SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ] ઉપદેશપદ-અનુવાદ શ્યામ કમળ-સમાન નેત્રવાળા એવા આપ તેને જાતે જ સાક્ષાત્ દેખો.” એમ કહીને પ્રયત્નપૂર્વક છૂપાવી રાખેલ એક ચિત્રનું પાટિયું બહાર કાઢીને રાજાને અર્પણ કર્યું. જેને રાજા હાથમાં ધારણ કરીને નિહાળવા લાગ્યો. તે ચિત્રપટ્ટકમાં દેવાંગનાના રૂપને તિરસ્કાર કરનાર, તેમ જ મનમાં ચમત્કાર કરાવનાર, લાવણ્ય જળથી પૂર્ણકળશની ઉપમાને ધારણ કરનાર સ્તનવાળી એક કન્યા જોવામાં આવી. આ રંભા કે તિલોત્તમાં દેવી છે, એમ માનીને રાજાએ તેને પ્રણામ કર્યા અને માનસમાં વિચારવા લાગ્યો કે, તારા સરખા સરળ સ્વભાવવાળાથી આ કુટિલ સ્વરૂપ કેમ થઈ ? એ પ્રમાણે વચનપ્રવૃત્તિ કરતા તેણે તેને હાસ્યનાં વચન સંભળાવ્યાં. લાંબા સમય સુધી તે ચિત્રામણ દેખીને કહ્યું કે, અરે ! જેણે આ આલેખી છે, તેને વિજ્ઞાન-પ્રકષ-ચિતરવાની કળા કઈ અપૂર્વ જણાય છે. (૨૫) ત્યાર પછી રાજાએ દત્તને પૂછયું કે, “આ કયાં દેવી છે?' ત્યારે દત્તે કહ્યું કે, દેખીને અન્યૂનપણે ચિત્રાલેખન કરવું, તેમાં વળી વિજ્ઞાનને ક્યા પ્રકર્ષ ગણાય? ખરેખર વિજ્ઞાનમાં નિષ્ણાતપણું તો પ્રજાપતિનું જ ગણાય. કારણ કે, પ્રતિબિંબ વગર આને નિર્માણ કરી. આ ચંદ્રના બિબ સમાન વદન છે, કમલપત્રની ઉપમાવાળું નેત્રયુગલ છે, વળી અંગેની રચના રમણીયતા ઉત્પન્ન કરનારી છે, લાવણ્ય તે સમુદ્રજળ કરતાં પણ અધિક છે, કામદેવના નાટક કરનારા કરતાં તેને દષ્ટિભંગ-કટાક્ષ ચડિયાત છે. કાન સુધી પહોંચે તેવા નેત્રના અંતભાગો છે, હાસ્ય કરતાં વચન બાલનારી છે. પછી આમાં હજુ અપૂર્ણતા કઈ છે ? આ દેવી ચિત્રમાં રહેલી હોવા છતાં મારા મનનું હરણ કરે છે. દત્તે રાજાને કહ્યું કે, “ આપે તે મનુષ્યસ્ત્રીને પણ દેવી બનાવી, અથવા તે માનુષી હોય, પરંતુ દેવન (આપના) પ્રભાવથી તે દેવી થઈ જાય છે. ત્યારે રાજાએ કહ્યું કે, “હે દત્ત ! કોઈ દિવસ માનુષીએ આવી કયાંય હોય ખરી ? ત્યારે હાસ્ય કરતા મુખવાળા તેણે કહ્યું કે, “હે દેવ ! સાચી હકીકત આપ સાંભળો. તેની જે લીલા છે. તે બીજી છે અને તેના અંગની સુંદરતા વળી કઈક બીજી જ છે, જે તે માનુષીને આલેખી છે, તે તો માત્ર પોતાની કળા ભૂલાય નહિં, તાજી રહે તે માટે. તે વિમય પામેલા રાજાએ પૂછયું કે, “હે ભદ્ર ! આ કોણ છે? દત્તે પ્રત્યુત્તર આપ્યો કે, “હે દેવ ! આ મારી ભગિની છે.” હે દત્ત ! જે આ તારી ભગિની જ છે, તો મેં નથી દેખી–એમ કેમ બોલે છે ? ત્યારે દત્તે કહ્યું કે, “હવે આ વાતને પરમાર્થ દેવને જણાવું છું. પિતાજીના અત્યંત આગ્રહથી કેટલાક કિંમતી વેચવા લાયક કરિયાણાં ભરેલાં મહાયાનપાત્રો (વહાણ) ભરીને દેશ જેવાની અભિલાષાથી અખંડ પ્રયાણ કરતે કરતો અનેક દેશોનું ઉલ્લંઘન કરતો કરતે દેવશાલ નામના નગરના સીમાડાના પ્રદેશમાં ગર્જના કરતા ફાડી ખાનારા જાનવરવાળા શૂન્ય અરણ્યમાં પહોંચ્યા. ત્યાં આગળ કેટલાક હથિયારોથી સજજ બનેલા સુભટ પરિવાર સાથે ચપળ ઘોડા ઉપર સ્વાર થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy