SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ અકરણ નિયમ ઉપર બુદ્ધિસુંદરી, દ્ધિસુંદરીની કથા [ ૪૪૩ એવા મને તે અતિનિર્મલ વિવેક-નેત્રો આપ્યાં, તેમ જ નરકના ઉંડા ખાડામાં પડતાં મને તે વચમાંથી પકડી રાખી ઉગાર્યો. હે સુંદરાંગ! ખરેખર હું મંદભાગ્યવાળો છું. હવે કહે કે, “અત્યારે તારું શું પ્રિય કરું?” તેણે કહ્યું કે-“પરસ્ત્રી-ત્યાગની વિરતિ અંગીકાર કરો. સૂર્યોદયને દેખીને ચકલાક પક્ષી જેમ હર્ષ પામે, તેમ હર્ષથી રોમાંચિત થયેલા અંગવાળો રાજા પદારા-વિષયક વિરતિને ગ્રહણ કરનાર થયો, તેમ જ ધર્માનુરાગી બન્યો. “હે સપુરુષ! શાબાશ શાબાશ ! તત્વને બરાબર જાણ્યું, તેમ જ સર્વ અંગીકાર કર્યું, ખરેખર તમે તમારા વંશની મલિનતા ન કરી–એમ તેની પ્રશંસા કરી. તેની વારંવાર ક્ષમા માગી, પૂજા-સત્કાર કરી તેને પોતાના સ્થાને જવા રજા આપી. મંત્રીના ઉપર પણ આગળ માફક કૃપાવાળો થયો. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ પણ નિષ્કલંક પાપ ન કરવા રૂપ નિયમનું યથાર્થ પાલન કર્યું. જિનશાસનરૂપી કમળને શેષનાગ જેમ મસ્તક ઉપર મણિ ધારણ કરે, તેમ ધારણ કરતી પિતાનું શીલ પાલન કરી નિયમનું પાલન કર્યું. (૫૮) ઋદ્ધિસુંદરીની કથા તામ્રલિપ્તી નગરીના ઉત્તમ ક૯૫ક્રમ સમાન જિનધર્મ જાણનાર ધર્મ નામનો વણિકપુત્ર તામ્રલિપ્તી નગરીથી વેપાર માટે સાકેત નગરીએ આવ્યો. દુકાન પર બેઠેલા તેણે કોઈક સમયે રાજમાર્ગમાં સખીઓ સાથે જતી અણધારી ઋદ્ધિસુંદરીને દેખી. ધમં વણિકે ત્યારે વિચાર્યું કે, “અસાર એવા આ સંસારમાં આ મૃગ સમાન નેત્રવાળી દેવાંગના સમાન રૂપવાળી દેખાય છે. તો જે ગૃહવાસની આશા કરવી હોય અને અ૮૫ પણ વિષયસુખ ભોગવવું હોય તે, આની સાથે સંબંધ કરવો એગ્ય છે, નહિંતર બીજા સાથે તે વિડંબના ભેગવવાની છે. આમ ચિતવતાં તેની નજર વારંવાર નિવારણ કરવા છતાં એકવાર વિયાયેલી ગાયની નજરે જવાસા તરફ જાય, તેમ બલાત્કારે જવા લાગી. દેવયોગે આ સમયે કુતૂહલ જોવામાં વ્યાકુલ મનવાળી એવી તેની દષ્ટિ પણ એકદમ તેના ઉપર પડી. તેને જોવાની ઈચ્છાવાળી તેને ઉદ્દેશીને સખીવર્ગને કહેવા લાગી કે, અલી ! આ કઈ નવીન વેપારી આવ્યા જણાય છે. તેને મનભાવને જાણીને તેની એક સખીએ કંઈક હાસ્ય કરતાં તેને સમજાવ્યું કે-“હે સખી! આ કઈક તલનો નવો વેપારી આવેલો જણાય છે.” બીજી સખીએ કહ્યું કે આ તો કઈ ચતુર ખેડૂત છે કે, જે સમગ્ર છેડવા વિષે એકદમ પુષ્કળ નલ ઉગાડે છે.” વળી ત્રીજી સખી કહેવા લાગી કે, “અરે ! તું તો ભેળી જણાય છે. કારણ કે, આ તે આપણા દેખતાં જ ચેરી કરનાર છે. કારણ કે, આપણી પ્રત્યક્ષ જ આણે આપણી સખીનું ચિત્તરૂપી સર્વ ધનનું હરણ કર્યું છે. માટે હે મુશ્કે! આને જલદી મહારાજા પાસે પકડી લઈ ચાલે, જેથી આપણે સ્વામિનીનું સમગ્ર ચરેલું હૃદય-ધન પાછું અર્પણ કરે. વળી અન્ય કોઈ સખી બેલી કે, “અરે સખી! આને આપણું સખીએ ગાઢ અનુરાગથી ગ્રહણ કરેલ છે. હવે તે જીવવા માટે સ્વામિનીના શરણની જ ઇચ્છા કરે છે. એટલે વિલખી થયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy