SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ] ઉપદેશપદ-અનુવાદ એમ હસતે રાજા ત્યાંથી ચાલી ગયો. જ્યારે સમયની મર્યાદા પૂર્ણ થઈ, એટલે ભોજન પછી મહેન્દ્ર રાજાએ તેને કહ્યું કે, “હે સુંદરિ! આજે તે તારો સમાગમ કરવા એકદમ હું ઉત્કંઠિત થયે છું.” તે દેવીએ રાજાને કહ્યું કે, “એકને મરણ-સમય આવ્યું, ત્યારે પાંચસોની માગણી કરવા આવ્યો ”—આવી જે કહેવત છે, તે અત્યારે સાચી પડી. આજે મેં ઘણા લાંબા કાળે રસવાળું ઘી આદિથી મિશ્રિત મનોહર સ્નિગ્ધ ભોજન કર્યું. તેથી શરીરમાં અત્યારે અતુલ મહાકુલતા ઉત્પન્ન થયેલી છે. વેદનાથી મારું મસ્તક ફૂટી જાય છે, પેટમાં ભયંકર ફૂલની વેદના થાય છે, મારા શરીરના સર્વ સાંધાઓ જાણે તૂટતા હોય, તેમ એકસામટી વેદના ઉત્પન થઈ છે.” આટલું બોલતાં તેણે રાજાના લક્ષ્ય બહાર મદનફલ મુખમાં મૂક્યું, એટલે તરત જ એકદમ ભોજન કર્યું હતું, તે સર્વ વમન કરી નાખ્યું. તેણે કહ્યું કે, “હે રાજન્ ! આ શરીરનું અશુચિપણું દેખ કે, તેવા પ્રકારનાં મનહર ભેજનેને પણ જેણે ક્ષણ વારમાં અશુચિમય કરી નાખ્યાં. વળી તે ભાગ્યશાળી ! અતિશય સુધા પામેલો હોય, તેવા કઈ પણ તમારા સરખા મૂખંશિરોમણિ પુરુષ સિવાય આ વમન કરેલા ભજનની અભિલાષા કરે ખરો ? ત્યારે રાજાએ પૂછયું કે, “હે સુંદરી ! બાલિશ પુરુષ કેવી રીતે થાઉં ? હે મૃગાક્ષી! આવા ભોજનની અભિલાષા કરનારો કેવી રીતે ગણાઉં ?” રતિસુંદરીએ કહ્યું કે, “હે વિચક્ષણ! આ વાત પ્રગટ હોવા છતાં તમે લક્ષ્યમાં કેમ લાવતા નથી ? બીજાએ ભોગવેલી સ્ત્રી એ તો વમન કરતાં પણ વધારે હીન વસ્તુ છે.” રાજાએ કહ્યું કે, હે સુંદરી ! તારી વાત સત્ય છે. આ લોક અને પરલોકમાં આ અત્યંત વિરુદ્ધ છે. વિષયરાગની અધિકતાથી હું તારા સમાગમ માટે અતિલુબ્ધ બન્યા. આ પ્રમાણે બાલતા, નિસાસો મૂકતા રાજાને કહ્યું કે-“આ તુચ્છ શરીરમાં તમને રાગનું કારણ શું દેખાય છે ? ત્યારે રાજાએ કહ્યું કે, “હે સુંદરી ! તપથી શેષિત થયેલા તારા દેહમાં નેત્રોનું મૂલ્ય આખી પૃથ્વી આપી દઉં, તે. પણ અપૂર્ણ રહે છે.” રાજાને નિશ્ચય જાણીને બીજા ઉપાય હવે કામ નહિં લાગેએમ જાણીને પિતાના શીલરત્નનું રક્ષણ કરવા માટે શરીરને વિનાશ ન ગણકારતી રતિસુંદરીએ મહાઆશ્ચર્યકારી સાહસનું અવલંબન કરીને એકદમ પિોતાનાં બે નેત્રો ઉખેડીને રાજાને અર્પણ કર્યા. (૧૩૦) તેણે કહ્યું કે, “હે સુપુરુષ! તમારા હૃદયને આ અત્યંત વલ્લભ છે, તે સુખેથી આ નેત્રો ગ્રહણ કરો, પરંતુ દુર્ગતિમાં પાડનાર બાકીના શરીર-સમાગમ કરવા વડે કરીને હવે સયું. નેત્ર વગરની તેને દેખીને રાજાને રાગ પીગળી ગયે, વૃદ્ધિ પામતા મહાવિષાદથી વિસ્મય પામેલો તે કહેવા લાગ્યું કે-“હે દેવાંગી! આવા પ્રકારનું અતીવ ભયંકર કાર્ય તે કેમ કર્યું? મારા આત્માને પણ અતિશય દુષ્કર દુઃખરૂપ દાહને આપનારું આ કાર્ય તે કર્યું. રતિસુંદરીએ કહ્યું કે, “હે રાજન્ ! તમને અને મને બંનેને આ સુખનું કારણ થયું છે. પ્રબલ રોગવાળાને આકરાં કડવાં ઔષધ રોગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy