SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ] ઉપદેશપદ-અનુવાદ પ્રણામાદિ કરવા મને ન કલ્પે' એટલે હાથ જોડ્યા વગરની એમ ને એમ રહી, ઉભી ન થઇ, તેને તેવા પ્રકારની અનાદરવાળી દેખીને રાષાતુર નારદ વિચારવા લાગ્યા કે• આ પાંચ પાંડવાને પતિ પામવાથી અભિમાનમાં આવી ગઇ છે. માટે આ પાપિણીને ઘણી શાક્યો હોય તેવા કોઇ સ્થાનમાં ધકેલી આપું. ત્યાં ઈર્ષ્યાના મેટા શલ્યથી તે દુ:ખી થાય તેમ તેનું હરણ કરાવું.' ત્યાર પછી ઉડીને ધાતકીખ'ડના ભરતક્ષેત્રમાં અપે(મ)રકકા નામની નગરીના પમ નામના રાજા પાસે ગયા. તે રાજાએ પણ પૂજારૂપ અઘ્ય અર્પણ કર્યુ. અતઃપુરમાં રહેલા રાજાએ નારદને પૂછ્યુ... કે, ‘ જેવું અંતઃપુર મારું' છે, તેવું ખીજા કાઈનું છે ?' કઈક હાસ્ય કરતાં નારદે જણાવ્યું કે– જેમ કૂવાના દેડકા, જેણે જન્મથી સમુદ્રના જળસમૂહ દેખેલ ન હોય, તે એમ જ માનનારા હાય કે, આ મારા સ્થાન કરતાં કાઈ મહાન નથી. એ પ્રમાણે તમે પણ બીજા ભૂમિપાલાનાં અંત:પુરા નથી દેખ્યાં, એટલે એમ માની અભિમાન કરે છે કે મારા અંતઃપુર જેવું કેાઇનું નથી. પરંતુ જમૂદ્રીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં પાંડુરાજાના પાંચ પાંડવપુત્રાની દ્રૌપદી નામની ભાર્યાના એક પગના અગૂઠાની તુલનામાં પણ ન આવી શકે. તે દેવા, અસુરા અને વિદ્યાધરાની સ્ત્રીએ કરતાં અતિસુંદર છે. જગતમાં સામાન્ય નિયમ છે કે-જે વસ્તુ દુર્લભ હોય, દૂર હાય, જે બીજાએ ને આધીન હેય, તેમાં લેાકેા રાગવાળા થાય છે. ઘણે ભાગે ખીજા રૂપમાં ન થાય. આ પ્રમાણે નારદનું વચન સાંભળીને પ્રખલ પવનથી જેમ અગ્નિ ઉત્તેજિત થાય, તેમ તે રાજાને નિર ઉન્માદ કરાવનાર અતિતીવ્ર કામદેવ ઉત્તેજિત થયેા. એટલે પૂના પરિચિત દેવનુ પ્રણિધાન કરવા પૂર્વક તેણે અઃમતપ કર્યા. તેના અંતે તે દેવ પાતે આવીને પદ્મનાભ(થ)ને કહેવા લાગ્યા કે, ‘તારે જે ઉચિત કહેવું હોય તે કહે, ' એટલે તેણે કહ્યું કે-‘જ’ભૂદ્વીપના ભરતના હસ્તિનાપુર નગરમાં જે પાંચ પાંડવાની પત્ની અને દ્રુપદ રાજાની પુત્રી છે, તે ભુવનની સ ીએમાં રૂપથી સહુથી ચડિયાતી છે, તે દ્રૌપદી દેવીની હું અભિલાષા રાખું છું, માટે તેને અહિં લાવી આપેા. ’ ત્યારે દેવે રાજાને કહ્યુ કે, એ કાર્ય કદાપિ બની શકવાનું નથી. કારણ કે, પાંચ પાંડવા સિવાય એ મ:જાની અભિલાષા કરતી નથી. માત્ર તારા પ્રિય મનારથ પૂર્ણ કરવા માટે હાલ તેને અહિં લાવી આપુ. ' યુધિષ્ઠિર સાથે સૂતેલી હતી, ત્યારે રાત્રે તે દેવ દ્રૌપદીનું હરણ કરીને પદ્મનાભના મદિરના અશેાકવનમાં લાગ્યે અને તેને ત્યાં બેસાડી. જે પ્રમાણે વૃત્તાન્ત બન્યા, તે પ્રમાણે કહીને દેવ પેાતાના સ્થાને ચાલ્યા ગયા. તે તરત જ જાગી અને તે ભવન જેવા લાગી, તેા તે પેાતાનું ભવન કે બગીચા ન દેખ્યા. વિલખી બનેલી ચિંતા કરવા લાગી કે- આ શું થયું હશે ? કાઇક દેવે કે દાનવે મને કંઈક રાજાને ત્યાં આણેલી છે. નહિંતર આટલા ફૂંક સમયમાં કેવી રીતે આ કાર્ય અને પદ્મનાભ રાજા પણ સ્નાન કરી આભૂષણેાથી અલંકૃત થઇ પેાતાના અંતઃપુર સહિત જયાં દ્રૌપદી હતી, ત્યાં જઇ તેને દેખે છે. અનેક પ્રકારના સકલ્પ–વિકલ્પ કરતી તે દ્રૌપદીને તે રાજાએ કહ્યું કે, કેમ આટલી ચિંતા કરે છે ? મારા પરિચિત " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy