SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] ઉપદેશપદ-અનુવાદ તેને ન દેખતી એવી એક નારી જોવામાં આવી હતી.” (૨૫) ત્યારે કૃષ્ણ કહ્યું કે, તમે જ આ કજિયા ઉભો કર્યો છે.” આકાશગામિની વિદ્યાનું સ્મરણ કરીને નારદ અદશ્ય થયા. દૂત મોકલીને ગજપુરમાં પાંડુરાજાને જણાવ્યું કે, “ દ્રૌપદીના શરીરના કુશળ સમાચાર મળી ગયા છે. તો તમારા પાંચ પુત્રોને ચતુરંગ સેના સહિત પૂર્વ સમુદ્રના કિનારે જલદી આવી પહોંચે તેમ મેકલા.” કૃષ્ણજીએ પણ ઢોલ-દુંદુભિના શબ્દથી દિશાતર પૂરતા પિતાના સર્વ પરિવારયુક્ત દ્વારકાપુરીમાંથી પ્રયાણ કર્યું. પૂર્વ સમુદ્રના રેતાળકાંઠા ઉપર પાંડના પાંચ પુત્રોનો સમાગમ થશે. ત્યાં સેનાસહિત પડાવ નાખે. ત્યાં પૌષધશાળા બનાવી, અઠ્ઠમતપ અંગીકાર કરી સુસ્થિતદેવનું મનમાં પ્રણિધાન કર્યું. તે તપ પૂર્ણ થતાં લવણાધિપતિ સુસ્થિતદેવે કૃષ્ણને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. દેવે આવી જણાવ્યું કે મારે જે કાર્ય કરવાનું હોય, તે જણ.” ત્યારે કૃષ્ણ કહ્યું કે દ્રૌપદીદેવીનું પદ્મનાભે હરણ કર્યું છે, તેના ઘરમાં રહેલી છે, તેથી અપરકંકા નગરીએ જવા માટે પાંચ પાંડવો અને છઠ્ઠો હું એમ છએના રથે લવણસમુદ્રના જળ મધ્યે ચાલી શકે, તે માર્ગ અમને જલદી આપો.' દેવે પ્રત્યુત્તર આપ્યો કે, “આટલા સામાન્ય કાર્યમાં શું ? તમને અહીં બેઠા તમને તે હસ્તગત કરું. જો તમે કહેતા હો તે તે નરેશ તથા નગરલોક તથા સૈન્ય-સહિત આખી નગરીને લવણસમુદ્રના જળની અંદર પ્રવેશ કરાવું.” “તે પશુ સરખા રાજાની કેટલી માત્ર શક્તિ છે, તે હું જાણું છું, પરંતુ મારે તેની પરીક્ષા કરવી છે અને મારે જાતે જ તેને અહિં આવી છે.” આ પ્રમાણે કૃષ્ણનું વચન સાંભળીને તે દેવે પાણી દૂર કર્યું અને એને સમુદ્રના જળની અંદર રથ માટે માર્ગ આપે. સમુદ્રની મધ્યમાં થઈને તેઓ તેને ઓળંગીને અપરકંકા નગરીએ પહોંચ્યા. ઉદ્યાનના આગલા ભાગમાં ર છોડીને તે વિશ્રાંતિ કરવા માટે રોકાયા. દારુક નામના સારથિને બોલાવીને કૃષ્ણ આ પ્રમાણે રાજાને સંદેશે કહેવરાવ્યો. તેને કહ્યું કે, નગરમાં જઈને પદ્મનાભરાજાને તેના પાદપીઠમાં પગ ઠોકીને ભાલાની અણિપર રાખેલા લેખને આપીને જણાવવું કે, દ્રૌપદીને તું ચોરી લાવેલો છે, એને પાછી લઈ જવા માટે તેના પાંચ પતિઓ અને છઠ્ઠા વાસુદેવ આવેલા છે, માટે દ્રૌપદીને પાછી સોંપી દે, નહિંતર યુદ્ધ કરવા તૈયાર થા, એ સિવાય તારે છૂટકાર નથી. તે એ નથી સાંભળ્યું કે, “દ્રુપદકન્યાને કૃષ્ણ ભાઈ છે. ભુવનમાં રણ-યુદ્ધકાર્યમાં તેના સમાન બીજે કઈ સમોવડિયે નથી.” આ પ્રમાણે કૃષ્ણજીએ કહેવરાવેલ સંદેશને વિનયપૂર્વક ગ્રહણ કરીને હવે અપરકંકા નગરી તરફ ચાલતો ચાલતો તે રાજભવનમાં પહોંચે. દૂત જન વિનય કર્યા પછી કહ્યું કે-“આ મારો વિનય છે, પરંતુ મારા સ્વામીને તો વળી આવે હુકમ છે કે-“તેના આસનને લાત મારીને ભાલાની અણીથી આ લેખ અર્પણ કરવો.” એટલે પદ્મનાભ રાજાએ અપમાનિત કરી તેને પાછલા દ્વારે લઈ જઈ કહ્યું કેપછી અર્પણ કરવા માટે મેં નથી અણાવી, તે હવે જે યુદ્ધ કરવું હોય તે ભલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy