SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ] ઉપદેશપદ-અનુવાદ અથવા તો જિનમતમાં બાલ-મરણ પ્રયત્નથી નિષેધેલું છે, જે જીવતી હઈશ. તે કદાચિત સુંદર ધર્મ અને ચારિત્ર લેવું સંભવે છે, તો જીવતા રહેવું યોગ્ય છે, પરંતુ સમજી શકાતું નથી કે, આવા સંકટમાં સમુદ્રના છેડે પહોંચતાં સુધીમાં અખંડિત શીલગુણ કેમ ટકાવી શકીશ ? અથવા એક ઉપાય છે, હાલ શાંતિથી સમજાવીને કાલ પસાર કરે, “આશામાં પડેલા પુરુષે સો વરસ પણ પસાર કરે છે.” એમ વિચાર કરીને તેણે કહ્યું કે, “હવે મારી બીજી કઈ ગતિ હોઈ શકે ? માટે સમુદ્રનો પાર પામ્યા પછી ઉચિત વિચારીશું.” આશાએ બંધાએલ એવા તે મોહાંધે તેની વાત સ્વીકારી અને “ શ્વાન જેમ રોટલીના ટુકડા માટે રાહ જુવે” તેમ કિનારો આવવાની રાહ જોવા લાગ્યા. હવે અનીતિ કરનારને દેખીને કોપાયમાન થયેલ દેવતાએ ખરાબ વાયરો વિકુÖને એકદમ યાનપાત્ર ફેડીને નાશ પમાડયું. પુણ્યયોગે સુખ આપનાર જેમ સમ્યફત્વ પ્રાપ્ત થાય, તેમ પાટિયું પ્રાપ્ત કરીને સંસાર સરખા ભયંકર સમુદ્રને તે પાટિયાથી સુંદરી પાર પામી ગઈ. આગળ કઈ ભાંગી ગયેલા યાનપાત્રનું પાટિયું પ્રાપ્ત થવાથી ધમ પુણ્યયોગે એકદમ સ્થાનેશ્વરના સ્થળમાં મળે. એક-બીજાને અણધાર્યો મેળાપ થવાના કારણે આનંદામૃતરસથી સિંચાએલા સર્વ ગાત્રવાળા તેઓએ પોતપોતાના અનુભવ કહી જણવ્યા. લોચનનું ચરિત્ર જે એકબીજાએ જાણ્યું હતું, તે પણ એક બીજાએ કહ્યું. લોચનની આપત્તિ જાણીને ધર્મ ઘણો વિષાદ પામ્યા. કરુણવાન પુરુષે અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર થાય છે. વળી તેણે કહ્યું કે, “હે પ્રિયે! જિનેધરો, ગણધરો વગેરે મહાભાગ્યશાળીઓને ધન્ય છે કે, જે શાસ્ત્રોનો અભ્યાસ કરીને અશુભ ભાવનો ત્યાગ કરે છે. આપણને તો આ અશુભ ભાવ ચાલ્યા જ કરે છે. જેથી શુદ્ધધર્મનો પ્રતિબોધ ઘણો દૂર છે અને પાછળથી અશુભભાવ વિશેષ અધિક થયેલ છે. જેણે નિસ્પૃહભાવથી આપણને સમુદ્રનો કિનારે પ્રાપ્ત કરાવ્યું, તે કેમ અહિં જીવિતને સંદેહ અને ધનહાનિ પામ્યો ? ” આ પ્રમાણે લોચનને શોક કરતા હતા, ત્યારે નજીકના ગામના સ્વામીએ તેમને દેખ્યા અને તેમનું અપૂર્વ રૂપ દેખીને તે ચિતવવા લાગ્યો કે, પ્રિયા-સહિત કામદેવ-સમાન આ કેઈ ઉત્તમ પુરુષ છે, પરંતુ દેવયોગે અહિં આ એકાકી આવેલો જણાય છે. માટે દેવસ્વરૂપ-સમાન એમનું ઉચિત ગૌરવ તથા મારા વૈભવનુસાર તેમને સત્કાર-સન્માન કરું. કાદવમાં ખેંચી ગયેલા હાથીને બીજા મોટા ગજેન્દ્રો બહાર ખેંચી કાઢે છે. તેમ આપત્તિમાં આવી પડેલા સજજનેને ઉદ્ધાર સુજનો કરે છે, એમ વિચારીને તે ગામસ્વામીએ તે વણિકને બહુમાન–પૂર્વક પિતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું અને એક સુંદર મકાનમાં ઉતારો આપે, તેની સારી આગતા-સ્વાગતા કરી તેને ફલેશ દૂર કર્યો. અનાકુલ નવાળા ધર્મના કાચિત વ્યવસાયમાં ત્યાં દિવસે પસાર થતા હતા અને તે ભાગ્યશાળી સુખેથી ત્યાં રહેલે હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy