SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા [ ૪૬૫ વિજાના બાનાથી જાણે નગરલોકને એમ કહેતી હોય કે, “અરે લોકે ! જે આવી બીજી કઈ નગરી દેખી હોય તે જણાવો.” તે નગરીમાં શંખની જેમ ઉજજવલ વર્ણવાળા, પોતાના મધુર શબ્દથી લોકોને સંતેષ પમાડનાર, શુદ્ધકુલરૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ એવો શંખ નામનો રાજા હતો. તે રાજા પોતાને પ્રતાપ દૂર સુધી ફેલાવતો, અન્યાયરહિતપણે હલકા કર નાખીને, ચંદ્રની જેમ સુખ આપીને રાજ્યપાલન કરતે હતો. ચંદ્રનો પ્રતાપ પણ દૂર સુધી, ફેલાય છે. તેનાં ઠંડાં કિરણો પણ સુખ કરનારાં હોય છે. ચંદ્ર કલંકવાળો હોય છે, પરંતુ આ રાજા અન્યાયના કલંક વગરને હતો. ચંદ્રની ઉપમા સાર્થક થાય છે. કોઈક દિવસે રાજસભામાં રાજા બેઠેલા હતા, ત્યારે પ્રતિહારે નિવેદન કરેલ વિનય.. ગુણયુક્ત ગજશેઠનો દત્ત નામને પુત્ર ત્યાં આવ્યું. રાજાના ચરણમાં રાજાને ચેપગ્ય નજરાણું ધરાવીને પ્રણામ કરી આદરસહિત જ્યારે આસન ઉપર બેઠે, ત્યારે રાજાએ તેને પૂછયું કે-“હે ગજવંદન ! તું કેટલા લાંબા સમયે દેખાય ? તારે દેહ તો સારી રીતે કુશળ વતે છે ને ? પ્રત્યુત્તર આપ્યો કે, આપના મુખારવિંદને દેખીને વિશેષ કુશળ છે. હે મહાપ્રભુ ! અહિં લાંબા સમયે દેખાવાનું કારણ એ છે કે, વેપારીઓને કુલધર્મ એવો છે કે-દિયાત્રાએ દૂર જઈને પણ ધન ઉપાર્જન કરવું. દુખે કરીને છોડી શકાય એવી સ્ત્રી અને ઘરવાળો જે મનુષ્ય પૃવીતલનું અવલોકન કરતો નથી, તે કૂવાના દેડકાની જેમ સાર કે અસાર પદાર્થને જાણી શકતો નથી. પૃથ્વીમાં પર્યટન કરનાર વિવિધ પ્રકારની અનેક ભાષાઓ જાણે છે, ચિત્રવિચિત્ર દેશપરદેશના રીતરિવાજો અને નીતિઓ જાણે છે, વળી અનેક આશ્ચર્યો જોઈ શકે છે. તેથી હું જગતમાં પ્રસિદ્ધ એવા દેવશાલ નામના નગરમાં ધન ઉપાર્જન કરવાના કારણભૂત વેપાર માટે સુખપૂર્વક ગયે હતો. રાજાએ પૂછયું કે, “ ત્યાં જતાં-આવતાં માર્ગમાં જે કંઈ પંડિતેના મનને આશ્ચર્ય પમાડનાર એવું અપૂર્વ આશ્ચર્ય દેખ્યું હોય, તે કહે.” ત્યારે દત્તે કહ્યું કે, સેંકડો આશ્ચર્યોથી પૂર્ણ એવું દેવશાલ નામનું મહાનગર છે, તેને ચારે બાજુ વીંટાએલ ફટિક પાષાણને કિલો છે, વળી તેમાં અનુપમ દેવમંદિરો છે. જાણે સૂંઢ વગરનો, બીજા પક્ષે કેર એટલે રાજગ્રાહ્ય કર જેમાં લેવામાં આવતો નથી, એ સુહસ્તી હતે. ત્યાં કેઈ લોકો માયા-કપટ કરતા નથી. તથા સવે લોકો પીડા વગરના છે. ત્યાં સ્ત્રીઓની રક્ષા ઈચ્છતા નથી, વેશ્યાવગને કઈ માનતા નથી, ફલેશની બુદ્ધિને જ્યાં સર્વથા અમાન્ય ગણેલી છે. વળી જ્યાં માંસના આહાર કરનારા હતા નહિ. ત્યાં ઉત્તમ બુદ્ધિવાળા પંડિતોના ચરિત્રવાળા લોકો હતા, પણ ધીવર એટલે માછીમારના ચરિત્રવાળા ન હતા. જ્યાં પ્રધાન-મુખ્ય મુનિઓ કળા સહિત હતા, પરંતુ સ્ત્રીઓ સહિત ન હતા. હે દેવ! આપની પાસે તે નગરીનું કેટલું વર્ણન કરવું? બીજા પણ કેટલાંક આશ્ચર્ય દેખેલાં છે, પણ તે કહેવા અસમર્થ છું. હે દેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy