SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ઋદ્ધિસુંદરીની કથા ૪૪૫ પરંતુ બંનેએ અવશ્ય સુખ-દુઃખ સહન કરવાનાં જ હોય છે. માટે બુદ્ધિશાળી ધીરપુરુષએ આ ઉદયમાં આવેલાં સહન કરી લેવા ગ્ય છે. ખરેખર તે પુરુષ ધીર અને સાહસિક ઉત્તમ સત્ત્વવાળા અને મહાયશવાળા છે કે, જેઓ આપત્તિ પામવા છતાં પણ અહિં ધર્મકાર્યમાં પ્રમાદ કરતા નથી. –આ પ્રમાણે સામસામા ધર્મ દેશના કરીને ધીરભાવને ભાવતા, શ્રાવકધર્મનું સુંદર પાલન કરતા હતા. ધર્મમાં અતિસ્થિરતા પામેલા એવા તેઓએ બેટના કિનારા ઉપર વહાણ ભાંગી ગયાના ચિહ્ન તરીકે વૃક્ષ ઉપર ધોળી ધજા ફરકાવી. તે દવંજા દેખીને નાની નાવડીમાં બેસીને કેટલાક મનુષ્યો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ ધર્મને કહ્યું કે, અમને લોચન નામના વેપારીએ મોકલ્યા છે. જે તમારે જંબુદ્વીપમાં આવવું હોય, તે આ નાવડીમાં આવી જાવ. ” ત્યારે પ્રિયા સહિત ધર્મ તે નાવડીમાં ચડી બેઠે. એટલે પછી મોટા વહાણના માલિકે તેને ગૌરવ-સહિત મેટા વહાણમાં બેસાડ્યો. હર્ષ પામેલા તે બંને નેહવાળી કથા કરતા કરતા ભરત સન્મુખ જતા હતા, જેટલામાં સમુદ્ર કાંઠેથી નીકળ્યા. બે રાત્રિ-દિવસ ગયા, એટલે હદય હરણ કરનારી ધર્મની ભાર્યાને લેચન જતો હતો, ત્યારે કામદેવાગ્નિ વ્યાપેલા દેહવાળો તે ચિતવવા લાગ્યો કે, “અહો ! વિધિએ લાંબા કાળે પોતાના વિજ્ઞાનને પ્રકર્ષ અત્યારે આ રમણીનું શ્રેષ્ઠ રૂપ રચીને પ્રગટ કર્યો, અથવા તે નિરંતર કાર્ય કરતાં કરતાં અતિશય થાકી ગએલા કામદેવના ઉપર જયને વિજય મેળવવા માટે હાથભાલાના બાનાથી આને બનાવી હશે એમ હું માનું છું. મારાં યૌવન કે ધન અથવા તો રૂપ કે જીવિતનું મને શું પ્રયોજન છે? જે આ સુંદરી જાતે ઉકંઠિત બની મારા ગળે ન વળગે તે. નક્કી આ પિતાના ભર્તારને છોડીને બીજા પુરુષની ઈચ્છા નહીં જ કરે. કારણ કે, પાકેલી કેરી છેડીને લિંબોળી ખાવાની અભિલાષા કોણ કરે ?” આ પ્રમાણે તે પાપકર્મી અનેક વિક૯૫-સપેથી ડંખાએલા આત્માવાળો દુભવીની જેમ ઘમને મારી નાખવા તૈયાર થયો. મધ્યરાત્રિ–સમય થયો અને બીજાઓ ઉંઘી ગયા હતા, તેમ જ બીજા કાર્યમાં રોકાએલા હતા, ત્યારે તેણે પ્રમત્તચિત્ત-ઉંઘતા તે ધર્મને ઉંડા સમુદ્રમાં ફેંકી દીધો. પ્રભાત-સમય થયે, ત્યારે ઋદ્ધિસુંદરીએ પોતાના પતિને ન દેખવાથી “હવે મારે શું કરવું ? ” તેમ મૂઢ બનેલીએ કરુણશબ્દથી રુદન ચાલુ કર્યું. “હું તારું દાસપણું સ્વીકારીને તારા મનની શાંતિ કરીશ. હવે તું કહે કે, અત્યારે અમારા સરખાએ શું કરી શકાય ?' આ પ્રમાણે તેનો વચનોલ્લાપ સાંભળીને વિચક્ષણ એવી તેણે તેના મનભાવ ઓળખી લીધા. સંવેગ-ભાવિત મનવાળી તે પિતાના રૂપની નિંદા કરવા લાગી. વિચારવા લાગી કે, “નકકી આણે જ આ મહાપાપ કરેલું છે. કારણ કે, કરાગ્રહના વળગાડવાળાને કાર્યાકાર્યનો વિવેક હોતું નથી.” તે હવે રાત્રે મારે પણ આ સમુદ્રમાં પડવું યુક્ત છે. કારણ કે, “પતિના વિયોગમાં કુલસ્ત્રીઓને મરણ એ જ શરણ હોય છે.” (૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy