SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિસુંદરી અને શીલ-રક્ષા-પ્રબંધ [ ૪૪૧ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે ખરો ? અન્યાય કરનારને શિક્ષા કરનાર તમે તે રાજઋષિ છો. જે પોતે જ દુર્તીતિ આચરે, તે બીજાને કેવી રીતે નિવારણ કરી શકશે ? બીજું રાજાને પોતાના દેશમાં રહેલા પ્રજાજને પિતાના પુત્ર-પુત્રી સમાન હોય છે, તો તેમના વિષે ન્યાયયુક્ત રાજાઓએ પ્રેમરાગ કરે, તે ઘટતું નથી. તમને ઉત્તમકુળમાં જન્મેલી અનેક વધૂઓ છે, તો પછી મારા સરખી મહાહીનજાતિની સ્ત્રીઓ સાથે રાગ કરવામાં શરમાતા કેમ નથી ? પરાક્રમ અને પ્રતાપરૂપી વૃક્ષને બાળી નાખવામાં અગ્નિ સમાન પરસ્ત્રી છે, તો હવે તમે નિરર્થક ચંદ્રસમાન નિર્મળ યશને કલંક કરનાર ન બને.” આ પ્રમાણે તેણે ઘણુ યુક્તિપૂર્વક રાજાને સમજાવ્યા, છતાં ભરેલા ઘડામાં નાખેલું જળ નિરર્થક વહી જાય છે, તેમ તે મૂઢ રાજાના કાનમાં સ્થાન ન પામ્યું. હવે હાસ્ય કરતાં રાજાએ કહ્યું કે, “હે સુંદરી ! આ સર્વે હું બરાબર જાણું છું, પરંતુ આ સર્વ વિચારણા સ્નેહ-વગરનાને માટે છે. કહેવું છે કે જ્યાં ગણતરી કરતાં કરતાં અર્થ– ધન ચાલ્યું જાય છે, તે તેનાથી અલપ પણ પ્રાણપીડાનું રક્ષણ કરવું. જ્યાં યોગ્ય અને અગ્ય, યુક્ત અને અયુક્ત કાર્ય છે–એમ જેવાય, એવા સ્નેહ કરનાર વિષે જલાંજલિ અપાય છે. તેને નિશ્ચય જાણીને હવે કાલક્ષેપ કર-એમ બુદ્ધિથી વિચારીને બુદ્ધિસુંદરીએ આદર-સહિત રાજાને કહ્યું કે-(૨૫) જે હવે તમારો આ નિશ્ચય જ છે, તે પણ મારી પ્રાર્થના છે કે, જ્યાં સુધી મારા નિયમની સમાપ્તિ ન થાય, ત્યાં સુધી હાલ રાહ જોવી. કારણ કે, જે કંઈ પિોતાના ગ્રહણ કરેલા નિયમનો ભંગ કરે છે, અથવા તો કોઈ દુબુદ્ધિ માણસ ભંગ કરાવે છે, તે બંને ભયંકર ભવારણ્યમાં અનેક દુઃખો ભોગવનારા થાય છે. રાજાએ અનિચ્છાએ પણ તેની વાત કબૂલ રાખી, તે એટલા માટે કે-આ સ્ત્રીને ભય ન થાવ.” પ્રધાનપત્ની પણ હવે કંઈક શાંતચિત્તવાળી થઈ અને રાજાને કેમ પ્રતિબોધ પમાડવો? એમ ઉપાય વિચારતી વિવિધ પ્રકારના વિનોદમાં સમય પસાર કરતી હતી. - હવે કેઈક દિવસે ઘણું પ્રશસ્ત એવું ઔષધ-વિશેષ મંગાવરાવીને કઈક હોશિયાર શિપી પાસે પિતાની સરખી પ્રતિકૃતિ–પૂતળી બનાવરાવી. અંદરથી તે પિલાણવાળી રાખી. તેમાં અતિશય દુર્ગધ મારતી અશુચિ વસ્તુ ભરી. બહારથી મજબૂત અને કરેલા સુગંધ વિલેપનવાળી સુશોભિત પોતાના સમાન સુંદર મૂર્તિ તૈયાર કરાવી. હવે ત્યાર પછી વાતચિત્તનો વિનોદ કરવા માટે જ્યારે રાજા આવ્યા, ત્યારે કાંઈક હાસ્ય કરતાં રાજાને તે મૂર્તિ બતાવતાં પૂછ્યું કે, “હું આવી જ છું કે કેમ?” વિસ્મય પામેલા મનવાળા રાજાએ પણ કહ્યું કે-“હે સુંદરાંગી ! તારું કળા-કૌશલ્ય પણ કઈ અસાધારણ જણાય છે. તે તો તારું આ રૂપ આબેહૂબ અને અધિક બનાવ્યું છે. તું જેના હૃદયમાં રહેલી છે, એવા નિશ્ચિત મનવાળા તેના મનને તે હે સુંદરી ! આ જરૂર શાંતિ આપનારી છે, એમાં સંદેહ નથી.” “તે જે એમ જ છે, તે હે સુપુરુષ ! આ મૂર્તિને તમારા ઘરમાં સ્થાપન કરો અને કુલને કલંક લગાડનારી એવી મને હવે ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy