SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ભાષણને ગુપ્તિ સંબંધી કથાઓ [ ૩૮૩ ( ૬૦૩–૧ ઈર્યાસમિતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણસમિતિ, ૪ આદાનભાંડમાત્રનિક્ષેપણ સમિતિ, ૫ ઉચ્ચાર-પ્રસૂવણ–ખેલ-સિંઘાણ-જલ-પારિષ્ઠાપનિકા સમિતિ–આ નામની પાંચ સમિતિઓ જાણવી. કેવા લક્ષણવાળી ? તો કે, કાયા અને વચનની ચેષ્ટા-પ્રવૃત્તિ સ્વરૂપ, તે માત્ર એક ચેષ્ટાનું અનુવર્તન કરે છે, જેઓ એવી સંગત પ્રવૃત્તિવાળી તે અર્થચોગથી સમિતિ કહેવાય. આના પછી હવે ગુપ્તિ કહીશું. (૬૦૩) ૬૦૪–૧-મનગુપ્તિ, ૨-વચનગુપ્તિ, ૩-કાયમુર્તિ-એમ ત્રણ ગુપ્તિઓ, રાગ-દ્વેષ આદિ દ વડે વિક્ષેભ પામતા આત્માનું રક્ષણ કરવું. સિદ્ધાંતરૂપ ઉજજવલ મહેલની વજા સરખા આચાર્યોએ આ ત્રણ ગુપ્તિઓને અચેષ્ટા-સ્વરૂપ નિરૂપણ કરેલી છે. જે માટે શાસ્ત્રકારએ કહેલું છે કે– (૬૦૪). કહેલ વાતને જ દર્શાવે છે– ૬૦૫–સમ્યમ્ યોગપૂર્વક–જયણાના ઉપગ-સહિત ગમન કરવું, વચન બોલવું એ વગેરે સમિતિઓમાં પ્રવર્તતે મુનિ જરૂર સ્વની અને બીજાની રક્ષા કરનારો હોવાથી ગુપ્તિવાળે છે. જે ગુપ્ત હોય તે સમિતિવાળા હોય કે ન પણ હોય. અહિં હેતુ જણાવે છે કે, કુશલતાથી વિધિ અનુસાર મધુરત્વ આદિ વિશેષણવાળી વાણીને બોલતે હોય, તે વચનથી ગુપ્ત હવા સાથે સમિત-સમ્ય પ્રવૃત્તિવાળો પણ થાય છે. આથી સમિત હોય, તે નકકી ગુપ્ત હોય. માનસિક ધ્યાનાદિ અવસ્થામાં કાયચેષ્ટારહિતમાં પણ ગુપ્ત થાય જ. (૬૦૫). આ જે પ્રમાણે શુદ્ધ થાય, તે કહે છે– ૬૦૬-પૂર્વ એટલે સમિતિ-ગુતિના પ્રયોગકાળની પહેલાં “સરવ” એટલે પદના એક દેશમાં પદ સમુદાયનો ઉપચાર કરવાથી તે સમિતિ-ગુપ્તિનાં સ્વરૂપનું જ્ઞાન થાય. ત્યાર પછી તેના પ્રોગકાળમાં ધર્મકથા આદિ બીજા વ્યાપાર-રહિત આ ગુપ્તિ સમિતિઓ શુદ્ધ થાય છે. કેવા સાધુને આ સમિતિ-ગુપ્તિ શુદ્ધ થાય? તે કહે છે – સર્વ પ્રકારે જ્ઞાનાદિક કાર્યો કરવાના પ્રસંગે ઉપસ્થિત થાય, ત્યારે તેમાં સાવધાન હોય–ઉપગવાળો હોય, તેને સમિતિ-ગુપ્તિ નિમલ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ તો સમિતિ-ગુપ્તિનું પ્રવૃત્તિ-નિવૃત્તિ-ચેષ્ટા-અષ્ટાદિ રૂપ લક્ષણ-સ્વરૂપ જાણવું, ત્યાર પછી પ્રોગકાળમાં બીજા વ્યાપારનો ત્યાગ કરે, સર્વ પ્રકારે ઉપવેગવાળા બનવું. ત્યાર પછીના યોગમાં પણ ઉપયોગ ચાલુ જ રહેલો હોય, એ પ્રમાણે જે થાય તો ગુપ્તિ-સમિતિએ શુદ્ધિ પામે છે. કારણ કે, હેતુ, સ્વરૂપ, અનુબંધ એમ ત્રણેની વિશુદ્ધિ હોવાથી અહિં સ્વરૂપનો બોધ-જ્ઞાન થવું તે હેતુ, બીજા વ્યાપારોનો ત્યાગ કરો અને કાર્યમાં ઉપગ રાખી પ્રવૃત્તિ કરવી, તે સ્વરૂપ, ત્યાર પછી જે ઉપગવાળો યોગ ચાલુ રહે, તે અનુબંધ. (૬૦૬). હવે તેનાં ઉદાહરણ કહેવાની ઈચ્છાવાળા કહે છે – ૬૦૭–આ સમિતિ-ગુપ્તિ સંબંધી અહિં–જૈનમતમાં પૂર્વાચાર્યોએ જે દષ્ટાન્તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy