SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણકારનુ` મ`ગલ અને પ્રયાજન [ ૩ અદ્ભુત પરાક્રમ રૂપ ભાગ્યને વરેલાં હતા. સમગ્ર ત્રણે લેાકની સહાયતાથી નિરપેક્ષ હાવાથી દીક્ષા લીધા પછી તરત જ દિવ્યાદિ મહાઉપસર્ગ આવે તે અગ્લાનિએ સમભાવથી સહન કરતા હતા. કેવલજ્ઞાન-પ્રાપ્તિ સમયે આઠ મહાપ્રાતિહાર્ય લક્ષણ પૂજા પામતા હેાવાથી, ત્યાર પછી આત્માના અજ્ઞાન અંધકારને દૂર કરનાર, સમગ્ર લેાકેાના મનને હરણ કરનાર, યથા કથનમાર્ગને સમૃદ્ધ કરનારા, જન્મ, જરા અને મરણને દૂર કરનાર પ્રધાન અધ માગધ ભાષા વિશેષથી એકી વખતે મિત્ર સ્વરૂપ મનુષ્ય વગેરે દરેક પ્રાણીઓના સંશય-સમૂહને દૂર કરનાર, પેાતાના વિહાર સમયે સ્પર્શ થયેલા પવન વાવાને કારણે ચારે દિશાના પૃથ્વીમ`ડલમાં પચીશ ચેાજન સુધી સર્વ વ્યાધિના પરમાણુ સમૂહને દૂર કરનાર, સમગ્ર સુરા અને અસુરાના સૌન્દર્યાંથી ચડીયાતા શરીરના સૌન્દર્યાદિ ગુણસમૂહવાળા જે ભગવંત ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. ફરી ભગવત કેવા પ્રકારના ? કેવલજ્ઞાનરૂપ લેાચનખલ વડે કેવલએ વડે જે દેખાય તે લેક, કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્દગલાસ્તિકાય સહિત આકાશ દેશ હાય. તે માટે કહેલું છે કે- ધર્માસ્તિકાયાદિ દ્વન્યા જેમાં વતતા હાય તે દ્રબ્યા સહિત હેાય તે લેાક અને તેથી વિપરીત અર્થાત્ આ છએ દ્રબ્યા રહિત જે આકાશ વિભાગ તે અલેાક કહેવાય.” ત્રણે લાકના સમૂહને ત્રિલેાક કહેવાય. ત્રણે લેાકમાં રહેલા ભવ્યલેાકના નાથ. ન પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન આદિ ગુણેા પ્રાપ્ત કરાવનાર અને પ્રાપ્ત કરેલા ગુણાને તેવા તેવા ઉપાયે ખતાવીને રક્ષણ કરવા રૂપ ચાગ-ક્ષેમને કરનાર તે નાથ કહેવાય, માટે ત્રણે લેાકના નાથ. દુઃખે કરીને અંત લાવી શકાય તેવા અંતરગ શત્રુ કામ-ક્રોધાદિકના સમૂહને જિતનારા હાવાથી જિન. વળી કેવા ? અધમ સ`ગમાસુર તેમ જ બીજા હલકા પ્રાણીઓએ કરેલા અનેક ઉપસગેર્ગમાં પણ અડાલ પરાક્રમવાળા-મહાન શૂરાતનવાળા હેાવાથી મહાવીર-છેલ્લા વમાન નામના તીથંકર. ફ્રી કેવા ? કેવલજ્ઞાનથી દેખી અને જાણીને વચન ચન્દ્રિકા દ્વારા પદાર્થના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનારા હાવાથી લાકાલેાકમાં ચંદ્ર સમાન પ્રકાશ ફેલાવનારા, તથા સિદ્ધ થયેલા-જેમણે સમગ્ર પ્રયાજના સાધી લીધાં છે. “ જુનાં કર્મો જેમણે બાળીને ભસ્મ કર્યા છે, અથવા તા મેાક્ષ-મહેલના શિખર પર જેઆ કાયમ માટે પહેાંચી ગયા છે, જેમનાં સમગ્ર કાર્ય પૂર્ણ થયાં છે તેવા સિદ્ધ પરમાત્મા મારું... મંગલ કરો. તથા પ્રમાણાદિકના બલથી જીવાજીવાદિ રૂપ ઉપદેશ-પ્રવચનને પરમાર્થ જેણે યથાર્થ જાણેલ છે. અથવા સમગ્ર ક્લેશથી સ થા જીવ મુક્ત થાય, તે જ ઉપદેશના પરમાર્થ છે. કારણ કે, તીર્થંકર ભગવંતાએ જે ઉપદેશ આપેલા છે, તેનુ કાઈ પણ ફૂલ ગણેલું હોય તેા માત્ર મેાક્ષ-પ્રાપ્તિ માટે સિદ્ધ થયેલા છે ઉપદેશ જેમને એવા વીર ભગવંત. અહીં મહીં ઘણાં વિશેષશે. એટલા માટે જણાવ્યાં કે જે ન જાગેલા ગુણાને જાણી શકાય, પર ંતુ વ્યવચ્છેદ કરવા માટે ન જાણુવા. જેમ કે કાળેા ભ્રમર, સફેદ અગલા વગેરેની જેમ. ઉપદેશ-પટ્ટા કહીશ. અહીં સમગ્ર પુરુષાર્થીમાં મેક્ષ એ જ પ્રધાન પુરુષાથ ગણેલા હોવાથી બુદ્ધિશાળીઓએ તે જ પુરુષાર્થના ઉપદેશ આપવા Jain Education International 22 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy