SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ] ઉપદેશપદ-અનુવાદ ગર્વને સર્વ પ્રકારે દૂર કરીને તેને પોતાના નગરમાં જવા રજા આપી. દ્રૌપદીને લઈને પિતે રથમાં આરૂઢ થયા, હવે કૃષ્ણ અને પાંડવે જે માગે આવ્યા હતા, તે માર્ગે ઉપડ્યા, અને પોતાની નગરી તરફ ચાલ્યા. પોતાના અને પાંડવોના રથ મળી છ રથે ચાલવા લાગ્યા. હવે જે સમયે યુદ્ધમાં પાંચજન્ય શંખ ફુકીને વગાડ્યો હતો, ત્યારે તે દ્વીપના ભરતક્ષેત્રની ચંપાપુરીમાં કપિલ નામના વાસુદેવ હતા, તથા તે નગરીની બહાર મુનિસુત્રત નામના તીર્થકર ભગવંત સમોસર્યા હતા. ધર્મ સાંભળ્યા પછી છેવટે શંખને શબ્દ સાંભળ્યો, ત્યારે વિલખા થયેલા વાસુદેવ વિચારવા લાગ્યા કે, અહિ બીજા વાસુદેવ કેમ થયા? કઈ બીજા પાસે આ પાંચજન્ય ન હોય. ત્યારે જિનેશ્વરે તેને કહ્યું કે–આમ બન્યું નથી કે બનશે નહિં કે, એક ક્ષેત્રમાં બે જિનેશ્વરો કે, ચકવર્તીઓ, કે વાસુદેવાદિ સાથે બંને હેય.” ભગવંતે કપિલ વાસુદેવને કહ્યું કે, જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાંથી હસ્તિનાપુરના પાંડુરાજાના પાંચ પુત્રોની ભાર્યાને કઈ પૂર્વ પરિચિત દેવ પદ્મનાભ રાજા માટે લાવ્યો છે, તે દ્વારવતી નગરીથી પાંડ અને કૃષ્ણ તેને બળવા માટે એકદમ અપરકંકા નગરીએ આવ્યા છે, તે પદ્મનાભ સાથે તેઓને સંગ્રામ ચાલુ થયો. તે સમયે આ પાંચજન્ય નામને મહાશંખ વગાડ્યો, તે વચન સાંભળીને તેનાં દર્શન માટે ઉત્સુક બનેલ તે કપિલ વાસુદેવ ઉભો થાય છે. (૩૦૦) ત્યારે સુવ્રત જિનેશ્વર ભગવંતે તેને કહ્યું કે-કદાપિ બે જિને, ચકીઓ, વાસુદેવ કે બળદેવો એકઠા થતા નથી, તે પણ તને કૃષ્ણ વાસુદેવના છત્ર, દવારૂપ ચિહ્નોનાં દર્શન થશે. તરત જ હાથી પર આરૂઢ થઈને સમુદ્ર-કિનારે પહોંચ્યો અને લવણસમુદ્રના મધ્યભાગમાં તેઓ પહોંચ્યા, ત્યારે તેમને દેખીને અતિ હર્ષ પામ્યા. ચિંતવ્યું કે, પિતાના સમાન પ્રધાન પુરુષનાં મને દર્શન થયાં. ત્યાર પછી કપિલ વાસુદેવે પણ પોતાનો પાંચજન્ય શંખ ફેંક્યો, એ પ્રમાણે બીજાએ પણ શંખનો પ્રત્યુત્તર શંખ ફુકીને આપે. આમ શબ્દ દ્વારા તેમનું મિલન થયું. કપિલ વાસુદેવે “આ પદ્મનાભ મહાઅપરાધી છે”-એમ કહી દેશનિકાલ કર્યો અને આજ્ઞા પામેલા તેના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેઓ સર્વે બે લાખ યોજન-પ્રમાણ લવણસમુદ્રનું ઉલ્લંઘન કરીને ગંગા મહાનદીના પ્રવેશમાર્ગમાં પણ પહોંચ્યા. કૃષ્ણ પાંડવોને કહ્યું કે, તમે ગંગાનદીને ઉતરો. ક્ષણવાર લવણસમુદ્રના સ્વામી સચ્છિત દેવને મળી લઉં. પાંડવો આદરથી નાવડીની ગવેષણ કરી, તેમાં આરૂઢ થઈને જેટલામાં ઉતરતા હતા, એટલામાં તેઓને પરસ્પર વાતો થઈ કે, “કૃષ્ણ મહાબળવાળા છે, માટે તેઓ ગંગાનદી ઉતરી શકે છે કે નહિં, તેની પરીક્ષા કરીએ.” પાંડવોએ નાવડી આ કાંઠે સ્થાપી રાખી, કૃષ્ણને લેવા માટે સામે ન મોકલી. કિનારે પહોંચેલા પાંડ કુતૂહળથી ત્યાં કૃષ્ણની રાહ જોઈને નદી-કિનારે ઉભા રહેલા હતા, એટલામાં કૃષ્ણ સારથિ-સહિત રથને એક બાહુથી ઉચક્યો અને બીજા બાહુ-હાથથી દુદ્ધર ગંગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy