SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ] ઉપદેશપદ-અનુવાદ રહેલી સમા નામની દેવીએ કહ્યું કે– રોહિણી નામની કન્યાએ તમને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, ત્યાં જઈને તું વિવાહમાં ત્રિવિષ્ણુ ઢોલ વગાડજે. તે વાત માન્ય કરીને રોહિણી કન્યાના લાભની સ્પૃહાવાળા, જેમણે બહાર પિતાને પડાવ નાખેલે છે, ઉંચા મોટા મંડપ બંધાવ્યા છે, એવા જરાસંધ વગેરે રાજાઓથી ચારે બાજુ શોભાયમાન એવી વિષ્ટા નામની નગરીમાં ગયો. ત્યાં ઢોલ-વાજિંત્રો સહિત જઈને એક સ્થાનમાં રોકાયો. સંધ્યાકાળ-સમયે રાજાએ પ્રવર્તાવેલી ઉષણ સાંભળી કે-“આવતી કાલે રુધિર રાજાની મિત્રાદેવી રાણીથી જનમેલી જે રોહિણી નામની પુત્રી છે, તેને સ્વયંવર થશે, તે વિવાહ માટે તૈયાર થયેલા-વિવાહની પૃહાવાળા સર્વે રાજાઓએ આભૂષણ સહિત વિવાહ મંડપને શોભાવવા પધારવું.” હવે બીજા દિવસે જ્યારે સૂર્ય પૂર્વ દિશામાં અધિષ્ઠિત છે, ત્યારે જાણે કંકુના રંગથી રંગાએલ હોય, તેમ લાલ કિરણના લેપથી આકાશ લાલ દેખાતું હતું. તેવા પ્રાતઃકાળથી કલ્પવૃક્ષ સરખા દેખાતા આભૂષણ અને શૃંગારને ધારણ કરનારા, તાલવૃક્ષ, સિંહ, ગરુડ વગેરે રાજચિહ્નોથી શોભતા, ઉતાવળ કરતા, જોરથી વાજિત્રો વગડાવીને શબ્દોથી આકાશના ભાગને પૂરતા, ઉંચા દંડવાળા ઉજજવલ છત્રની છાયાવડે જેમનો આત૫ રેકાઈ ગયો છે. યથાયોગ્ય કોઈ હાથી, ઘોડા, રથ કે બીજા વાહન ઉપર બેઠેલા, સૈન્ય અને વાહનથી પિતાની સંપૂર્ણ શેભાને ધારણ કરતા, સ્વયંવરસ્થાનકે રાજકુમારી આવી પહોંચ્યા અને યથાયોગ્ય મેરુપર્વતના શિખર સરખા ઉંચા સિહાસને તેઓ બિરાજમાન થયા. જ્યારે જરાસંધ વગેરે સર્વે રાજાએ ચામર ઢોળાતા ત્યાં આવી પહોંચ્યા, ત્યારે સ્વયંવરની ભૂમિ પર ચેટિકા-સમૂહથી વિટાયેલી, તથા અંતઃપુરના વૃદ્ધ પુરુથી પરિવરેલી, છત્રથી ઢંકાએલ મસ્તક–પ્રદેશવાળી, વીંજાતા ઉજજવલ ચામરવાળી, જેણે તાજા પુપોની સુગંધ મહેકતી શ્રેષ્ઠ પુપમાળા હતમાં ગ્રહણ કરેલી છે, ધારણ કરેલા અનેક શણગારવાળી, જાણે સાક્ષાત્ લક્ષમીજી. જાતે આવ્યાં હોય, તેવી રેહિણી સ્વયંવરમંડપમાં આવી પહોંચી. ત્યાર પછી લેખિકા નામની ધાવમાતાએ આગળ બેઠેલા ઈન્દ્ર સરખા રાજાઓને ઓળખાવતાં જણાવ્યું કે-“હે વત્સ ! આ સમગ્ર રાજાઓના મસ્તકરૂપી પુછપથી પૂજાયેલ છે, એવા સિંધુદેશના જરાસંધ નામના રાજા છે. હે પુત્રિ ! શૂરસેનદેશના સ્વામી ઉગ્રસેનના પુત્ર એવા આ કંસ નામના રાજપુત્ર સૂર્ય–સમાન પ્રતાપવાળા અહિં બેઠેલા છે. આ સર્વે નીતિના સમુદ્ર સમાન અંધકવૃણિના પુત્રો સમુદ્રવિજયને આગળ કરીને વિધિપૂર્વક કમસર બેઠેલા છે. (૯૦) આ કુરુ દેશના સ્વામી પોતાના પુત્ર સહિત પાંડુરાજા બેઠેલા છે, વળી ચેદિરાજ દમોષ નામના રાજાને દેખ. પાંચાલદેશના સ્વામી એવા આ દ્રુપદ નામના રાજા છે. એ પ્રમાણે કમસર તેણે બીજા રાજાઓને પણ ઓળખાવ્યા. આ સર્વેમાં કેઈપણની પસંદગી ન કરી. અને ક્રમસર આગળ વધી. રાત્રિમાં શ્યામ અંધકાર ઉત્પન્ન થયા હોય અને દીપક-શૂન્ય રાજમાર્ગો હોય ત્યારે, ઢેલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy