SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ] ઉપદેશપદ-અનુવાદ ઋદ્ધિસુંદરી તેમને કહેવા લાગી કે, “અરે! હવે તમે જલદી આગળ ચાલ, આવી નકામી અસંબદ્ધ વાત કરવાનું બંધ કરો. એટલામાં તે ધર્મ વેપારીને છીંક આવી, એટલે પિતાના તેવા નિમિત્તે કારણે આવેલી હોવાથી છીંક પછી “નમો જિણવરિંદાણું -એમ ઉચ્ચારણ કર્યું. તે શબ્દ સાંભળીને ઋદ્ધિસુંદરીનું હૃદય અધિક ઉલ્લાસ પામ્યું અને તે બોલી ઉઠી કે, “જિનવરનો આ ભક્ત દીર્ઘકાળ છે.” આ સર્વ વૃત્તાન્ત સુમિત્ર શ્રેષ્ઠીએ જાણ્યો. તેણે ભવ્યજીવની જેમ ધર્મનું સ્વરૂપ પૂછયું. પરિવારને સાથે લઈ જિનમંદિરમાં ગયા. ત્યાં એકચિત્તથી પ્રભુની પૂજા કરી, પછી ગુરુને વંદન કર્યું. દ્વિસુંદરીના પિતાએ પોતે જાતે જઈ તેને સારા મુહૂર્તમાં ધર્મ વણિકને આપી. આગળ તેના પિતાએ કુલ, રૂપ, વૈભવ, ભંડાર, કૌશલ્ય, કીર્તિવાળા જે જિનમતની બહાર હતા, તેમને ઘણાએ માગણું કરવા છતાં જે કન્યા આપી ન હતી, તે આ ધર્મ પામેલા ધર્મવણિકને આપી. અત્યારે ન માગવા છતાં જિનમતમાં અનુરાગવાળા એવા ધમેં પ્રાપ્ત કરી. અથવા તો “જિનમતમાં રહેલાને વગર માગ્યે સુખ આવીને સાંપડે છે.” સંપૂર્ણ મનોરથવાળા તેને વિવાહ પૂર્ણ થયે, ત્યારે પ્રિયા સહિત ધર્મ સર્વ કરવા ગ્ય કાર્યો નીપટાવીને તામ્રલિપ્તીએ પહોંચ્યા, તે બંનેને નેહ-સદભાવવાળો પ્રેમ થયો. જેથી આંખના પલકારા જેટલો સમય પણ પરસ્પર એકબીજાને વિયેગ સહન કરી શકતા નથી. હવે કોઈક સમયે ઘણું કિંમતી કરિયાણાએ ભરીને વહાણ તૈયાર કરી, પિતાની ભાર્યા સહિત ધમ ધન પાર્જન કરવા માટે સિંહલદ્વીપ નામના પ્રીપે ગયા. ત્યાં ઘણું ધન ઉપાર્જન કરીને પ્રફુલ્લિત ચિત્તવાળે ઘરે આવવા પાછો ફર્યો. ત્યારે ભવ-સમાન ભયંકર એવા સમુદ્રની અંદર ભવિતવ્યતાના નિયોગથી અણધાર્યો મેઘનો અંધકાર ફરી વળે. મોટા મોટા કોલોને ઉછાળનાર એ કલિકાવાત ઉછળે. પ્રલયકાળના પવન વડે હણાયેલ મહાભયંકર મહાસમુદ્રને દેખીને અ૯પકાળમાં વહાણનાં લંગોને વહાણના સેવકોએ લંબાવ્યાં. (૨૫) જે તપટવાળો સઢ હતો, તેને પણ સંકેલી લીધે. સમુદ્ર-દેવતાઓને પ્રાર્થના શરુ કરી. આ બંને વણિક દંપતીએ ત્યાં આગાર–સહિત પચ્ચક્ખાણ અંગીકાર કર્યું. ચક ઉપર રહેલે માટીને પિંડ જેમ બ્રમણ કરે, તેમ યાનપાત્ર ભ્રમણ કરીને એક ક્ષણમાં સ્ત્રીના હદયમાં રહેલી ગુપ્ત વાત જેમ ફૂટી જાય, તેમ તે તરત ભાંગી ગયું. જેમણે જીવવાની આશા છેડી દીધી છે, પાણીમાં ઉંચા-નીચા ડૂબતા અને તરતા એમ કરતાં કઈ પ્રકારે સુંદરીએ અને ધર્મે બંનેએ બે લાકડાનાં પાટિયાં પ્રાપ્ત કર્યા. ચાર-પાંચ દિવસ પછી તેઓ બંને એક દ્વીપમાં પહોંચી ગયા અને હર્ષ—વિષાદ કરતાં બંનેનો ફરી મેળાપ થયો. સમુદ્ર-સમાન પાર વગરના આ ઘર સંસારમાં વિપત્તિઓ પ્રાપ્ત થવી સુલભ છે, પરંતુ સુવિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. અસાર સંસારનું સ્વરૂપ અને જિનેશ્વરોએ કહેલાં તેના જાણકારે સંપત્તિ પ્રાપ્ત થાય, ત્યારે પ્રમોદ અને આપત્તિમાં વિષાદ કરે યોગ્ય નથી. ધીરપુરુષ હોય કે કાયરપુરુષ હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy