SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રૌપદીનું અપહરણ [ ૪૧૧ દેવે મારા માટે તેને અહિં આણેલી છે. માટે હે ભદ્ર! “મારી સાથે ક્રીડા કર, આ સર્વ પરિવાર તારે આધીન છે.” ત્યારે દ્રૌપદીએ તેને કહ્યું કે, “કૃષ્ણજી મારા પ્રિય બંધુ છે, તેઓ હાલ દ્વારવતી નગરીમાં છે, જે છ મહિના સુધીમાં મારી તપાસ નહિ કરે, તો પછી તું કહીશ તેમ હું કરીશ.” તે વાત સ્વીકારીને તેને કન્યાના અંતઃપુરમાં રાખી. છડૂતપ ઉપર આયંબિલ કરવું–તેમ નિરંતર તપ કરવાનું ચાલુ રાખ્યું. તપકર્મ ચાલુ રાખીને, ધીરતા ધારણ કરીને તે ત્યાં રહેવા લાગી. આ બાજુ બે ઘડી પછી યુધિષ્ઠિર જેટલામાં જાગીને દેખે છે, ત્યારે શય્યાતલમાં દ્રૌપદી ન દેખાઈ, એટલે ગભરાતા ગભરાતા ઉતાવળા બની તેની શોધ ચારે બાજુ કરવા લાગ્યા. જ્યારે પત્તો ન લાગ્યો, એટલે પ્રાતઃ સમયે રાત્રે બનેલ વૃત્તાન્ત પિતાના સેવકવર્ગ દ્વારા તે આખા નગરમાં જાહેર કરાવ્યું. જાહેર ઉઘેષણ પૂર્વક નગરલોકોને કહ્યું કે-“જે કોઈ દ્રૌપદીદેવીના સમાચાર લાવી આપશે, તો તેના ઉપર અકાલે ઘણો મહાઉપકાર કરીશ.” જ્યારે કોઈ નગર કે ગામમાં પત્તો ન લાગે, ત્યારે કુંતીમાતાને કહ્યું કે, “તમે દ્વારકાનગરીમાં જલ્દી કૃષ્ણ પાસે જાઓ અને કૃષ્ણને આ હકીકત જણાવો. પાંડુરાજાની આજ્ઞાથી હાથીના ઉપર બેસી એકદમ કૃષ્ણ સન્મુખ ચાલી. દ્વારકામાં પહોંચ્યા. એટલે ઘણું જ આદરપૂર્વક તેમનું ગૌરવ કર્યું. કૃણે પૂછ્યું કે, “શા કારણે આપનું આગમન થયું ?” ત્યારે કહ્યું કે, “હે પુત્ર! રાત્રે યુધિષ્ઠિર પાસે શાતલમાં સુખે સૂતેલી દ્રૌપદીનું કેઈક અપહરણ કરી, ગમે ત્યાં તેને ઉઠાવી લઈ ગયેલ છે, તો હવે તેના જલદી સમાચાર મળે તે પ્રમાણે યોગ્ય પ્રયત્ન કરો, તારા સિવાય આવાં કાર્ય કરવામાં બીજો કેણ સમર્થ છે ?” આ પ્રમાણે કહ્યું, એટલે તે જ ક્ષણે જેને પુરુષાર્થને ઉત્કર્ષ ઉત્પન્ન થયેલ છે, એવા કૃણે જણાવ્યું કે-“અરે! પાતાલ, દેવલોક કે સમુદ્રમાં ગમે ત્યાં તે હશે, ત્યાંથી મારે તેને મેળવવી અને તે માટે મારે પ્રયત્ન કરે–એમ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી. હે માતાજી ! આપ તદ્દન નિરાંતે રહો. સત્કાર-સન્માન કરી તેને પાછાં ગજપુર નગરે મોકલી આપ્યાં. ચારે બાજુ શોધ કરાવી, પરંતુ કયાંયથી પણ સમાચાર ન મેળવ્યા. એટલામાં કઈ પ્રકારે નારદજી વાસુદેવના ભવનમાં આવી પહોંચ્યા. કણે અર્થ-દાનપૂર્વક સુંદર આસન ઉપર બેસાડી, પિતાના કુશલ સમાચાર પૂછનાર તેમને ઘણું ગૌરવથી પૂછયું કે, “તમે ક્યાંય દેખેલ કે સાંભળેલ હેય અથવા કોઈના રતિગૃહમાં અપહરણ કરાએલી દેવી દ્રૌપદીની હકીકત જાણું હોય, તો કહો. કારણ કે, યુધિષ્ઠિર સાથે રહેલી અને રાત્રે સૂતેલી તેને કોઈ ન જાણે તેવી રીતે કેાઈ હરણ કરી ગયું છે.” ત્યારે નારદે કહ્યું કે, “આવા કાર્યમાં મારો અધિકાર નથી, પરંતુ તમારા આગ્રહથી કહું છું કે, તે હોય કે અન્ય હાય, તે મને કઈ નિશ્ચય નથી. પરંતુ અપરકંકા નગરીમાં પદ્મનાભ રાજાના ભવનમાં તેને સરખી શેકપૂર્ણ મુખવાળી, ભૂમિ ઉપર સ્થાપન કરેલા નેત્રવાળી, પાસેથી કોણ જાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy