SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ]. ઉપદેશપદ-અનુવાદ જય રાજા સામે આવ્યો, એટલે વસુદેવે ક્ષણમાં તેના રથના દવજને છેદી નાખે. વળી યમની જિલ્લા સરખા આકરા વાળને છોલી નાખે તેવા અસ્ત્રથી કાલમુખના મસ્તકને મુંડી નાખ્યું. એ પ્રમાણે બીજા રાજાઓને પણ એવા હણ્યા કે, તેઓ પલાયન થઈ ગયા. તે વખતે રોષાયમાન થયેલા સમુદ્રવિજય પિોતાના જીવિતની પણ પૃહા કર્યા વગર સામે ગયા અને એક પછી એક એમ બાણોની શ્રેણીને છોડવા લાગ્યા. વસુદેવ તો જાણે છે કે, સામાં મોટા બધુ આવેલા છે, તેથી તેમના શરીર ઉપર પ્રહાર કરતો નથી, પરંતુ તેમનાં આયુધ અને દવાઓને છેદી નાખે છે. જ્યારે સમુદ્રવિજય આયુધ વગરના થઈ ગયા પછી વિલખા થયા, એટલે વસુદેવે પોતાના નામથી અંકિત અને ચરણ-કમળમાં વંદન સૂચવતું આગળ એક બાણ છોડ્યું, તે બાણ ગ્રહણ કરીને વાંચ્યું, એટલે પિતાના સગાભાઈ આ તો વસુદેવ છે.” એમ જાણ્યું. તરત જ પ્રસન્ન હૃદયવાળા મોટાભાઈએ ધનુષ્ય છોડી દીધું. એટલામાં વસુદેવ રથમાંથી નીચે ઉતરીને સન્મુખ આવે છે, ત્યારે સમુદ્રવિજય રાજાએ પણ ઉતાવળા ઉતાવળા રથમાંથી નીચે ઉતરીને પગમાં પડતા એવા વસુદેવને સર્વાગથી આલિંગન કર્યું. ત્યાર પછી મોટી પિક મૂકીને તેઓ મુક્તપણે રુદન કરવા લાગ્યા. ત્યાર પછી અક્ષેભ્ય, સ્તિમિત અને બીજા પણ સહોદરે, તેમ જ જેમણે આ વૃત્તાન્ત જા, તે સર્વ સ્વજનોએ હર્ષ પૂર્વક મોટાબંધુને કહ્યું. (૧૨૫) જરાસંધ વગેરે ઘણા સંતોષવાળા થયા, રોહિણીએ ભર્તારને સ્વીકાર્યા, રુધિરને દરેકે અભિનંદન આપ્યું કે, “ખરેખર તું કૃતાર્થ થયો કે તારી પુત્રી હરિવંશના શિરોમણિ સાથે વરી છે. ત્યારે યોગ્ય આદર સાથે તેની પૂજા કરી. યાચિત ધનવ્યય કરીને વિધિપૂર્વક તે રાજાઓએ સારો દિવસ આવ્યું, ત્યારે પાણિગ્રહણ-વિધિ કર્યો. ધિરરાજાએ ઘણું ધન ખરચીને આવેલા રાજાઓની પૂજા કરી અને પ્રીતિપૂર્ણ તે રાજાએ પોતપોતાના સ્થાનકે ગયા. રાજાએ વસુદેવ જમાઈને બત્રીસ કોટિ હિરણ્ય, ઉત્કટ મદવાળી ચતુરંગ સેના આપી. સમુદ્રવિજયે રુધિરને પિતાના નગર તરફ પાછા મોકલ્યા. કારણ કે, હવે વસુદેવ બંધુને દરેક ભાઈએ પિતાની સાથે લઈ જવાની ઉત્કંઠાવાળા હતા, પરંતુ રુધિર રાજાએ પ્રયાણ–સમયે કહ્યું કે, “મારા સંતેષ ખાતર આ કુમારને હાલ કેટલોક કાળ અહિં રહેવા દ્યો.” કુમારે તે વાત સ્વીકારી. “હવે તારે બહુ રખડપટ્ટી ન કરવી, કોઈ પ્રકારે તને જે એટલે બસ, કદાચ લઈ જઈએ, તો ફરી ચાલ્યા જાય. પગમાં મસ્તક નમાવીને બંધુઓને તે કહેવા લાગ્યો કે, ત્યાં દરેક બંધુ આદિ નગરલોકોને પડહો વગડાવીને મારા તરફથી જણાવવું કે, “આગળ મેં તમને જે ઉગ કરાવ્ય, તેઅપરાધની તમારે મને ક્ષમા આપવી. બીજું હવે તમારે મારામાં એટલા લાગણુંવાળા ન બનવું કે, સ્વપ્રમાં પણ આવા પ્રકારનો શોક ન થાય.” સમુદ્રવિજય વગેરે યાદવો પિતાના બંધુઓની સાથે પિતાના સ્થાને પાછા ગયા અને તે વસુદેવ ત્યાં રોકાયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy