SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિષેણ મુનિ (વસુદેવ) [ ૩૯૫ શબ્દોથી જાગૃતિ થાય છે, તે પ્રમાણે ઢાલના શબ્દોથી સંબેધાયેલી રહિણીએ પ્રાતઃકાળની શોભાએ જેમ કમળને તેમ વસુદેવને અંગીકાર કર્યો. વિકસિત પારિજાત આદિ જાતિવાળાં પુષ્પોની ગૂંથેલી માળા તેના કંઠમાં અને નેત્રો સર્વાગમાં સ્થાપન કર્યા. જ્યારે હિણીએ તેના મસ્તક ઉપર અક્ષત વધાવ્યા, ત્યારે પ્રલયકાળમાં સમુદ્રના કલ્લોલ ઉછળે, તેમ ભયંકર કોલાહલ કરતા સર્વે રાજાએ કેંધાયમાન બની માંહોમાંહે પ્રશ્નો કરવા લાગ્યા કે, “આ કન્યાએ કર્યો પતિ વ? વળી કઈક કહેવા લાગ્યો કે, આ સર્વે રાજાઓનું ઉલ્લંઘન કરીને જેનું કુલ, જાતિ, વંશ, ગુણ સમૂહ આદિ જાણ્યા નથી, જેનો દેખાવ પણ સારો નથી, તેવાને કેમ વરમાળા પહેરાવી ? દંતવક નામના રાજાએ રુધિર રાજાને ઉંચા શબ્દોથી કહ્યું કે, જે તમારે કુલનું પ્રયોજન ન હતું, તો પછી આ ઉત્તમવંશના સવે રાજાઓને કેમ બોલાવી એકઠા કર્યા ? રુધિર રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે, તેને સ્વયંવર આપે હતે, એટલે પોતાની રુચિ અનુસાર તેણે વર્યો. (૧૦૦) માટે કરીને તેમાં તેનો શે દેષ? હવે કુલવાન પુરુષોએ પદારા વિષે કોઈ વ્યવહાર કરવો યોગ્ય ન ગણાય.” ત્યારે દમઘોષ રાજાએ કહ્યું કે-“જેના કુલ, વંશ, સ્થિતિ જાણ નથી, તેવા માટે આ કન્યા એગ્ય નથી, માટે કોઈક ક્ષત્રિયકુળમાં જન્મ થયો હોય, તેવાને કન્યા આપ.” વળી વિદુરે કહ્યું કે, “આ કોઈ કુલીન પુરુષ જણાય છે, તો તેને આદરપૂર્વક વંશની પૃચ્છા કરે.” ત્યારે વસુદેવે કહ્યું કે, “અહિં મારા કુલને કહેવાનો પ્રસ્તાવ જ કર્યો છે? અને તમારે જે કહેવરાવવું જ હોય, તો મારા બાહુબલથી જ કુલ આપઆપ પ્રગટ થશે. ” ગર્વવાળું તેનું વચન સાંભળીને જરાસંધે આ પ્રમાણે કહ્યું કે, રત્નનાભ સહિત રુધિરને જલ્દી પકડી લો. કારણ કે, તેણે જ આ પડદે વગાડનારને આવી પદવીએ પહોંચાડેલ છે.” તેની આજ્ઞાથી જેટલામાં તેને ક્ષોભ પમાડવા આવી પહોંચ્યા, તેટલામાં રુધિરરાજાએ રોહિણી અને વસુદેવ સહિત રત્નનાભને લઈને પિતાના રિષ્ટ નામના નગરમાં પ્રવેશ કર્યો અને યુદ્ધને ઊંચિત તૈયારી કરી. પહેલાં વિદ્યાધરના સ્વામીને વસુદેવે વશ કર્યો હતો, તે અત્યારે હાજર થયો. તેને સારથિ બનાવી પુષ્કળ સેના સહિત નગરમાંથી બહાર નીકળ્યા અને તીક્ષણ આકરા બાણુ સમૂહ પડવાથી છેડાયા છે, દિશાવિભાગો જેમાં એવું તેમનું પરસ્પર યુદ્ધ જામ્યું. તેની પાછળ રત્નનાભ સહિત રુધિર રાજા ગયે. અહિં શેડો સમય યુદ્ધ કરીને હારેલે તે નગરમાં પાછો આવ્યું. વિદ્યાધરના સ્વામીએ સ્વીકારેલ સારથિપણાવાળા એવા માત્ર એકલા વસુદેવ યુદ્ધભૂમિમાં રહ્યા. તરુણ સિંહ સરખા તેને અક્ષેભ પામેલો આગળ દેખીને રાજાએ વિસ્મયથી આકુળ-વ્યાકુલ બની ગયા. એટલે ઉજવલ કીર્તિવાળા પાંડુરાજાએ વિચારીને કહ્યું કે- આ આપણો રાજધર્મ ન કહેવાય કેએ એકલો અને આપણું ઘણું છીએ.” ત્યારે જરાસંધે કહ્યું કે, કઈ પણ એક, તેની સાથે યુદ્ધમાં જે જિતશે, તેની રોહિણી થશે. ત્યાર પછી બાપુસમૂહને ફેંકતા શત્રુ-. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy