SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ]. ઉપદેશપદ-અનુવાદ કરતે સોમાનાં માતા-પિતાએ જોયો. તેથી “આ રાત્રિભોજન ખરાબ છે.” એમ માનતા તેઓએ છઠ્ઠા વતના ત્યાગને પણ નિષેધ કર્યો. (૫૫) અહિં સમાએ કહ્યું કે, “મેં આ ધર્મ ગ્રહણ કર્યો છે.” બીજા કેટલાકને પણ નિયમ વિશેષ ગ્રહણ કરાવ્યા. ત્યાર પછી સોમાના માતા-પિતાએ કહ્યું કે-“હવે તું યત્નથી આ વ્રતોનું પાલન કરજે. હવે તારાં ગુરુ સાધવાનાં દર્શન કરીએ.’ પછી સાવીને ઉપાશ્રયમાં ગયા. નજીકના શય્યાતરના ચૈત્યગૃહમાં ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી સમાએ ગણિનીને બતાવ્યાં-ઓળખાવ્યાં કે, આ મારે ગુરુવગ છે. ગણિનીએ ઉચિત વિધિથી પ્રથમ બોલાવ્યા. ત્યાર પછી ધર્મોપદેશ આપ્યો. તેને સાંભળીને સંતેષ થયે. સામાન્યથી ધર્મકથા કહ્યા પછી કેટલાક વિશેષ પદાર્થોના પ્રશ્નો કર્યા. ગણિનીએ તેના આગળ કહેવાઈ ગયા, તે પ્રમાણે ઉત્તર પણ આપ્યા. (૫૯૭). ૫૯૮ થી ૬૦૦–ક ધર્મ ? તો કે જીવદયા, જીવને સુખ ક્યું? તો કે, આરોગ્ય કર્યો અને કહેવાય ? તે કે સદ્ભાવ. પાંડિત્ય કોને કહેવાય ? કાર્યને નિશ્ચય કરે છે. વિષમ શું છે ? દેવની કાર્યગતિ. શું મેળવ્યું? તે કે, લોકે ગુણગ્રાહી થાય છે. શું સુખે ગ્રહણ કરી શકાય કે કેને સમજાવી શકાય ? તો કે, સજ્જનને. દુર્વાહ્ય શું? દુર્જનલક. આ વગેરે પ્રશ્નોના ઉત્તર આપવાથી તેઓ તેવા ભદ્રિક પરિણામવાળા થયા, જેથી સોમાને સ્વમમાં પણ ઘણે ભાગે વિઘ-અંતરાય કરનારા ન થયા. આ ગાથાઓ ઘણા વિસ્તારથી આગળ સમજાવેલી હોવાથી અને સુગમ હોવાથી વ્યાખ્યા કરતા નથી. (૫૯૮ થી ૬૦૦). શ્રીમતી, સોમાના ઉદાહરણ કહીને ચાલુ વિષયમાં જડે છે– ૬૦૧–તેવા હલુકમ આત્માને ગુણસ્થાનકના પરિણામ ચાલતા હોય, તેને સમગ્ર કલ્યાણ-પરંપરાઓ પ્રાપ્ત થાય છે, કારણ શુદ્ધ નીતિમાર્ગને જ અનુસરી રહેલ છે, માર્ગાનુગામી હોવાથી તે પરંપરાએ સુખાનુબંધની પ્રધાનતાવાળો થાય છે. ગુણસ્થાનકના પરિણામવાળા આત્માઓ નક્કી જિનેશ્વરે કહેલા માર્ગનું જ અનુસરણ કરે છે. શાથી? તે કે, ઉમાગે લઈ જનાર મિથ્યાત્વાદિ કર્મને ક્ષય થયેલો હોવાથી ગુણસ્થાનક–પરિણામને જ સંભવ હોય છે. તેથી ઉત્તરોત્તર સમગ્ર કલ્યાણના લાભ અધિકારી થાય છે. (૬૦૧) હવે મહાવતેને આશ્રીને કહે છે – ૬૦૨–કહેલા લક્ષણવાળા ગુણસ્થાનકના પરિણામ હોય, તેને અનુલક્ષીને જે મહાવ્રતે હોય, તેને આશ્રીને સમિતિ-ગુપ્તિ સંબંધી ઉદાહરણે આગળ કહીશું, તે પ્રમાણે જાણવાં. સમિતિઓ અને ગુણિએ મહાવ્રત-સ્વરૂપ હોવાથી આ પ્રમાણે અહિં ઉપન્યાસ કર્યો છે. (૨૦૨) હવે સમિતિની સંખ્યા અને સ્વરૂપ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy