SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ] ઉપદેશપદ-અનુવાદ પણ ઘણી લજજાવાળો બન્યો. પોતાની પુત્રીનું આવું અધિક પ્રમાણુવાળું દુર્ભાગ્ય સાંભળીને જિનદત્તના ઘરેથી નીકળી ગયો અને પિતાના ઘરે જઈને સુકુમાલિકોને પોતાના ખેાળામાં બેસાડીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે, “અવિનય કરનાર એવા તે સાગરપતિનું આપણને પ્રયોજન નથી. મારે તો હવે તને તેને જ આપવી છે કે, જેને તું મનપ્રિય હોય.” (૧૨૫) કર્ણામૃત સમાન એવાં આશ્વાસનનાં વચને વડે સાત્વન આપીને તેને પોતાના સ્થાનમાં જવા રજા આપી. હવે કઈક સમયે ઘરના ઉપરના માળથી દિશામાગેનું અવલોકન કરતા રાજમાગમાં મેલાં સડેલાં વસ્ત્ર પહેરેલ, તથા હાથમાં ઠીબડાંને ધારણ કરનાર એક દ્રમકને દેખે. તેને પિતાના ઘરમાં બોલાવીને કહ્યું કે-“હે કમક! આ ખાવાનું ગ્રહણ કર, તથા આ સુંદર વેષ પહેર. જે તારાં મલિન વસ્ત્રો છે, તથા ભાંગેલો ઘડો (બ) છે, તેને એકાંતમાં સ્થાપન કર. તેને કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવ પૂર્વક તે દ્રમુકને ભાર્યાપણે અર્પણ કરી, રાત્રે યોગ્ય ઉપચાર આદર પૂર્વક વાસગૃહમાં પ્રવેશ કરાવ્યા. ચપલ નેત્રવાળો થયે થકો, તે જેટલામાં શયામાં સુકુમાલિકા નજીકમાં સૂતો અને તેના દેહના સ્પર્શના દોષથી સર્વાગે ઉત્પન્ન થયેલા જવર-તાપથી વિચારવા લાગ્યો કે, નકકી મને મરણ પમાડવા માટે જ વગર કારણના ઘેરી એવા આણે મને આ આપેલી છે. જ્યાં સુધીમાં તેના અંગના સ્પર્શથી મને નજીકમાં મૃત્યુની પ્રાપ્તિ ન થાય, તેટલામાં અશ્વિના દાહની ઉપમાવાળી દુર્ભાગ્યથી ભરપૂર એવી આની પાસેથી મારે જલદી મારાં વાનો ત્યાગ કરીને પણ અહીંથી ખસી જવું જોઈએ.” તેનું ઠીબડું, વસ્ત્ર છોડીને તેને સુતેલી છેડીને ત્યાંથી દૂર ચાલ્યા ગયે. જ્યારે જાગી, ત્યારે તેને પણ ન દે, ત્યારે એ વિચારવા લાગી-મારા શરીરના દોષના કારણે તથા મારા પોતાના દુર્ભાગ્યના દોષના કારણે આ પણ ચાલ્યો ગયો.” વૃત્તાન્ત જાણ્યા પછી પ્રભાતમાં પિતાએ બોલાવી કહ્યું કે, “હે પુત્રી ! આમાં કે ઈનો દોષ નથી, પરંતુ તારાં પોતાનાં કરેલાં કર્મને જ દેષ છે. માટે જે પ્રકારે આ કર્મનો ક્ષય થાય, તે પ્રકારે સાધુઓને, શ્રાવકોને, દીન, અનાથ વગેરેને દાન આપ.” ત્યાર પછી પિતાની આજ્ઞાથી સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સમય સુધી નિરંકુશપણે હંમેશાં દાન આપવા લાગી. આ પ્રમાણે નિરંતર દાન આપતાં કેટલાક સમય પસાર થયા પછી, “સુંદર વ્રતો પાલન કરનારા, ઘણું શ્રતના અભ્યાસી અતિનિર્મલ શીલરૂપી હાથણીને બાંધવા માટે આલાનસ્તંભ સમાન એવાં ગોપાલિકા નામની આર્યા ત્યાં પધાર્યા. તેમની સાથે વિચરતાં બે સાધ્વીનું એક યુગલ તેના ઘરે ગોચરી માટે ગયું, સારી રીતે બહુમાનસહિત તેને પ્રતિલાલ્યાં. પગમાં પડીને, અંજલિ જોડીને તેને વિનંતિ કરવા લાગી કે, મને સાગર સાથે પરણાવી, છતાં હું તેને અણગમતી થઈ, બીજા ક્રમકને આપી, તે પણ હું અણગમતી બની, તો કૃપા કરીને કેઈક તેવી ઔષધિ-જડીબુટ્ટી, મંત્ર-તંત્ર હોય તે આપ, જેના પ્રભાવથી હું મારા પતિને સુભગ બનું.” તે બોલતાં જ તે આર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy