SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા (૧) રતિસુંદરી શીલ-રક્ષા [ ૪૩૯ મટાડવા સમર્થ થાય છે. હે નરવર! પરદારાના પ્રસંગ કરવાથી વંશની મલિનતા થાય છે. વળી જગતમાં 'મેશાં રાવણની જેમ અપયશના ઢાલ વાગે છે, નરકગતિ પ્રાપ્ત થાય છે. વળી પરદારા-સેવનથી ભવાંતરમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, નપુંસકપણુ, ભગંદર, કાઢ આદિ રાગેાનાં દુઃખા પરદારાના પ્રસ`ગ કરનારા આત્માએ અનતી વખત પ્રાપ્ત કરે છે. આવા પ્રકારનાં દુ:ખાથી હવે આપણે મને આજથી મુક્ત થયા છીએ. આ કારણે આપણા બંનેના હિત ખાતર આ દુષ્કર કાર્યાં હોવા છતાં મે' કર્યું છે. બીજી વાત એ છે કે- હું મહાયશવાળા ! મારા જ દોષથી તમે પાપ-સન્મુખ થયા, તેથી કરીને નિર્ભાગી હું તમને મારુ' મુખ કેવી રીતે દેખાડી શકુ'? મારાં લેાચન જવાથી તમારુ' દુતિમાં ગમન થતું અટકી ગયું, તે તેથી શું મને લાભ ન થયે? કારણ કે, પરોપકાર થાય તેા આપણા પ્રાણા સફળ ગણાય.’ (૧૪૦) આ વગેરે યુક્તિ-પૂ ગ'ભીર દેશના શ્રવણ કરતાં રાજા પ્રતિબેાધ પામ્યા. અતિશય સ'તેષ પામેલેા તે દેવીને કહેવા લાગ્યા કે, ‘હે સુંદરી ! હિત અને અહિતના ચાગ્ય વિભાગેા તું જાણે છે, તે હવે તું મને આજ્ઞા કર કે-મંદપુણ્ય એવા મારે હવે શું કરવું યુક્ત છે ? રતિસુંદરીએ કહ્યું કે, હું સુંદર ! હવે પારકી સ્ત્રીના સંગની વિરતિ કરે કે, જેથી ભવમાં ઉત્પન્ન થનારાં દુઃખાના ભાજન તમે ન થાવ.’ ત્યાર પછી અતીવ પશ્ચાત્તાપ રૂપી તીવ્ર અગ્નિથી ઝળતા મનરૂપી વનવાળા, તેને ધર્મગુરુ માનતા રાજાએ તેની આજ્ઞાને અંગીકાર કરી. હવે રાજા ચિતવવા લાગ્યા કે, ' અનાય એવા મે' આ મહાસતીના મહાઅનથ કર્યાં, આ પ્રમાણે સહન ન કરી શકાય તેવા શેાકવાળા થયા અને સ` વ્યાપાર છેાડી દીધેા. : હવે રતિસુ ંદરી પણ મનમાં શાસનદેવીનું સ્મરણ કરીને જિન અને નવકારનું ધ્યાન કરતી કાઉસ્સગ્ગમાં ઉભી રહી. એટલે એકદમ શાસનદેવી આકપિત થઇ તરત જ ત્યાં હાજર થઈ અને તેના શીલના પ્રભાવથી પહેલાં કરતાં પણ અધિક વિલાસ અને શેાભાવાળાં અને નેત્રા કર્યાં. નેત્રવાળી એવી તેનાં દર્શનરૂપી શીતલ જળથી જેના સમગ્ર શેક-સંતાપ નિવારણ થયા છે, એવા તે નરેન્દ્રે અતિશય સ્થિર ચિત્તવાળા બનીને વ્રતા અંગીકાર કર્યાં. ઘણા પ્રકારે પેાતાના અપરાધ ખમાવીને વિશ્વાસુ એવા બીજા મોટા સત્પુરુષોને સાથે માકલીને, ઘણા પ્રકારનેા સત્કાર કરીને તેને નંદન-નગર માકલી આપી. ચદ્રરાજાને કહેવરાવ્યું કે-‘ આ મારી સગી ભગિની, ધર્મ ગુરુ, મહાત્મા મહાસતી અને દેવથી રક્ષા કરાએલી છે. અના ઉપર કાઈ પણ અશુભ આશકા ન કરવી. પાપિષ્ઠ એવા મારા અપરાધાની પણ ક્ષમા આપી. તું ખરેખર ધન્ય છે કે, જેના ઘરમાં ત્રણે ભુવનની લક્ષ્મી--સમાન આ કમલસમાન નેત્રવાળી, સારપદાથ ના નિશ્ચય કરનારી, દેવથી રક્ષાએલી, આવી સતી રહેલી છે. દુલ અગવાળી તેને દેખીને મહેન્દ્રસિંહે કહેવરાવેલ સદેશે, તથા તેના પવિત્ર વૃત્તાન્તને સાંભળીને ચંદ્રરાજા અતિશય તુષ્ટ થયા. તેની સાથે સુદર ધર્મ વિધિપૂર્વક કરતા હતા, તથા મનેહર રાજ્યપાલન કરતા હતા. આ પ્રમાણે કરતાં તેણે સ્કુરાયમાન યશ-કીર્તિ ઉપાર્જન કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy