SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ નાગશ્રી (સુકુમાલિકા) [ ૪૦૫ શૂલ, દાહવાળો જવર એ ઉત્પન્ન થયો કે, જાણે ઝેરી સર્પે અથવા વીંછીએ ડંખ માર્યો હોય, અથવા અગ્નિથી સિંચાએલ હેય, તેવા પ્રકારનું તે સમયે અતિઆકરું દુઃખ ઉત્પન્ન થયું. લજજાને આધીન બની તે ક્ષણે તો તે મૌન બેસી રહ્યો. જ્યારે શયન-સમય થયો, તે સમયે શય્યાતલમાં બેઠેલા તેની પાસે ક્ષોભાયમાન નેહસમુદ્રવાળી સુકુમાલિકા સર્વ અંગોને અલંકૃત કરી, ધીમે ધીમે તેની પાસે સૂઈ ગઈ, ત્યારે જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવેલી હોય તેવી જણાતી હતી. હવે ફરી પણ તેના અંગના સ્પર્શથી વિષાદ પામેલ ચિતરવા લાગે કે- હવે આનો વિરહ કરનાર ક્ષણ મને ક્યારે પ્રાપ્ત થશે?” ત્યારે સુખે નિદ્રા કરતી તેને છોડીને શયામાંથી ઉભા થઈને જાણે મરણથી છૂટ્યો હોય, તેમ કાગડાની જેમ તે ઘરથી ઘણે દૂર દૂર પલાયન થયો. તે ક્ષણે નિદ્રા મુક્ત બનેલી અને સાગર–પતિને ન દેખતી પતિવિરહિણી ચારે બાજુ જોવા લાગી. વાસગૃહનું દ્વાર દેખ્યું, તો ખુલું દેખ્યું. શોકાતુર મનવાળી હથેળીમાં મુખ ઢાળીને ઉદ્વેગથી ચિતવવા લાગી કે-“મેં કે બંધુલોકોએ તે કઈ અવિનય કર્યો નથી, તો ક્યા મારા દુર્ભાગ્યના દોષથી તે દૂર ચાલ્યા ગયા. આ પ્રમાણે સુરતી, રુદન કરતી, કરુણ સ્વરથી વિલાપ કરતી, અગ્નિમાં શેકાતી હોય, તેમ તેણીએ બાકીની રાત્રિ પસાર કરી. રાત્રિ પૂર્ણ થઈ, પ્રભાત થયું, એટલે દાસીને બોલાવીને માતાએ કહ્યું, ‘તું જા, સુકુમાલિકા અને તેના પતિ માટે મુખશુદ્ધિ કરવા માટે તેને દાતણ-પાણી આપ.” જેટલામાં તે દાસી તેમના વાસઘરમાં ગઈ, ત્યાં તો તેને વિલખી દષ્ટિવાળી અને મનમાં કંઈક ઊંડી ચિંતા કરતી દેખી. દાસીએ તેને પૂછયું કે અત્યારે તું આમ કેમ પુરે છે?” ત્યારે તે કહેવા લાગી કે-સાગર મને સૂતેલી મૂકીને ક્યાંઈક ચાલ્યા ગયા.” વૃત્તાન્ત જાણીને દાસીએ તેના માતા-પિતાને જે પ્રમાણે બન્યું, તે કહી જણાવ્યું. ત્યાર પછી સાગરદત્ત સાગર ઉપર કેધ કરતો જિનદત્તના ઘરે જઈને કહેવા લાગ્યા કે, “અરે ! આ તમારા પુત્રને ઉચિત છે કે, નિર્દોષ સુકુમાલિકાને છોડીને ચાલ્યા ગયે! સાગરે જે કંઈ પણ કર્યું છે, તે તેના કુલને ઉચિત ન ગણાય. એવો ત્યાગ કરવાનો કોઈ કાળ નથી, તેમ યુક્ત પણ નથી. આજે તેણે જે કર્યું છે, તે ઉત્તમકુલીન જનને યોગ્ય ન ગણાય. અતિનિસ્પૃહ માનસવાળો તે આ પ્રમાણે ઘણું ઉપાલંભ-ઠપકા આપીને રહેલો છે, એટલે પિતાએ સાગરપુત્રને કહ્યું કે, “હે સાગરપુત્ર! ઘરજમાઈપણું સ્વીકારીને તું સાગરદત્તના ઘરેથી પાછો આવ્યો, તે કાર્ય અઘટિત થયું. ત્યાર પછી સાગરપુત્રે પિતાને કહ્યું કે, “પર્વતના શિખર પરથી નીચે પતન પામવા સમાન, જળમાં પ્રવેશ કરવા સમાન, ઝેર ખાવા સમાન બીજું ગમે તે કાર્ય કરીશ, સાગરદત્તના ઘરે કદાપિ આ ભવમાં તે પ્રવેશ નહિં કરીશ. તે સુકુમાલિકા નામથી માત્ર પ્રસિદ્ધિ પામેલી છે, પરંતુ હે પિતાજી ! તેના હસ્તને સ્પર્શ માત્ર કરવાથી પણ ભયંકર દાહજવર મને ઉત્પન્ન થયો છે. દિવાલના આંતરે ઉભે રહેલો સાગરદત્ત તેણે કહેલું સર્વ સાંભળે છે, આ કારણે સાગરદત્ત પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy