SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ નદિષેણ મુનિ (વસુદેવ) [ ૩૯૩ દેખીને પ્રીતિ ઉત્પન્ન થયેલા માનસવાળા તેને કહેવા લાગ્યા કે- આ વાવડીમાં સ્નાન કરી લે અને દેહના પરિશ્રમને દૂર કર.' એ પ્રમાણે કર્યું. ત્યાર પછી નગરના લેાકેા સાથે અશાકવૃક્ષની વિશાળ છાયામાં આશ્રય કર્યા. પછી નગરલેાકેાએ તેને કહ્યું કે, ‘હવે તમે સાંભળેા કે, · આ નગરમાં શું ખની રહેલું છે ? ' ‘દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા વૈરીરૂપી હાથીઓના અભિમાનને મન કરનાર કેસરી સિંહ–સમાન વિજય નામના અહિં રાજા છે. સુજયા નામની તેની રાણી છે. તેના ગર્ભોથી ઉત્પન્ન થયેલી એક શ્યામા નામની અને ખીજી વિજયા નામની એમ એ પુત્રીઓએ ગાન્ધવિદ્યા અને નૃત્યમાગમાં શ્રેષ્ઠ કળા પ્રાપ્ત કરી છે. તેના પિતાએ તે અનૈના સ્વયંવરવિધિ હપૂર્વક દેવરાન્ચે છે. તે બ ંને લક્ષ્મીનુ પાત્ર તમા જણાવ છે.–એમ વિચક્ષણ પુરુષાએ કહ્યું. વળી જણાવ્યું કે, જો તમારામાં ગીત-નૃત્યનુ કૌશલ હાય, તે તમે ત્યાં જાવ. કારણ, લેાકેા સમક્ષ તે ખ'ને કન્યાએ એ પ્રતિજ્ઞા કરી છે કે, જે કેાઈ ગીત-નૃત્યમાં ચડિયાતા નિષ્ણાત હશે, તે હમારા ભર્તાર થશે. ' ત્યારે રાજાએ આજ્ઞા કરી કે, ‘જે કાઇ કહેલી વિદ્યાએમાં કુશળ હોય, તેવા બ્રાહ્મણ કે ક્ષત્રિય કુમાર હોય, તેને તમારૅ જલ્દી અહિં લાવવા’ (૬૦) કહેલી પ્રસ્તુત ગીત-નૃત્યની વિદ્યામાં મેં કઇક શિક્ષણ મેળવેલુ છે. એટલે તેને રાજા પાસે લઈ ગયા અને ખતાન્યા, સ્નેહવાળી દૃષ્ટિથી રાજાએ તેને જોયા અને તેના ચેાગ્ય સત્કાર-પૂજા કર્યાં. ત્યાં રાજભવનમાં સ્થિરતા કરી. ગાંધવ-નૃત્યના દિવસે પવિત્ર દશનવાળી તે બંને કન્યાઓને દેખી. કેવી કન્યાઓ હતી? તે કહે છે— · વિકસિત નેત્રક મલવાળી, હાથીના કુંભસ્થળ સમાન સ્તનવાળી, સ્વગંગાનદીના કિનારાની આકૃતિ-સમાન વિશાળ કટી-પ્રદેશવાળી, ઉન્મત્ત કાયલ સરખા મધુર શબ્દ ખેલનારી, કામલ વચન કહેનારી, ગીત-નૃત્યશાસ્ત્રામાં નિપુણતા મેળવેલી હાવા છતાં પણ તે કુમારે અને કળાએ તેના કરતાં વિશેષ બતાવી. એટલે સાષ પામેલા રાજાએ શુભ દિવસે તે બંને કન્યાનું પાણિગ્રહણ તેની સાથે કરાવ્યું. તથા રાજ્યના અર્ધો ભાગ તેને આપ્યા. વિંધ્યુપર્યંતના હાથી જેમ પેાતાની સ્વેચ્છાથી સ્વૈરવિહાર કરે, તેમ તે અનૈના સમાગમના આનદમાં સ્વૈર વિહાર કરતા, ત્યાં રહેલેા હતેા. ત્યારે કાઇક સમયે બંને પત્નીઓએ તેને પૂછ્યું કે, તમે બ્રાહ્મણકુલમાં જન્મેલા છતાં સમગ્ર કલા-સ’ગ્રહમાં આટલું કૌશલ્ય કથાંથી પ્રાપ્ત કર્યુ? હવે તેએને સ્નેહ પાકે થઈ ગયેલેા હેાવાથી સાચા વૃત્તાન્ત-સદ્ભાવ જાન્યા. તેમાં શ્યામા પત્ની ગ વતી થઇ અને પુત્રને જન્મ આપ્યા, ત્યાં રહેલા તેણે અક્રૂર એવું પુત્રનું નામ સ્થાપન કર્યું. હવે લેાકેાને પ્રતીતિ થવા લાગી કે- આ વસુદેવ છે ’ તેથી તે સ્થાનેથી ગુપ્તપણે નીકળી ગયા અને અનેક વિસ્મયપૂર્ણ પૃથ્વીમાં ભ્રમણ કરતાં કરતાં તેણે પેાતાની પરાક્રમી ચેષ્ટાથી યૌવનપૂર્ણ દેહવાળી વિજયસેના આદિ કન્યાએ સાથે લગ્ન કર્યાં. કેટલાક સમય પછી તે વસુદેવ કૌશલ નામના દેશમાં આન્યા. ત્યાં આકાશમાં ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy