SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ] ઉપદેશપદ-અનુવાલ રાજપુત્રીએ આ પ્રમાણે પાપવિષયક અકરણ નિયમનું સારી રીતે આરાધન કર્યું.. હંમેશાં પ્રવતિનીનું વચન યાદ કરતી ધમરાધન કરવા લાગી. (૧૫૫) બુદ્ધિસુંદરીની કથા હવે મંત્રીપુત્રી બુદ્ધિસુંદરીને પિતાએ સુસમનગરમાં ઘણું વિનંતિ કરી, ત્યારે. સુકીર્તિ નામના મંત્રીને આપી. ઉત્તમ કળા-સમૂહથી પૂર્ણ ચંદ્ર-સમાન પર્તિને પામીને સૌભાગ્યવંતી તે પૂર્ણિમાની રાત્રિની જેમ જગતમાં અતિ શેભાયમાન બની. કેઈક વખત રાજા રાજપાટિકાએ નીકળતો હતો, ત્યારે પ્રાસાદતલ ઉપર રહેલી સ્કુરાયમાન દેવાંગના-સમાન તેને દેખી. અપૂર્વ લાવણ્ય દેખીને રાજાનું મન જાણે શિલાજિતમાં ખૂચી ગયું હોય, તેમ ત્યાંથી આગળ જવા શક્તિમાન ન થયું. કામાગ્નિથી તપેલા દેહવાળા રાજાએ બીજો ઉપાય ન દેખવાથી બીજા દિવસે પોતાની અંગત દાસીને તેની પાસે દૂતી તરીકે મોકલી. તે દાસીએ અનેક મનહર વિચિત્ર યુક્તિ અને વચનોવડે લોભાવવા છતાં તેનો તિરસ્કાર કરી તેનો હાથ પકડી ત્યાંથી કાઢી મૂકી. તો પણ મોહાંધ રાજા કામ ગ્રહથી અત્યંત પીડા પામ્યો અને લાજનો ત્યાગ કરી અનાર્ય એવો તે તેને ગ્રહણ કરવા માટે તૈયાર થયો. રાજાએ એકદમ તેના પુત્ર, પત્ની સહિત મંત્રીને જકડીને કેદખાનામાં પૂર્યો અને ખાનગી મંત્રણ પ્રગટ કરી એવો અપરાધ કપટથી જાહેર કરવા લાગ્યો. હે પ્રભુ ! નગરલોકો આપને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે કે, “ આ વૃત્તાન્ત આ પ્રમાણે છે ” એમ કરીને કોઈ પ્રકારે મંત્રીને છોડાવ્યો, પરંતુ રાજાએ સુંદરીને ન છોડી. ત્યાર પછી મંત્રી મોટા શબ્દોથી લોકોને કહેવા લાગ્યો કે, “અરે નગરલોકો! તમે મારી ખાત્રી કરો. હું કઈ પ્રકારે લાંબા કાળે પણ તેને છોડાવ્યા વગર જ પીશ નહિં.” તેને અભિપ્રાય જાણીને ઉગ ચિત્તવાળા નગરલોકો ફરી રાજા પાસે ગયા. ત્યારે જાણકાર બીજા કેઈએ જણાવ્યું કે, સુંદરીને અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો છે. વળી રાજદૂતીએ ફરી તેને વિનંતિ કરી કે, “મારુ વચન તું કેમ માનતી નથી? હે મુગ્ધા ! આવા સૌભાગ્ય ઉપર હજુ તારે મંજરીની માગણી કરવી છે? જે તે પ્રથમથી જ આ વાત સ્વીકારી હતું, તે આટલે પરિશ્રમ કેણ કરતે ? શાંતિથી કાર્ય સરતું હોય તો પ્રચંડ દંડ કેણ આચરે? આવા પ્રકારને આગ્રહ અને સ્નેહ સદભાવ જે તે જાણે છે, તો હવે તું મારી અવજ્ઞા ન કર કે, જેથી તે અખંડિત થાય. રાજાનું વચન સાંભળીને અતિશય સંવેગરસને અનુભવતી તેને પ્રતિબંધ કરવાની અભિલાષાવાળી મંત્રિપ્રિયા કહેવા લાગી કે, આવા પ્રકારના અધમ અકાર્યનું આચરણ તો જેઓ હીનજાતિવાળા હોય, તે જ આચરે છે. હે નરનાથ ! તમારા સરખા ઉત્તમ કુળમાં જન્મેલાને આવું કાર્ય છાજતું નથી. સજજન મનુષ્ય ગમે તેવી આપત્તિમાં આવે, તે પણ તે પિતાની મર્યાદા છોડતો નથી, ગમે તે પવન ફુકાય, તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy