SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ] ઉપદેશપદ-અનુવાદ જગના બંધુભૂત સૂર્યને અસ્ત થયો. અંધકાર-સમૂહ ચારે બાજુ ફેલાવા લાગ્યો, ઘુવડોનાં નેત્રો દેખતાં થયાં. પદ્મસરોવરે બીડાઈ ગયાં-એવા રાત્રિના શરુના સમયમાં નગરદ્વારો પણ બંધ કરવામાં આવ્યાં. માર્ગમાં કેઈની અવર-જવર જ્યારે બંધ થઈ ગઈ, તેવા સમયે સર્વ કઈ ન જાણે તેવી રીતે એક નગરમાંથી બહાર નીકળી ગયે. બહારના દરવાજા પાસે એક મડદાને બાળીને વસ્ત્રના એક ટુકડામાં કાળા કલસાની કલમ બનાવીને એમ લખ્યું કે, “અતિશય કીર્તિ પામેલા પરાક્રમી સમુદ્રવિજય વગેરે રાજાઓને શલ્યથી પણ અધિક લોકોના અપવાદના વચન-શ્રવણરૂપ મહાદુઃખથી પીડા પામેલા મેં આ પ્રમાણે અગ્નિની જવાલામાં પડવાનું કાર્ય કર્યું છે.” આમ લખીને નગરના મુખ્યદ્વારમાં વાંસના ખંડ સાથે બાંધીને લટકાવ્યું અને ઉતાવળે પગલે ત્યાંથી દૂર દૂર ચાલી ગયો. આગળ ઘરે રહેલ હતો, ત્યારે તેણે શરીરનો વર્ણ, ભાષા વગેરે પલટાઈ જાય, તેવાં ઔષધો ભેગાં કરીને ગુટિકા તૈયાર કરી હતી, તેના પ્રભાવથી “આ વસુદેવ છે એમ તેને કેઈ ઓળખી ન શકે, કઈ દિવસ ક્યાંય પણ તે પિતાની આકૃતિ છૂપાવી રાખતો હતે. સાચો માર્ગ જાણતો ન હોવાથી જવાની ઈચ્છાથી ગમે તે માર્ગે ચાલવા લાગ્યા. જતાં જતાં રસ્તો મળી ગયે, ત્યારે લાંબા સમયે રથમાં બેઠેલી મનહર શ્રેષ્ઠ કોઈ યુવતીએ તેને ચાલતો જોયે. તે યુવતીને તેના પિતા તેના સાસરેથી પોતાના ઘરે લઈ જતા હતા. તે યુવતીએ પિતાજીને કહ્યું કે, “હે પિતાજી! આને રથમાં બેસાડો, તો તે આગળ ગામે આપણી સાથે પહોંચી શકશે.” તેમ કરવાથી તે આગળના ગામે પહોંચ્યો. ત્યાર પછી ભેજન કરીને સંધ્યાસમયે તે ગામના મધ્યભાગમાં યક્ષના મંદિરમાં ગયો. ત્યાં તે દિવસે લોકો પાસે એવી વાત સાંભળવામાં આવી કે, “શૌરીપુર નગરમાં આજે અંધકવૃહિણના પુત્રો પૈકી નાના પુત્રે અગ્નિ-પ્રવેશ કર્યો, તેથી અંતઃપુર-સહિત યાદવ તે કુમાર-નિમિત્તે મહાઆનંદન કરવા લાગ્યા છે. હે વત્સ ! મૂર્ખ જનચિત આવું અયોગ્ય વર્તન તે કેમ કર્યું? સ્વપ્નમાં પણ અમે તારું અપ્રિય કાર્ય કર્યું નથી. તું દરરોજ ઉંચા ઉંચા પ્રકારના પ્રિય મનગમતાં કાર્યો કરી અમારા મનને રંજન કરતો હતો. અમો સર્વે તારા ગુણ પ્રત્યે વત્સલતાવાળા હતા. આ પ્રમાણે લાંબા સમય સુધી આકંદન-વિલાપ કરીને ત્યાર પછી તેની મરણેત્તર ક્રિયા કરીને શેકપૂર્ણ ચિત્તવાળા, મલિન મુખ-સહિત તેઓ નગરમાં પાછા ફર્યા.” આ વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે, “નક્કી શૌરીપુરના નગરલકે એ મારા સંબંધી ચિંતા છોડી દીધી છે અને હવે મને શોધવાની ચેષ્ટા પણ કરવાના નથી. એટલે હવે મારે મારી ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરવું ઉચિત છે. ત્યાર પછી સૌભાગ્યના સમુદ્ર સરખા વસુદેવકુમાર તે પ્રમાણે ભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી વિજયસેન નામના નગરના બહારના ભાગમાં રોકાયે. લોકોએ તેને દેખે કે, “આ અકસ્માત્ અહિં કેણ આવેલા છે?” (૫૦) તેને પૂછ્યું, એટલે તેણે એ જણાવ્યું કે, “વિદ્યા ભણવા માટે હું અહિં આવેલ છું, બ્રાહ્મણપુત્ર છે. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy