણા થઈ કે, આ કન્યા આપને માટે ઉચિત છે, પોતાના સ્વામીને છોડીને બીજાને રત્ન કેવી રીતે શેભા પમાડી શકે ? કુલરૂપી પર્વતમાં ઉત્પન્ન થયેલ સૂર્યનું સ્થાન સમુદ્ર છે (અસ્ત સમયે સૂર્ય સમુદ્રમાં પ્રવેશ કરે છે, તે કારણે) ચંદ્રને છોડી જ્યના બીજે કયાંય પણ જોડાતી નથી.” તે સાંભળીને તે સમયે રાજા અતિશય ચિંતાતુર બન્યું કે, “હવે આની સાથે જલદી મારો સમાગમ ક્યારે થશે ?” આ સમયે દેવમંદિરમાં મધ્યાહ્ન સમય સૂચવનાર શંખને શબ્દ કર્યો. ત્યારે રાજાના કાલનિવેદકે સંભળાવ્યું કે-ઉલ્લસિત થયેલ પ્રતાપ- સમૂહવાળો સૂર્ય લોકોના મસ્તક પર ક્રમણ કરે છે, તે પછી આ જીવલોકમાં તેજ ગુણથી જેઓ અધિક હય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy